Delhi: પૂર્વ CM કેજરીવાલનો બંગલો બનશે ગેસ્ટ હાઉસ, આ રહ્યું સૌથી મોટું કારણ!

  • India
  • October 5, 2025
  • 0 Comments

Delhi News: દિલ્હીની રેખા ગુપ્તા સકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે બનાવવામાં આવેલા બંગલાને ગેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. લાંબા સમયથી ભ્રષ્ટાચાર આરોપોના વિવાદમાં ફસાયેલા આ બંગલાને રાજ્યના અતિથિ ગૃહમાં રૂપાંતરિત કરાશે. કેજરીવાલ પર તેના નવીનીકરણ પર કરોડો રુપિયા ખર્ચવાનો આરોપ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સમાં ફ્લેગસ્ટાફ રોડ નંબર 6 પર આવેલા આ બંગલો હવે જાહેર જનતા માટે ખૂલ્લો મુકાઈ શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે બંગલામાં ટૂંક સમયમાં એક કાફેટેરિયા અથવા કેન્ટીન ખૂલશે, જેમાં અન્ય રાજ્ય ઇમારતોની જેમ પરંપરાગત ભારતીય ભોજન પીરસવામાં આવશે. આ કાફેટેરિયા પણ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકાર આ બંગલાને રાજ્ય અતિથિ ગૃહમાં વિકસાવવાના અંતિમ તબક્કામાં છે. હાલમાં આ બંગલો તપૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરીકે ખાલી પડેલો છે. આ યોજનામાં પાર્કિંગ જગ્યા, વેઇટિંગ હોલ અને અન્ય સુવિધાઓનું બાંધકામ પણ શામેલ છે.”

અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્ય ગેસ્ટ હાઉસની જેમ જ્યાં અધિકારીઓ અને મંત્રીઓ રહે છે અને નિશ્ચિત ફી ચૂકવે છે, આ બંગલો પણ એ જ પ્રકારનો હશે. જોકે, દરખાસ્ત લાગુ થાય તે પહેલાં ઉચ્ચ સ્તરે અંતિમ મંજૂરી હજુ પણ જરૂરી છે. હાલમાં આ બંગલાની દેખરેખ માટે લગભગ 10 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત છે, જે દરરોજ સફાઈ, જાળવણી અને વિદ્યુત ઉપકરણો (જેમ કે રેફ્રિજરેટર અને એસી) ચાલુ રાખે છે.

‘શીશ મહેલ’ વિવાદ પછી સરકારની નવી યોજના

નોંધનીય છે કે આ એ જ બંગલો છે જે કેજરીવાલ સરકારના કાર્યકાળ દરમિયાન તેના ખર્ચાળ નવીનીકરણને કારણે વિવાદમાં આવ્યો હતો. વિપક્ષ ખાસ કરીને ભાજપે, તેને “શીશ મહેલ” ગણાવીને નિશાન બનાવ્યું હતું અને કહ્યું હતું કે તેમની પાર્ટીનો મુખ્યમંત્રી ક્યારેય તેમાં રહેશે નહીં.

2022માંલેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના નિર્દેશ પર દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે બંગલાના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારા અંગે તપાસ શરૂ કરી હતી. આ કેસ હાલમાં સીબીઆઈ દ્વારા તપાસ હેઠળ છે, જે દિલ્હી વિધાનસભામાં તત્કાલીન વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2024 માં એલજી સક્સેનાને સુપરત કરવામાં આવી હતી.

સરકારી સૂત્રો કહે છે કે બંગલાને જાહેર ઉપયોગમાં લાવવાનો આ નિર્ણય મિલકતને ઉપયોગી અને વિવાદ મુક્ત બનાવવાની દિશામાં લેવામાં આવેલું એક પગલું છે.

કેજરીવાલે 45 કરોડનો ખર્ચ બંગાલા પાછળ કર્યો હતો: ભાજપ સરકારનો દાવો

ભાજપે કેજરીવાલ પર બંગલાના નવીનીકરણ પર વધુ પડતો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે બંગલાના બાંધકામ પર આશરે 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલમાં 2022 સુધીમાં કુલ ખર્ચ આશરે 33.86 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો: 

કેજરીવાલ ગુજરાત મુલાકાતે, ખેડૂતોના કપાસને લઈ કેમ છે ચિંતત?, જુઓ | Arvind Kejriwal

દિલ્હી કોર્ટે જાહેર ભંડોળના દુરુપયોગ બદલ કેજરીવાલ સામે FIR નોંધવા આપ્યો આદેશ

કેજરીવાલની કાર પર પથ્થરમારો: દિલ્હીમાં પ્રચાર દરમિયાન બની ઘટના

Related Posts

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
  • August 4, 2026

Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

Continue reading
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ