Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

Iran War: ઈરાન ઉપર એક તરફી હુમલો થયાનું વિશ્વભરના લોકો કહી રહયા છે કારણકે જે પરમાણુ મામલે વાટાઘાટો કરવા તૈયાર હતા છતાં હુમલો થયો તે વાત સૌને વધારે પડતી લાગી રહી છે.ઈરાન કેમ અમેરિકા, ઈઝરાયેલ સહિત અન્ય મુસ્લિમ દેશોને પસંદ ન હતું તે વાત હવે સામે આવી રહી છે.

ઈરાનમાં કુલ નાગરિક મૃત્યુઆંક 742 થઈ ગયો છે જેમાં 176 બાળકોનો ભોગ લેવાયો છે જ્યારે 750 નાગરિકો ઘાયલ થયા છે,ઈઝરાયેલ અને અમેરિકાએ નિર્દયતાથી સ્કૂલ ઉપર પણ બૉમ્બ વરસાવ્યા છેઈરાનની મિનબની ગર્લ્સ સ્કૂલ પર મિસાઈલ પડી તેમાં 100થી વધુ બાળાઓના મોત થયા. આ સમાચારે વિશ્વને હચમચાવી દીધુ છે આ નિર્દોષ બાળકોનો શુ વાંક હતો?

બીજી તરફ હવે સવાલો ઉઠતા અમેરિકા દાવો કરી રહ્યું છે કે ઈરાનની ન્યુક્લિયર કેપિસિટી અને પ્રોક્સી હુમલાઓ રોકવા માટે તેઓએ યુદ્ધ છેડ્યું હવે અમેરિકાની સંસદમાં જ તેઓ સામે સવાલ ઉઠી રહ્યા છે કે શુ ઈરાન હુમલો કરશે એવી માહિતી હતી? જો ન હતી તો પ્રિવેન્ટીવ વોરના નિયમથી અમેરિકાએ યુદ્ધ છેડી દેવું કેટલું યોગ્ય કહેવાય? જો આ મામલે ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસ્ટ સુધી પહોંચશે તો વર્લ્ડ ઓર્ડરમાં નવા માપદંડો પણ ઉભા થઈ શકે છે.

કારણ કે સવાલ ઉભો થાય છે કે એક દેશને પરમાણું કાર્યક્રમની આશંકાના આધારે સ્ટ્રાઈક કરવાની છૂટ મળી જાય? આ બહુ ગંભીર સ્થિતિ છે.આજે ઇઝરાયલ, અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધનો ચોથો દિવસ છે. દરમિયાન, આજે સોમવારે રાત્રે ઓસ્ટ્રેલિયામાં એશિયન મહિલા ફૂટબોલ કપના ઉદ્ઘાટન મેચમાં ઇરાની મહિલા ટીમે પોતાનું રાષ્ટ્રગીત ગાયું ન હતું. ખેલાડીઓ લાઇનમાં ઉભા રહ્યા, પરંતુ રાષ્ટ્રગીત દરમિયાન મૌન રહ્યા અને સીધા આગળ જોતા રહ્યા.ટીમના કોચ, મરઝીહ જાફરી પણ તેમના ખેલાડીઓના મૌન પર હસતા હતા.આ પગલાને તાજેતરના યુએસ-ઇઝરાયલી હુમલાઓ અને ઇરાની નેતાઓના મૃત્યુના વિરોધ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ટીમના કેપ્ટન ઝહરા ઘનબારી અને કોચને મીડિયા દ્વારા ખામેનીના મૃત્યુ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમને જવાબ આપવાની મંજૂરી આપવામાં આવી નહોતી.આમ વિશ્વભરમાં હવે ઈરાન ઉપર અત્યાચાર મામલો ચર્ચામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને વરિષ્ઠ પત્રકાર ડો.રાકેશ પાઠકે પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AAP Saurabh Bhardwaj FIR: નાબાલિક રેપ પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ

  • June 2, 2026
  • 3 views
AAP Saurabh Bhardwaj FIR: નાબાલિક રેપ પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ

Amitabh Jhunjhunwala RCom Arrest: ૬,૦૦૦ કરોડના બેંક લોન કૌભાંડમાં અમિતાભ ઝુનઝુનવાલાની ધરપકડ

  • June 2, 2026
  • 6 views
Amitabh Jhunjhunwala RCom Arrest: ૬,૦૦૦ કરોડના બેંક લોન કૌભાંડમાં અમિતાભ ઝુનઝુનવાલાની ધરપકડ

Congress To BJP Defection: વિચારધારાનું વેચાણ અને જનાદેશની હરાજી! કોંગ્રેસમાંથી BJPમાં ગયેલા નેતાઓનો હિસાબ-કિતાબ

  • June 2, 2026
  • 8 views
Congress To BJP Defection: વિચારધારાનું વેચાણ અને જનાદેશની હરાજી! કોંગ્રેસમાંથી BJPમાં ગયેલા નેતાઓનો હિસાબ-કિતાબ

Abhijit Dipke Protest Delhi: CJP ના સ્થાપક અભિજીત દીપકે 6 જૂને ભારત પરત ફરશે, શિક્ષણ મંત્રીના રાજીનામા માટે દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધની જાહેરાત

  • June 1, 2026
  • 7 views
Abhijit Dipke Protest Delhi: CJP ના સ્થાપક અભિજીત દીપકે 6 જૂને ભારત પરત ફરશે, શિક્ષણ મંત્રીના રાજીનામા માટે દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધની જાહેરાત

Pawan Kalyan Sena Galam: આંધ્રના ૩૫% યુવા મતદારોને રીઝવવા જન સેના મેદાને!

  • June 1, 2026
  • 13 views
Pawan Kalyan Sena Galam: આંધ્રના ૩૫% યુવા મતદારોને રીઝવવા જન સેના મેદાને!

APMC Cotton Price Exploitation: ગુજરાતની APMC માં ચાલતી ‘કડદા પ્રથા’નો પર્દાફાશ

  • June 1, 2026
  • 15 views
APMC Cotton Price Exploitation: ગુજરાતની APMC માં ચાલતી ‘કડદા પ્રથા’નો પર્દાફાશ