વૃધ્ધો માટે અમદાવાદ સિવિલમાં અલાયદી વ્યવસ્થા, 10 હજાર દર્દીઓએ લીધો લાભ

  • Gujarat
  • January 12, 2025
  • 0 Comments

સમાજના વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકોના આપણા એક ધરોહર સમા છે. ત્યારે ઢળતી ઉંમરના પરિણામે જ્યારે આ વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે તે માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલે ખાસ પહેલ કરી છે.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલગથી જ વ્યવસ્થા કરી કરી છે. સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષનો શુભારંભ વર્ષ 2024ના જૂન માસમાં 72 વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો હતો. જેની સફળતાને આજે 6 મહિના કરતાં પણ વધુ સમય થયો છે. જેમાં અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે સ્પેશિયલ સિનિયર સિટિઝન માટે બનાવેલા કક્ષનો 10 હજાર દર્દીઓએ લાભ લીધો છે.

આ પણ વાંચોઃ  પાયલ ગોટી મુદ્દે રુપાલાનું મોટું નિવેદનઃ કહ્યું પોલીસે ખોટી ઉતાવળ કરી!

હોસ્પિટલની અલાયદી વ્યવસ્થા હોવાના કારણે સિનિયર સિટીઝન દર્દીઓને કોઈપણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડતું નથી. અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિક્તા આપવાની ગાઇડલાઈનને વધું અસરકારક રીતે અમલી કરી શકાય અને આવા દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખી સુવિધા ઊભી કરવામા આવી છે.

સિનિયર સિટિઝન્સને મળી છે આવી સુવિધાઓ?

ઓપીડીમાં 40 ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાનાં પાણીના કૂલરની સુવિધા સાથેનો રૂમ છે. સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોકટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં વૃધ્ધોની સારી રીતે સરભરા કરવામાં આવતી હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે. દર્દી દાખલ અને રજા આપવામાં આવે ત્યા સુધી પૂરતી કાળજી લેવામાં આવે છે. હોસ્પિટલ તંત્રને છેલ્લે દર્દીઓ આશીર્વાદ આપતાં જાય છે. સારવાર મેળવીને ઘરે જતા વયસ્કો એક સૂરે કહે છે “સુખી થાજો, સર્વનું કલ્યાણ થાય.

 સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ ડૉ. રાકેશ જોષીએ શું કહ્યું?

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 10 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી