Delhi: પૂર્વ CM કેજરીવાલનો બંગલો બનશે ગેસ્ટ હાઉસ, આ રહ્યું સૌથી મોટું કારણ!

  • India
  • October 5, 2025
  • 0 Comments

Delhi News: દિલ્હીની રેખા ગુપ્તા સકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે બનાવવામાં આવેલા બંગલાને ગેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. લાંબા સમયથી ભ્રષ્ટાચાર આરોપોના વિવાદમાં ફસાયેલા આ બંગલાને રાજ્યના અતિથિ ગૃહમાં રૂપાંતરિત કરાશે. કેજરીવાલ પર તેના નવીનીકરણ પર કરોડો રુપિયા ખર્ચવાનો આરોપ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સમાં ફ્લેગસ્ટાફ રોડ નંબર 6 પર આવેલા આ બંગલો હવે જાહેર જનતા માટે ખૂલ્લો મુકાઈ શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે બંગલામાં ટૂંક સમયમાં એક કાફેટેરિયા અથવા કેન્ટીન ખૂલશે, જેમાં અન્ય રાજ્ય ઇમારતોની જેમ પરંપરાગત ભારતીય ભોજન પીરસવામાં આવશે. આ કાફેટેરિયા પણ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકાર આ બંગલાને રાજ્ય અતિથિ ગૃહમાં વિકસાવવાના અંતિમ તબક્કામાં છે. હાલમાં આ બંગલો તપૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરીકે ખાલી પડેલો છે. આ યોજનામાં પાર્કિંગ જગ્યા, વેઇટિંગ હોલ અને અન્ય સુવિધાઓનું બાંધકામ પણ શામેલ છે.”

અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્ય ગેસ્ટ હાઉસની જેમ જ્યાં અધિકારીઓ અને મંત્રીઓ રહે છે અને નિશ્ચિત ફી ચૂકવે છે, આ બંગલો પણ એ જ પ્રકારનો હશે. જોકે, દરખાસ્ત લાગુ થાય તે પહેલાં ઉચ્ચ સ્તરે અંતિમ મંજૂરી હજુ પણ જરૂરી છે. હાલમાં આ બંગલાની દેખરેખ માટે લગભગ 10 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત છે, જે દરરોજ સફાઈ, જાળવણી અને વિદ્યુત ઉપકરણો (જેમ કે રેફ્રિજરેટર અને એસી) ચાલુ રાખે છે.

‘શીશ મહેલ’ વિવાદ પછી સરકારની નવી યોજના

નોંધનીય છે કે આ એ જ બંગલો છે જે કેજરીવાલ સરકારના કાર્યકાળ દરમિયાન તેના ખર્ચાળ નવીનીકરણને કારણે વિવાદમાં આવ્યો હતો. વિપક્ષ ખાસ કરીને ભાજપે, તેને “શીશ મહેલ” ગણાવીને નિશાન બનાવ્યું હતું અને કહ્યું હતું કે તેમની પાર્ટીનો મુખ્યમંત્રી ક્યારેય તેમાં રહેશે નહીં.

2022માંલેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના નિર્દેશ પર દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે બંગલાના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારા અંગે તપાસ શરૂ કરી હતી. આ કેસ હાલમાં સીબીઆઈ દ્વારા તપાસ હેઠળ છે, જે દિલ્હી વિધાનસભામાં તત્કાલીન વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2024 માં એલજી સક્સેનાને સુપરત કરવામાં આવી હતી.

સરકારી સૂત્રો કહે છે કે બંગલાને જાહેર ઉપયોગમાં લાવવાનો આ નિર્ણય મિલકતને ઉપયોગી અને વિવાદ મુક્ત બનાવવાની દિશામાં લેવામાં આવેલું એક પગલું છે.

કેજરીવાલે 45 કરોડનો ખર્ચ બંગાલા પાછળ કર્યો હતો: ભાજપ સરકારનો દાવો

ભાજપે કેજરીવાલ પર બંગલાના નવીનીકરણ પર વધુ પડતો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે બંગલાના બાંધકામ પર આશરે 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલમાં 2022 સુધીમાં કુલ ખર્ચ આશરે 33.86 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો: 

કેજરીવાલ ગુજરાત મુલાકાતે, ખેડૂતોના કપાસને લઈ કેમ છે ચિંતત?, જુઓ | Arvind Kejriwal

દિલ્હી કોર્ટે જાહેર ભંડોળના દુરુપયોગ બદલ કેજરીવાલ સામે FIR નોંધવા આપ્યો આદેશ

કેજરીવાલની કાર પર પથ્થરમારો: દિલ્હીમાં પ્રચાર દરમિયાન બની ઘટના

Related Posts

 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri
  • November 11, 2025

Dhirendra Shastri: બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘સનાતન હિંદુ એકતા પદયાત્રા’ દરમિયાન આપેલું એક હળવું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈને વિવાદાસ્પદ બન્યું છે. શાસ્ત્રીજી, જેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવાની મહત્વાકાંક્ષા…

Continue reading
Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા
  • November 11, 2025

Delhi Blast: ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા કરાયેલા દરોડા બાદ ડૉ. પરવેઝ અંસારીનું સહારનપુર સાથેનું કનેક્શન બહાર આવ્યું છે. પરવેઝ અંસારીના ઘરેથી મળી આવેલી કાર સહારનપુર RTOમાં નોંધાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

  • November 11, 2025
  • 2 views
“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

  • November 11, 2025
  • 13 views
Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

  • November 11, 2025
  • 14 views
 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

  • November 11, 2025
  • 18 views
Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

  • November 11, 2025
  • 18 views
Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

  • November 11, 2025
  • 12 views
 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક