Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ કુમારે 7 ઓક્ટોબરે આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. આપઘાત બાદ રવિવારે સેક્ટર 20 સ્થિત રવિદાસ મંદિરમાં 36 અનુસૂચિત જાતિ સંગઠનોએ મહાપંચાયત બોલાવી હતી.

મહાપંચાયત દરમિયાન સંગઠનના તમામ નેતાઓએ સર્વાનુમતે હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન કપૂરને હટાવવા અને ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં. મહાપંચાયત બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. ચંદીગઢ ઉપરાંત, પંજાબ અને હરિયાણાના અનેક સંગઠનોએ પણ ભાગ લીધો હતો.

રાજ્ય સરકાર, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીના રાજકીય સલાહકારો અને અમલદારોનું દબાણ છતાં પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નથી. પૂરણ કુમારનો મૃતદેહ 7 ઓક્ટોબરથી શબઘરમાં પડ્યો છે, પરિવારની સંમતિની રાહ જોવાઈ રહી છે.

ચંદીગઢ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ

લગભગ ત્રણ કલાક ચાલેલી મહાપંચાયત બાદ ચંદીગઢ વહીવટીતંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ચેતવણી આપવામાં આવી હતી કે જો ચંદીગઢ પોલીસ આરોપી અધિકારીઓની ધરપકડ નહીં કરે, તો વિરોધ વધુ તીવ્ર બનાવવામાં આવશે. સંગઠનના નેતાઓએ કહ્યું કે તેઓ ચંદીગઢ પ્રશાસકને માંગણીઓનું એક મેમોરેન્ડમ સુપરત કરશે.

પૂરણ કુમારે તેમની 8-9 પાનાની સુઈસાઈડ નોટમાં માનસિક ત્રાસ, જાતિ આધારિત ભેદભાવ (કાસ્ટ ડિસ્ક્રિમિનેશન) અને પ્રશાસનિક અન્યાયના આરોપો લગાવ્યા હતા. તેમણે IPS અને IAS અધિકારીઓ (સર્વિસમાં અને રિટાયર્ડ)ના નામ લઈને તેમને જવાબદાર ઠેરવ્યા હતા.

ત્યારે આ જ મુદ્દે જુઓ વધુ  વીડિયોમાં ચર્ચા

આ પણ વાંચો:

UP: ‘માનવતા અને ન્યાયની હત્યા’, રાયબરેલીમાં દલિત યુવક સાથે થયેલી ક્રૂરતા અંગે કોંગ્રેસના યોગી સરકાર પર પ્રહાર

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય

Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Kerala: 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે મોત વ્હાલુ કર્યું, RSS ના “એનએમ” નામના સભ્ય પર શારિરીક શોષણનો આરોપ
  • October 12, 2025

Kerala Software Engineer Suicide: કેરળના તિરુવનંતપુરમમાં 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ આજીએ RSSના સભ્યોના શારિરીક શોષણના ત્રાસથી આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. ગુરુવારે જે દિવસે થમ્પાનૂર વિસ્તારમાં એક પર્યટક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 2 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?