શું આ છે સનાતની સંસ્કાર?, CJI પર બૂટ ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલે કહ્યું ‘મને કોઈ પસ્તાવો નથી!’

સોમવારે સુપ્રીમ કોર્ટમાં વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સવારના સત્ર દરમિયાન તે વકીલે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા તે વકીલને તાત્કાલિક કોર્ટરૂમની બહાર લઈ જવામાં આવ્યા. ત્યારે હુમલાની દેશભરમાં ભારે ટીકા થઈ રહી છે. કારણ કે ન્યાયના મંદિરમાં આવી હુમલાની ઘટના બને તો સમાન્ય જગ્યાઓએ શું સ્થિતિ થશે હશે?,

આ પછી બાર કાઉન્સિલે સોમવારે તાત્કાલિક અસરથી કેસના આરોપી વકીલ રાકેશ કિશોરને સસ્પેન્ડ કરી દીધા. CJI એ કોર્ટરૂમમાં હાજર કોર્ટ અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને ઘટનાને અવગણવા અને દોષિત વકીલ રાકેશ કિશોરને ચેતવણી આપ્યા પછી જવા દેવા કહ્યું.

હુમલા પાછળું શું છે કારણ?

રાકેશ કિશોરનો આ ક્રોધ સીજેઆઈ બી.આર. ગવાઈના 16 સપ્ટેમ્બર, 2025ના રોજના ટિપ્પણીઓથી ઉદ્ભવ્યો હતો. તે દિવસે સુપ્રીમ કોર્ટની બેન્ચ (સીજેઆઈ ગવાઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની અધ્યક્ષતામાં)એ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં જવારી મંદિરમાં નુકસાન પામેલા ભગવાન વિષ્ણુની સાત ફૂટના મૂર્તિના પુનર્નિર્માણ અને પુનઃસ્થાપના માટે દાખલ કરાયેલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ)ને નકારી કાઢી હતી. કોર્ટે તેને “પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન” ગણાવીને નકારી દીધી હતી, કારણ કે આ મુદ્દો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારક્ષેત્રમાં આવે છે.

સીજેઆઈ કહ્યું હતુ કેૃ “આ શુદ્ધપણે પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન છે… જાઓ અને દેવતાને જ પૂછો કે તે કંઈક કરે. જો તમે કહો છો કે તમે લોર્ડ વિષ્ણુના મજબૂત ભક્ત છો, તો તમે પ્રાર્થના કરો અને ધ્યાન કરો.” આ ટીપ્પણી બાદ વકીલ રાકેશ કિશોરે હુમલાનો પ્રયાસ કર્યો.

મને કોઈ પસ્તાવો નથી: જૂતું ફેંકનાર વકીલ

વકીલે કહ્યું કે ઉચ્ચ પદ ઉપર બેઠેલા ન્યાયાધીશ ગરિમા ચુક્યા છે તેઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે જેનું મને દુઃખ છે! સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોરે કહ્યું છે કે તેમને પોતે કરેલા કૃત્ય માટે કોઈ અફસોસ નથી. તેમણે કહ્યું, “CJI એ પોતાની ટિપ્પણીથી સનાતન ધર્મની મજાક ઉડાવી. તેમની ટિપ્પણીથી મને દુઃખ થયું છે.”

પોતાની નારાજગી વ્યક્ત કરતા વકીલ રાકેશ કિશોરે કહ્યું કે જ્યારે પણ સનાતન ધર્મ સંબંધિત કોઈ કેસ આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ આવા આદેશો આપે છે. મહત્વનુ છે કે સીજેઆઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યા બાદ આરોપી એડવોકેટ રાકેશ કિશોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વકીલ રાકેશ કિશોરે કહ્યું, હું નશામાં નહોતો તેમની કાર્યવાહી સામે મારી પ્રતિક્રિયા હતી. મેં જે કર્યું તેનો ન તો મને ડર લાગે છે કે ન તો પસ્તાવો થાય છે.

બીજી તરફ વકીલની આ હરકતનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે સનાતન ધર્મ કોર્ટમાં આ રીતે હુમલાનો પ્રયાસ કરવાનું શીખવાડતો નથી. એક વકીલ થઈને આવા હુમલાનો પ્રયાસ કરે તે કેટલું યોગ્ય કહેવાઈ?

ત્યારે આ જ મુદ્દે જુઓ વીડિયો

આ પણ વાંચો: 

‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરું’, સુપ્રીમ કોર્ટમાં વકીલે CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો | CJI B.R. Gavai | Supreme Court

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

Lucknow: લખનૌનો સૌરભ સિંહ ‘જાનવર’ નીકળ્યો, શૌચ કરવા ગયેલી મહિલાના મોંમાં ડૂચો મારી કર્યું ખરાબ કામ, વિરોધ કરતાં…

Surat: ભાડાના મકાનમાં મહિલાએ જીવન ટૂંકાવી લેવા મામલે મોટો ખૂલાસો, મકાન માલિકનો ભાઈ મહિલાને…

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Gujarat Model: બોલ બચ્ચન કરતા મૌન રહેતો વડાપ્રધાન સારો! મોદી એ સાબિત કરી દીધું

  • June 18, 2026
  • 3 views
Narendra Modi Gujarat Model: બોલ બચ્ચન કરતા મૌન રહેતો વડાપ્રધાન સારો! મોદી એ સાબિત કરી દીધું

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 5 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 6 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 7 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 12 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 11 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે