Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ કુમારે 7 ઓક્ટોબરે આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. આપઘાત બાદ રવિવારે સેક્ટર 20 સ્થિત રવિદાસ મંદિરમાં 36 અનુસૂચિત જાતિ સંગઠનોએ મહાપંચાયત બોલાવી હતી.

મહાપંચાયત દરમિયાન સંગઠનના તમામ નેતાઓએ સર્વાનુમતે હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન કપૂરને હટાવવા અને ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં. મહાપંચાયત બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. ચંદીગઢ ઉપરાંત, પંજાબ અને હરિયાણાના અનેક સંગઠનોએ પણ ભાગ લીધો હતો.

રાજ્ય સરકાર, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીના રાજકીય સલાહકારો અને અમલદારોનું દબાણ છતાં પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નથી. પૂરણ કુમારનો મૃતદેહ 7 ઓક્ટોબરથી શબઘરમાં પડ્યો છે, પરિવારની સંમતિની રાહ જોવાઈ રહી છે.

ચંદીગઢ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ

લગભગ ત્રણ કલાક ચાલેલી મહાપંચાયત બાદ ચંદીગઢ વહીવટીતંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ચેતવણી આપવામાં આવી હતી કે જો ચંદીગઢ પોલીસ આરોપી અધિકારીઓની ધરપકડ નહીં કરે, તો વિરોધ વધુ તીવ્ર બનાવવામાં આવશે. સંગઠનના નેતાઓએ કહ્યું કે તેઓ ચંદીગઢ પ્રશાસકને માંગણીઓનું એક મેમોરેન્ડમ સુપરત કરશે.

પૂરણ કુમારે તેમની 8-9 પાનાની સુઈસાઈડ નોટમાં માનસિક ત્રાસ, જાતિ આધારિત ભેદભાવ (કાસ્ટ ડિસ્ક્રિમિનેશન) અને પ્રશાસનિક અન્યાયના આરોપો લગાવ્યા હતા. તેમણે IPS અને IAS અધિકારીઓ (સર્વિસમાં અને રિટાયર્ડ)ના નામ લઈને તેમને જવાબદાર ઠેરવ્યા હતા.

ત્યારે આ જ મુદ્દે જુઓ વધુ  વીડિયોમાં ચર્ચા

આ પણ વાંચો:

UP: ‘માનવતા અને ન્યાયની હત્યા’, રાયબરેલીમાં દલિત યુવક સાથે થયેલી ક્રૂરતા અંગે કોંગ્રેસના યોગી સરકાર પર પ્રહાર

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય

Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ

Related Posts

Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?
  • February 7, 2026

● અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને આમેય દેશ નિકાલ કરી શકાય પણ હાથકડી બાંધી બંધક બનાવી અપમાનિત કરીને અમાનવીય વર્તન કેમ ?ઉઠયા સવાલ Donald Trump: એક તરફ ટ્રમ્પ ભારત અને નરેન્દ્ર…

Continue reading
Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.
  • February 7, 2026

Rahul Gandhi: રાહુલ ગાંધી એ જ સૂત્ર બોલતા રહ્યા. જ્યારે પત્રકારોએ તેમને રાજ્યસભામાં પીએમ મોદીના આરોપો વિશે પૂછ્યું તો રાહુલ ગાંધીએ એકજ લાઈનમાં જવાબ આપ્યો કે, “જો ઉચિત સમજો વો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kandla Salt Flats: ભાજપના રાજમાં કતલખાનાનો વિકાસ! પશુઓની નિર્મમ હત્યા માટે ભાજપના ઈરાદા સામે આવ્યા! જુઓ વિશેષ અહેવાલ

  • February 7, 2026
  • 3 views
Kandla Salt Flats: ભાજપના રાજમાં કતલખાનાનો વિકાસ! પશુઓની નિર્મમ હત્યા માટે ભાજપના ઈરાદા સામે આવ્યા! જુઓ વિશેષ અહેવાલ

Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?

  • February 7, 2026
  • 5 views
Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?

Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.

  • February 7, 2026
  • 4 views
Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.

Donald Trump: અમેરિકા-ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરશે! ઈરાન છોડી દેવા અમેરિકનોને ટ્રમ્પનું અલ્ટીમેટમ

  • February 7, 2026
  • 5 views
Donald Trump: અમેરિકા-ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરશે! ઈરાન છોડી દેવા અમેરિકનોને ટ્રમ્પનું અલ્ટીમેટમ

Kandla salt flats: કચ્છના 5 હજાર હેક્ટરમાં ભ્રષ્ટાચારનો ખેલ કરનારા કોણ?જુઓ વિડીયો

  • February 7, 2026
  • 4 views
Kandla salt flats: કચ્છના 5 હજાર હેક્ટરમાં ભ્રષ્ટાચારનો ખેલ કરનારા કોણ?જુઓ વિડીયો

Donald Trump: અમેરિકાનો પરમાણુ સંધિનો આવ્યો અંત, શું રશિયાનું વર્ચસ્વ ઘટશે?

  • February 6, 2026
  • 5 views
Donald Trump: અમેરિકાનો પરમાણુ સંધિનો આવ્યો અંત, શું રશિયાનું વર્ચસ્વ ઘટશે?