UP Crime: 23 વર્ષિય અંજલિના થયા હતા નવા લગ્ન!, ગળું કાપી પ્રેમીએ ઉતારી મોતને ઘાટ, જાણો હચમચાવી નાખતી ઘટના

  • India
  • October 10, 2025
  • 0 Comments

UP Crime: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના સિરાથુ શહેરમાં એક દિવસ પહેલા જ લગ્ન કરનાર મહિલાની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને અંજામ મૃતકના પ્રેમી બલવીર સિંહ પટેલ જ આપ્યો છે. શુક્રવારે સવારે પોલીસ અને SOG ની સંયુક્ત ટીમે આરોપી બલવીરને એન્કાઉન્ટર દરમિયાન ધરપકડ કરી હતી. એન્કાઉન્ટરમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી અને તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બુધવારે સાંજે અંજલી પટેલ તેના ઘરે એકલી હતી ત્યારે બાઇક સવાર ગુનેગારોએ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું હતું, જેનાથી તેની હત્યા થઈ ગઈ હતી. ગુનો કર્યા પછી આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

શું મામલો છે?

આ ઘટના સૈની કોતવાલી વિસ્તારના સિરાથુ શહેરમાં આવેલા વોર્ડ નંબર 11, કાનુન્ગો કા પૂર્વામાં બની છે. 23 વર્ષીય અંજલી પટેલના લગ્ન ફક્ત છ મહિના પહેલા જ દિલીપ પટેલ સાથે થયા હતા. બુધવારે સાંજે જ્યારે આ ઘટના બની ત્યારે તે ઘરે એકલી હતી. એક યુવકે અંજલીના ઘરમાં તીક્ષ્ણ હથિયારથી ઘૂસીને તેના ગળામાં અનેક ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘટના સમયે અંજલીના સાસરિયાઓ ખેતરમાં ડાંગર કાપતા હતા અને તેનો પતિ દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

તૂટેલા લગ્નજીવનની અદાવતને કારણે હત્યા

ડીએસપી સિરાથુ સત્યેન્દ્ર તિવારીના જણાવ્યા અનુસાર અંજલિ પટેલ લગ્ન પહેલા બલવીર સિંહ પટેલ સાથે પ્રેમ સંબંધમાં હતી. બલવીર કહે છે કે તેમના બંન્નેના લગ્ન પણ નક્કી થયા હતા. પરંતુ કોઈ કારણોસર સંબંધ તોડી નાખવામાં આવ્યો હતો અને અંજલિએ બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા. આનાથી ગુસ્સે થઈને બલવીરે મોતને ઘાટ ઉતારી.

પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી તીક્ષ્ણ છરી, એક ગેરકાયદેસર પિસ્તોલ, બે જીવતા કારતૂસ, મૃતકનો મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલ બાઇક જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બલવીરે હત્યાનું આયોજન કર્યું હતું અને તેને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસ

ડીએસપીએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પોલીસ આ ઘટનામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

UP: પ્રેમ, વિશ્વાસઘાત અને બ્લેકમેલ, 55 વર્ષિય મહિલાની પ્રેમજાળમાં ફસાઈ ગયો યુવાન, શારીરિક સંબંધો બનાવ્યા, પછી બચવા…

Maharashtra: એકના ડબલ કરવામાં 72 વર્ષિય વૃદ્ધ ફસાયા, 1 કરોડથી વધુની છેતરપીંડી કેવી રીતે થઈ?

Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?

Ahmedabad: બોનસ લેવા જતાં પોલીસની દિવાળી બગાડી, ACB એ કર્યા જેલભેગા, જાણો ઘટના

UP: ‘મારી વેવાણનું મારા પુત્ર સાથે અફેર હતુ’, સાસુના પ્રેમમાં ડૂબેલા જમાઈએ પત્નીને પતાવી દીધી, હચમચાવી નાખતી ઘટના

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત