Donald Trump: PM નરેન્દ્ર મોદી ટ્રમ્પથી એટલા બધા ડરે છે કે “ખમેનીના નિધન માટે શોક સંદેશ પણ પાઠવી ન શક્યા!” જુઓ વરીષ્ઠ પત્રકાર મયુર જાનીનું ધારદાર વિશ્લેષણ

Donald Trump: ઈઝરાયેલ અને અમેરિકાની ઈરાન પર તા.૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ થયેલી સંયુક્ત લશ્કરી કાર્યવાહી દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના થયેલા નિધન બાદ સોશિયલ મીડિયા પર અને વિપક્ષ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના “મૌન” રહેવા અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

ભારત અને ઈરાન વચ્ચે હજારો વર્ષો જૂના ગાઢ સાંસ્કૃતિક ઐતિહાસિક અને ભાષાકીય સંબંધો છે જે “ઇન્ડો-પર્સિયન” સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. વૈદિક કાળથી લઈને મુઘલ સમયગાળા સુધી ફારસી ભાષા અને સ્થાપત્યથી બન્ને દેશો એકબીજાથી જોડાયેલા છે એટલુંજ નહિ પણ ભારતમાં શિયા સમુદાયની મોટી વસ્તી છે,જેઓ ઈરાન સાથે સાંસ્કૃતિક રીતે ગાઢ સંબંધ ધરાવે છે અને ભારતમાં શાંતિપૂર્ણ રીતે વસે છે, તેમછતાં અમેરિકાના દબાણ હેઠળ મોદીજીના મૌન બાદ દિલ્હીમાં ઈરાની દૂતાવાસે ભારત સરકાર અને અન્ય સ્વતંત્ર દેશોને હુમલાની નિંદા કરવા અને ચૂપ ન રહેવા અપીલ કરી હોવા છતાં મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કોંગ્રેસ અને AAP સહિત ઘણા વિપક્ષી નેતાઓએ એ સવાલ ઉઠાવ્યો કે ગયા વર્ષે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના અવસાન પર ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના અવસાન પર નરેન્દ્ર મોદીએ શોક સંદેશ કે ટ્વીટ ન કરી ચૂપ રહેવાનું પસંદ કર્યું છે ત્યારે વિશ્લેષકોનું માનવું છે કે મોદી પોતાના મિત્ર ટ્રમ્પથી એટલા ડરે છે કે “એકપણ શબ્દ બોલી શકતા નથી!!”

જ્યારે કેટલાક પીએમ મોદીનું “વ્યૂહાત્મક મૌન” બદલાતી વૈશ્વિક ગતિશીલતા અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સાથે સંબંધો પણ હોય શકે છે,જોકે નરેન્દ્ર મોદીએ ખામેનીનું ખાસ નામ લીધા વિના ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી અને “નાગરિકોની સલામતી” અને “યુદ્ધ તાત્કાલિક બંધ કરવા” પર ભાર મૂક્યો. તેમણે યુએઈના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી અને ત્યાં થયેલા હુમલાઓની નિંદા કરી હતી.

આ સિવાય વિદેશ મંત્રાલયે એક સામાન્ય નિવેદન જારી કરીને તમામ પક્ષોને “સંયમ” રાખવા અને “સંવાદ અને રાજદ્વારી” ના માર્ગથી ઉકેલ લાવવાની વાત ઉપર ભાર મુક્યો હતો પણ સીધી રીતે ખામેનીના નિધન ઉપર કોઈ શોક સંદેશ કે દુઃખ વ્યક્ત કરવામાં નહિ આવતા તેની વૈશ્વિક નોંધ લેવામાં આવી છે,કારણ કે ઈરાન પણ ભારતનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે ત્યારે વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે મોદી ખાસ કરીને ટ્રમ્પથી ગભરાય છે તે વાત ફરી સપાટી ઉપર આવી છે અગાઉ પણ ટ્રમ્પના દબાણથી પાકિસ્તાન સાથે તરતજ સીઝ ફાયર કર્યું હતું જે ટ્રમ્પ વારંવાર કહી રહયા છે.

આ અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ ખૂબજ ઉંડાણપૂર્વક વિસ્તુત રીતે વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ, જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Dimagi Naxal controversy: યુવાનો પર રાજકીય ભાષા વધુ આક્રમક, BJPના ‘દિમાગી નક્સલ’ વીડિયો બાદ જાદવપુરમાં શુભેન્દુ અધિકારીના નિવેદનથી વિવાદ

  • August 30, 2026
  • 3 views
BJP Dimagi Naxal controversy: યુવાનો પર રાજકીય ભાષા વધુ આક્રમક, BJPના ‘દિમાગી નક્સલ’ વીડિયો બાદ જાદવપુરમાં શુભેન્દુ અધિકારીના નિવેદનથી વિવાદ

જજોની નિમણૂકમાં 12 વર્ષથી કાર્યપાલિકાનો હસ્તક્ષેપ વધ્યો: Justice S Muralidhar ની ગંભીર ચિંતા

  • August 30, 2026
  • 5 views
જજોની નિમણૂકમાં 12 વર્ષથી કાર્યપાલિકાનો હસ્તક્ષેપ વધ્યો: Justice S Muralidhar ની ગંભીર ચિંતા

Akhilesh Yadav: અખિલેશ યાદવે આરોગ્યને બનાવ્યું ચૂંટણીનું હથિયાર, કાર્ડ વગર મફત સારવારનું મોટું વચન

  • August 30, 2026
  • 6 views
Akhilesh Yadav: અખિલેશ યાદવે આરોગ્યને બનાવ્યું ચૂંટણીનું હથિયાર, કાર્ડ વગર મફત સારવારનું મોટું વચન

Jitan Ram Manjhi vs Chirag Paswan: બિહારમાં અનામત મુદ્દે NDAના બે દલિત નેતાઓ આમને-સામને, માંઝી અને ચિરાગ વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 30, 2026
  • 7 views
Jitan Ram Manjhi vs Chirag Paswan: બિહારમાં અનામત મુદ્દે NDAના બે દલિત નેતાઓ આમને-સામને, માંઝી અને ચિરાગ વચ્ચે રાજકીય ઘમાસાણ

Sukhbir Singh Badal: સુખબીર બાદલનો અમૃતપાલ સિંહ સામે ફરી મોરચો, પંથિક રાજકારણને લઈને પંજાબમાં નવી ખેંચતાણ

  • August 30, 2026
  • 10 views
Sukhbir Singh Badal: સુખબીર બાદલનો અમૃતપાલ સિંહ સામે ફરી મોરચો, પંથિક રાજકારણને લઈને પંજાબમાં નવી ખેંચતાણ

Northeast India News: મણિપુરમાં ધારાસભ્યના ઘર પર બોમ્બ વિસ્ફોટથી લઈને મેઘાલયમાં યુરેનિયમ ખનન વિરોધ સુધી, પૂર્વોત્તરમાં 4 મોટા મુદ્દે ગરમાયું રાજકારણ

  • August 30, 2026
  • 11 views
Northeast India News: મણિપુરમાં ધારાસભ્યના ઘર પર બોમ્બ વિસ્ફોટથી લઈને મેઘાલયમાં યુરેનિયમ ખનન વિરોધ સુધી, પૂર્વોત્તરમાં 4 મોટા મુદ્દે ગરમાયું રાજકારણ