Gujarat politics: આ નેતાઓને CMનો આવ્યો ફોન, નવા મંત્રીમંડળમાં મંત્રી પદ થયું કન્ફર્મ

  • Gujarat
  • October 17, 2025
  • 0 Comments

Gujarat politics: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તાર આજે નિશ્ચિત થયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિરમાં સવારે 11:30 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે. આ અવસર પર જૂના મંત્રીઓમાંથી કેટલાકને ફરીથી તક મળી છે, જેમને મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે ફોન કરીને આ જાણ કરી છે.

નવી સરકારમાં કોન બનેગા મંત્રી?

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મંત્રીમંડળનું કદ 27 સુધી વધી શકે છે, જેમાં નાયબ મુખ્યમંત્રીની પદવી પણ ઉમેરાઈ શકે છે.શપથગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણમહાત્મા મંદિરના મુખ્ય હોલમાં આયોજિત આ સમારોહ માટે તમામ વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે. સ્ટેજ પર મંત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાઓ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વ્યક્તિગત રીતે તમામ મંત્રીઓને શપથ અન શપથ લેવડાવશે. આ સમારોહમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓ, વિધાયકો અને અન્ય મહત્વના વ્યક્તિઓની હાજરી રહેશે.

રિપીટ મંત્રીઓને મુખ્યમંત્રીનો ફોન

નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યાની જાણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂના મંત્રીઓમાંથી પસંદ કરાયેલા નેતાઓને વ્યક્તિગત ફોન કર્યા છે.હાલમાં જે મંત્રીઓને ફોન આવ્યા છે, તેમાં પુરુષોત્તમ સોલંકી , કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.

મંત્રીપદ માટે કોને કોને ફોન આવ્યો

પુરુષોત્તમ સોલંકી
કુંવરજી બાવળિયા
પ્રફુલ પાનસેરિયા
ઋષિકેશ પટેલ
કનુ દેસાઈ
હર્ષ સંઘવી
અર્જુન મોઢવાડિયા
નરેશ પટેલ
કાંતિ અમૃતિયા
પ્રદ્યુમન વાજા
કૌશિક વેકરીયા
સ્વરૂપજી ઠાકોર
ત્રિકમ છંગા
જયરામ ગામિત
જીતુ વાઘાણી
દર્શનાબેન વાઘેલા
રિવાબા જાડેજા
પી સી બરંડા
રમેશ કટારા
ઈશ્વરસિંહ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય જુના મંત્રીઓના રાજીનામા

ગઈકાલે, 16 ઓક્ટોબરના રોજ, ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ પોતાના રાજીનામા રાજ્યપાલને સોંપી દીધા હતા. આ રાજીનામા મંત્રીમંડળ વિસ્તાર માટેની ઔપચારિક પ્રક્રિયાનો ભાગ હતા. આજે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આ રાજીનામાઓ સ્વીકારણીય બનાવશે અને નવા મંત્રીઓની યાદી સુપરત કરશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થઈ ગઈ હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ રદ્દી દિલ્હીથી આવેલી માર્ગદર્શનને કારણે થઈ હશે, જેના પરિણામે છેલ્લી ક્ષણે કેટલાક સમીકરણો બદલાઈ ગયા છે. આના કારણે જે મંત્રીઓના રાજીનામા સ્વીકારવાના હતા, તેમને ફરીથી સ્થાન આપીને મંત્રીમંડળનું કદ વધારવામાં આવ્યું છે.

મંત્રીમંડળનું સંભવિત કદ અને નાયબ મુખ્યમંત્રીની શક્યતા

રાજકીય વર્તુળોમાં વાતાવરણ તપાસતા કહેવાય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યોનું હોઈ શકે છે. આમાં જૂના અને નવા મંત્રીઓનું મિશ્રણ રહેશે. વધુમાં, આગામી વિધાનમંડળ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પદવીની જાહેરાત થઈ શકે છે, જે રાજકારણમાં નવી ચર્ચા ઉભી કરશે.આજના શપથગ્રહણ સમારોહ પછી નવા મંત્રીઓની વિભાગ વહેંચણી પર નજર રહેશે.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 2 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 2 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી