
Rajasthan: સીરપ હવે દવા નહીં પરતું ઝેર સાબિત થઈ રહ્યું છે. કફ સીરપ પીવાથી રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બાળકોના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. બંને રાજ્યોમાં નકલી કફ સિરપ પીવાથી 11 બાળકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સામે આવી છે. જેમાં મધ્યપ્રદેશના છિંદવાડામાં અત્યાર સુધીમાં કુલ 9 બાળકોના મોત થયા છે. તેમજ રાજસ્થાનના ભરતપુરમાં 2 વર્ષના બાળક અને સીકરમાં એક બાળકનું મોત થયું છે. આ રીતે રાજસ્થાનમાં 2 બાળકોના મોત થયા છે તેવામાં કફ સીરપનો વધુ એક ચોકાવનારો કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે. જેમાં એક ડૉક્ટરે, સીરપથી કોઈ નુકસાન નથી થતું તેવું સાબિત કરવાના પ્રયાસમાં, પોતે સીરપ પીધું, પરંતુ તે પણ બેભાન થઈ ગયો.
સીરપ પીવાથી બાળકોના થઈ રહ્યા છે મોત
આ સીરપ સંબંધિત પહેલો કેસ 22 સપ્ટેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો હતો. NDTVના અહેવાલ મુજબ, ભરતપુર નજીકના એક ગામમાં બે વર્ષનો સમ્રાટ જાટવ સીરપ પીધા પછી બેહોશ થઈ ગયો હતો. તેની માતા જ્યોતિએ જણાવ્યું હતું કે બાળકને ઉધરસ હતી અને તેણે સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી દવા લીધી હતી. સમ્રાટ ઉપરાંત, તેની બહેન સાક્ષી અને પિતરાઈ ભાઈ વિરાટે પણ સીરપ પીધી હતી. બે વર્ષના સમ્રાટને તેના પરિવાર દ્વારા ભરતપુરની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના ડોક્ટરોએ તેને જયપુરની જેકે લોન હોસ્પિટલમાં રિફર કર્યો, જ્યાં તેનું 22 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું. ત્યારે સીકર જિલ્લામાંથી બીજા બાળકના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવતા પરિવારને શંકા ગઈ.
Dextromethorphan Hydrobromide Syrup સીરપ શું છે?
નિષ્ણાતોના મતે, “ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ એ મુખ્યત્વે સૂકી ઉધરસ માટે સૂચવવામાં આવતી ઉધરસ દબાવનાર દવા છે. આ દવા મગજમાં ઉધરસ પ્રેરિત કરતા સંકેતોને અવરોધિત કરીને કામ કરે છે, દર્દીઓને રાહત પૂરી પાડે છે. તેનું પ્રાથમિક કાર્ય મગજમાં ઉધરસ પ્રેરિત કરતા સંકેતોને અવરોધિત કરવાનું છે, દર્દીઓને રાહત પૂરી પાડે છે.”
राजस्थान में जनता के सेहत के साथ बड़ा खिलवाड़ आया सामने। 🚨
भरतपुर में सरकार की मुफ्त दवा योजना के तहत दी जा रही खांसी की सिरप (Dextromethorphan HBr Syrup IP) पीने से एक बच्चा गंभीर रूप से बीमार हो गया।
सिरप को सुरक्षित साबित करने के लिए डॉ. ताराचंद योगी ने खुद भी सिरप पी… pic.twitter.com/UcSBBK9q0g
— Clear Nama (@Clear_Nama) October 2, 2025
સીરપ પીધા બાદ ડોક્ટરની પણ તબિયત લથડી
બાયનામાં, એક ડૉક્ટર પોતે આ સિરપ પીધા પછી બેભાન થઈ ગયો. અહેવાલો અનુસાર, ત્રણ વર્ષના ગગન કુમારને આ સિરપ આપવામાં આવ્યું હતું. તે પીધા પછી તે બીમાર પડી ગયો. જ્યારે પરિવાર તેને સ્થાનિક સમુદાય આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો, ત્યારે ઇન્ચાર્જ ડૉક્ટર તારાચંદ યોગીએ દવાની સલામતી સાબિત કરવા માટે તે જાતે પીધું. તેમણે એમ્બ્યુલન્સ ડ્રાઇવર રાજેન્દ્રને પણ ડોઝ આપ્યો. પરિણામે, યોગી આઠ કલાક પછી તેની કારમાં બેભાન મળી આવ્યો. રાજેન્દ્રને પણ લક્ષણોનો અનુભવ થયો, પરંતુ સારવારથી તે સ્વસ્થ થઈ ગયો.
રાજસ્થાન સરકારે કરી કાર્યવાહી
રાજસ્થાન સરકારે આ મામલે કાર્યવાહી કરી છે અને સીરપના 22 બેચ પર પ્રતિબંધ મૂક્યો છે. કેસન ફાર્માનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જયપુરની SMS હોસ્પિટલમાં સંગ્રહિત 8,200 બોટલનું વિતરણ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જુલાઈ 2023 થી, રાજ્યમાં સીરપની 133,000 બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે, અને તપાસ ચાલી રહી છે.
કંપનીને તાળું માર્યું
આજ તકનાના અહેવાલ મુજબ, આ કફ સિરપ કંપનીના માલિકે ફેક્ટરીને તાળું મારી દીધું છે. બધા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. સાવચેતીના પગલા તરીકે, સરકારે બધી કંપનીઓને ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ ક્ષાર ધરાવતા કફ સિરપનો પુરવઠો સ્થગિત કરી દીધો છે અને તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા









