Surat: કાકરાપાર જમણાંકાંઠા નહેર બંધના વિરોધમાં 10 હજાર ખેડૂતો કાઢશે રેલી, સિંચાઈ વિભાગનો કરશે ઘેરાવ

  • Gujarat
  • September 13, 2025
  • 0 Comments

અહેવાલ: દિલીપ પટેલ

Surat: સુરત સિંચાઈ વર્તુળનાં અધિક્ષક ઈજનેર દ્રારા કાકરાપાર જમણાંકાંઠા વિભાગની નહેરોમાં 1 ડિસેમ્બર 2025થી 28 ફેબ્રુઆરી 2026ના 90 દિવસ સુધી સિંચાઈનાં પાણી વહેવડાવવાનું બંધ ક૨વાના તઘલખી નિર્ણય સામે વિરોધ થઈ રહ્યો છે. કાંકરાપાળ જમણાં કાંઠાની નહેરોની મરામત અને નવીનીકરણ માટે નહેર બંધ કરાશે.

સિંચાઈ વિભાગનો તઘલીખી નિર્ણય

સિંચાઈનું પાણી બંધ થવાથી શેરડી, ડાંગર, શાકભાજી, કપાસ પકવતા ખેડૂતો તેમજ પશુપાલકોને મોટુ નુકસાન જવાનું છે. નુકસાનની અસરોનો વિગતવાર અભ્યાસ કરી અહેવાલ બનાવવો ખૂબ જ જરૂરી છે. જે થયો નથી.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ગામા પાસે 88 ચોરસ કિલોમીટરમાં પડતાં વિસ્તારનું પાણી એકઠું કરવા માટે તાપી નદી પર 1954માં જવાહર લાલ નહેરની કોંગ્રેસ સરકાર વખતે સિંચાઈ માટેનો 15.48 મીટર ઉંચો અને 633 મીટર લાંબો બંધ રૂ. 24 કરોડમાં બન્યો હતો.

પશુપાલકો અને ખેડૂતોને મોટું નુકસાન

886 ગામોના ખેડૂતોને સિંચાઈ પુરી પાડે છે.ખેડૂતોના ખેતમાં પાણી પહોંચાડવા માટે તાપીની બન્ને બાજુના કાંઠે 64 કિલોમીટર બે નહેરો બની છે. જમણે અને ડાબે કાંઠે મળીને 4 લાખ 50 હજાર હેક્ટરમાં સિંચાઈ થાય છે. જેમાં ખેતી માટે જમણી નહેરથી 1 લાખ 20 હજાર હેક્ટર અને ડાબે કાંઠે 1 લાખ 45 હજાર હેક્ટરમાં સિંચાઈ થાય છે.જમણે કાંઠે અંદાજે 50 હજાર ખેડૂતોનો પાક ખતરામાં આવી ગયો છે.

સ્ટ્રકચરોની મજબૂતાઈ નકકી કરવા માટેની તપાસ કરવામાં આવી છે કે કેમ ? સ્ટ્રકચરોની મરામત માટે કઈ એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેની જાહેરાત થઈ નથી.

લાખો ખેડૂતોની આજીવીકા ઉપર અસર કરતી અને આર્થીક નુકસાન કરે એવી બાબતે સિંચાઈ વિભાગ દ્રારા ઉડાણ પૂર્વકના અભ્યાસ કર્યા સિવાય નિર્ણય કરવામાં આવેલો છે. એવું પ્રસ્થાપિત થાય છે. જેથી કાકરાપાળ જમણાં કાંઠા વિભાગની નહેરો બંધ કરવાનો નિર્ણય રદ કરવામાં આવે.

રાષ્ટ્ર વ્યાપી આંદોલન

ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ઉદ્યોગોને પાણી આપવાનું કારસ્તાન છે. જો દિન 15માં પાણી બંધ કરવાનો નિર્યણ રદ કરવામાં આવશે નહીં તો 10 હજાર ખેડૂતો દ્વારા રેલી કાઢી સિંચાઈ વિભાગનો ઘેરાવ કરવામાં આવશે. રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવશે. 28 સપ્ટેમ્બર 2025ના રોજ કામરેજના ગાયપગલા ખાતે 10 હજાર ખેડૂતોની બેઠક મળશે. જેમાં દેશના ખેડૂત નેતાઓ હાજરી આપશે.

ખેડુત સમાજ ગુજરાત દ્વારા ખેડુતો તેમજ પશુપાલકો અને સહકારી આગેવાનોની બેઠક ઓલપાડમાં મળી હતી. મોટી સંખ્યામાં ઓલપાડ, કામરેજ, માંગરોળ, ચોર્યાસી, મહુવા, હાંસોટ સહિતના તાલુકાના ખેડૂતો હતા. ખેડૂતોની રેલી કાઢી ઓલપાડ પ્રાંત અને નાયબ કલેક્ટરને બે આવેદનપત્ર આપવામાં આવેલા હતા.

સુગર ફેકટરીઓનાં પ્રમુખો તેમજ કપાસ તેમજ ડાંગર વેચાણ કરતી સહકારી મંડળીના પ્રમુખો સાથે રાજય કક્ષાનાં સિંચાઈ મંત્રી સાથે જહાંગીરપુરા સ્થિત પુરૂષોત્તમ ફાર્મસ કો. ઓ. જીનીંગ એને પ્રેસીંગ સોસાયટીની કચેરીમાં રાખવામાં આવેલી હતી.

નહેર બંધ કરવા અંગેનો નિર્ણય સિંચાઈ સલાહકાર સમિતીમાં ચર્ચા થયા બાદ જાહેર કરવાનો હતો. નહેર બંધ કરતાં પહેલા એક વર્ષ પહેલા જાહેરાત કરી ખેડૂતોને વ્યક્તિગત જાણ કરવી જરુરી હોય છે. તેથી ખેડૂતો પોતાનાં ખેતરમાં વાવણી અંગેનાં આગોતરા આયોજન કરી શકે.

આવી કોઈપણ આગોતરી જાણ કર્યા સિવાય 1 ડિસેમ્બર 2025થી 90 દિવસ માટે નહેર બંધ કરવાથી ખેડૂતોનાં ખેતરના ખરીફ, રવી, તેમજ ઉનાળુ પાકોને નુકશાન થનાર છે. ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકશાની થવાની શકયતાઓ છે.આદિવાસી વિસ્તારના પૈસા માંથી ખર્ચ કરવાનો છે.

નહેરો તૂટવાથી કેટલા દિવસ નહેર બંધ કરી તેનો જવાબ મળી શકેલો નથી. વર્ષ 2ઔ13-14માં આ નહેરોની મરામત પેટે રૂા. 250 કરોડનો ખર્ચ કરવામા આવેલો હતો.

70 વર્ષે ન તૂટી, 10 વર્ણાં નહેર તૂટી

કાકરાપાર બંધની પાણીનો સંગ્રહ 1820 મીલીયન ઘનફૂટ છે. તેની નહેરો 70 વર્ષે ન તૂટી, નવી બની તે 10 વર્ષમાં ભંગાર બની ગઈ હતી. 8 વર્ષ પહેલાં માંડવીતાલુકાના તથા ઝંખવાવ રોડ નજીક આવેલા અંધાત્રી ગામમાં જમણા કાંઠા નહેરનું ધોવાણ થઈ ગયું હતું.

જમણા કાંઠા કાકરાપાર નહેરનું 10 વર્ષ પહેલા 2015માં સિમેન્ટ કોંકરીટથી બાંધવામાં આવી હતી. નહેરનું સમારકામ અને નવીનીકરણ ચાલતું હતું ત્યારે ખેડૂતોએ ભાજપની સરકારને ફરિયાદ કરી હતી કે, ઊતરતી કક્ષાનો સામાન વાપરીને ખરાબ કામ થઈ રહ્યું છે. માટીથી નહેરુના સમયમાં 1954માં 70 વર્ષ બનેલી નહેરો સલામત છે. ત્યારે ભાજપના સમયમાં બનેલી સિમેન્ટની નહેરો 10 વર્ષમાં તૂટી ગઈ હતી. હવે રૂ. 250 કરોડમાં સિંમેન્ટની નહેર બનશે તેની હાલત પણ એવી જ થશે.

નહેર ખરાબ બનાવવામાં આવી હોવાની ફરિયાદો છતાં નહેર ખાતાને સ્થિતિ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. માંડવી તાલુકાના અંધાત્રી ગામે કાકરાપાર જમણાકાંઠા કેનાલમાં થયેલુ ભંગાણ ફરી ખેડૂતોને હાલાકી સર્જી શકે તેમ હતું.

2024માં દાવો

કાકરાપાર નહેરથી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના 1034 ગામો સુધી હવે સિંચાઇનું પાણી પહોંચતું હોવાનો દાવો સરકારનો છે.
પાણી પુરવઠા રાજ્ય પ્રધાન મુકેશ પટેલે 2024માં વિધાનસભામાં જણાવ્યું હતું કે, કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના 1034 ગામોમાં 2 લાખ 65 હજાર 259 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે. ડાબા કાંઠા મુખ્ય નહેરની લંબાઈ કિલોમીટર અને વહનશક્તિ 3850 ક્યુસેક છે. જમણા કાંઠા મુખ્ય નહેરની લંબાઈ 64 કિલોમીટર અને વહનશક્તિ 3500 ક્યુસેક છે.

કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા 2480 ક્યુસેક હતી. તેમાં 1020 ક્યુસેકનો વધારો કરાયો હોવાનો દાવો કરાયો હતો. જેમાં રૂ. 386 કરોડનો ખર્ચ કરાયો હતો. વહનક્ષમતા વધવાથી સુરત અને ભરૂચ જિલ્લાના 8 તાલુકાના 313 ગામોના અંદાજે 1 લાખ 19 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈ વધારાની મળી હતી.

ખેડૂત સમાજ ગુજરાતનાં પ્રમુખ જયેશભાઇ પટેલ,સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક, ભરૂચનાં સહકારી અને ખેડૂત આગેવાન સંદીપભાઇ માંગરોલા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઇ પટેલ, ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી મહેંદ્રસિંહ કરમણીયા,  કામરેજ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ બળવંતભાઇ પટેલ, ખેડૂત આગેવાન વલ્લભભાઇ પટેલ, માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ દિનેશસિંહ,ચોર્યાસી તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ કલ્પેશભાઇ પટેલ, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ કેતનભાઈ દેસાઈ,એડવોકેટ રાજુભાઈ પરમાર હાજર હતા.

આ પણ વાંચો:  

PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”

Indian Citizen in US: અમેરિકામાં કુહાડીના ધડાધડ ઘા ઝીંકી બારડોલીના યુવકનું માથું ધડથી છૂટું કરી દેવાયું

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 7 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 2 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 4 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 15 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?