
Gujarat politics: ભાજપમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ બદલાતાની સાથે જ હવે ગુજરાતમાં ભાજપનાં નેતાઓમાં અંદરો-અંદર વિખવાદ સપાટી ઉપર આવી રહ્યો છે અને
આજે સિદ્ધપુરમાં નવ નિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા કાર્યક્રમ સ્થળે ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોર અને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ સાથે વચ્ચે જામી પડતા ભારે હંગામો મચી ગયો હતો આ મામલો ગરમાતા ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગઈ કાલથી રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કર્યો છે,જગદીશ વિશ્વકર્મા 10 થી 17 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાના છે પણ જગદીશ ભાઈની વરણી બાદ ભાજપમાં જૂથવાદની ઘટનાઓ સામે આવી રહી છે અને આવી ઉપરા-ઉપરી એક નહિ પણ ત્રણ ઘટનાઓ બની છે જેના વીડિયો વાયરલ થઈ રહયા છે જે ગુજરાત ભાજપમાં અસંતોષ અને જૂથવાદની ગવાહી પુરી રહયા છે અને ઢોલ વગાડી વગાડીને જાણે કહી રહયા છે કે આતો હજુ શરુઆત છે ત્યારે જગદીશ ભાઈ માટે કપરાં ચડાણ સાબિત થવાના હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અગાઉ પાર્ટીમાં શિસ્તનું નામ આગળ કરી જે રીતે જાહેરમાં બબાલ થાયજ નહિ અને પાર્ટીની ઇમેજ ડેમેજ ન થાય કંટ્રોલ હતો તેવો માહોલ હવે રહ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ભાજપના બે નેતાઓ દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા ભાજપ કાર્યાલયમાં જ બાખડયા હતા જે મારામારી અને ગાળાગાળીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો અને તે પૈકીના એક નેતા દ્વારા તો હવે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ આ મામલો હજુ ચર્ચામાં છે ત્યાંજ રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે પણ થયેલી માથાકૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે અહીં મેયર નયના પેઢડિયા અને MLA દર્શિતા શાહ વચ્ચે દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામ લખવા મામલે આ બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે જેનો વીડિયો પણ વાયરલ થયો છે, દર્શિતા શાહે પત્રિકામાં માત્ર પોતાનું નામ લખવા કહ્યું હતું તેમ છતા મેયરે પાલન કર્યું ન હોવાનો દાવો મેયર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરીણામે ભાજપમાં આંતરીક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે.
અગાઉ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 2023માં તેમની ટર્મ પૂરી કર્યા બાદ પણ ભાજપ તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તે નક્કી નહિ કરી શકતા પાટીલને બે વખત ઍક્સ્ટેન્શન અપાયું હતુ પણ ત્યારબાદ ભાજપ જગદીશ વિશ્વકર્માની પસંદગી કરીને ભાજપે એક કાંકરે ઘણા પક્ષી મારવાનો દાવતો રમ્યો છે, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે તેમના માટે આગળનો માર્ગ એટલો સરળ નહીં હોય.
જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં ભલે વારંવાર ચૂંટાયા હોય ત્યાં વર્ચસ્વ હોય પણ સૌરાષ્ટ્ર-કચ્છ માટે તેઓ સાવ નવી વ્યક્તિ છે.આ ઉપરાંત તેઓ સંગઠનના માણસ નથી પરિણામે અનુભવની દ્રષ્ટિએ પણ થોડું કઠિન રહેશે. હાઇકમાન્ડના આગ્રહથી તેમની નિમણૂક થઈ હોય તેવું વિશ્લેષકો માને છે.”જગદીશ વિશ્વકર્મા ભલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય છતાં તેઓ સંગઠનના માણસ નથી તેથી રાજકીય દાવપેચ મામલે ઘણું શીખવું પડશે કારણ કે ભાજપમાં અલગ અલગ લૉબીનો જૂથવાદ છે, તેવામાં કાર્યકરોને સંગઠીત રાખવા અને નેતાઓને ખુશ રાખવાનો પડકાર પણ છે.
કેટલાક વિશ્લેષકોના મતે કહેવાય છે કે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી અગાઉ અમિત શાહ સી. આર. પાટીલને મળ્યા હતા અને ત્યાર પછી જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું હતું તેથી તે વખતે એક એવી પણ ચર્ચા ચાલી હતી કે પાટીલને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના નામ સામે વાંધો હોઈ શકે, જેના કારણે ગૃહમંત્રી અમિત શાહે સી. આર. પાટીલને મળવા જવું પડ્યું હોય..ખેર,આ બધી ચર્ચાઓ વચ્ચે ગુજરાત ભાજપમાં જુદા જુદા સ્થળે જે રીતે આંતરીક અસંતોષ કે જૂથવાદ અને ખુલ્લેઆમ મારમારીની જે રીતે ઘટનાઓ બની રહી છે તે જોતાં ‘જગદીશ ભાઈ’ હવે આ બધું કઈ રીતે મેનેજ કરશે?તે એક સવાલ છે.
આ પણ વાંચો:
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”









