Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

  • Gujarat
  • November 1, 2025
  • 0 Comments

Gujarat news: ગુજરાતમાં વિવિધ સ્થળોએ સ્મશાનગૃહોની ખરાબ સ્થિતિની ઉજાગર કરતી અનેક ઘટનાઓ સામે આવે છે.આમ તો ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ કહીકતમાં તો ભાજપના રાજમાં માણસને મર્યા બાદ અંતિમસંસ્કારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાતમાં સ્મશાનગૃહોની સ્થિતિને ઉજાગર કરતી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં પહેલી ઘટનામાં અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહમાં સૂકા લાકડાની અછતને કારણે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો, જ્યારે બીજી ઘટનામાં તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદમાં તૂટેલા સ્મશાનગૃહમાં પતરુ પકડીને અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી. આ બંને ઘટનાઓએ સ્થાનિક વહીવટી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદના ઓઢવમાં કરુણ ક્ષણ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં બુધવારે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂકા લાકડાની અછત અને ભીના લાકડાની સપ્લાયને કારણે તેઓ મજબૂર બન્યા. વિડીયોમાં જોવા મળે છે કે પરિવારજનો ટાયરો અને જૂના ગોદડા બાળીને ચિતા પેટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે હવા અને પર્યાવરણને પણ નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે.

કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને પાઠવી નોટિસ

વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તાત્કાલિક પગલાં લીધાં. કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે અને ઘટનાનો ખુલાસો માંગ્યો છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, આવી બેદરકારી માટે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને સુધારણાની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે સવાલ તે થાય છે કે, વહીવટી વ્યવસ્થા ક્યારે સુધરશે?” આ ઘટના શહેરી વિસ્તારોમાં પણ મૂળભૂત સુવિધાઓની અછતને દર્શાવે છે.

સાબરકાંઠાના આંજણા ગામમાં વરસતા વરસાદમાં પતરુ રાખી અંતિમ સંસ્કાર

બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદને કારણે સ્મશાનગૃહની હાલત વધુ જ ખરાબ બની છે. તૂટી પડેલા સ્મશાનગૃહમાં છત પરથી પાણી ન ટપકે તે માટે પતરું રાખીને ચીતા લગડાવવાની જરુર પડી. આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વરસાદી પાણીમાં ભીજતા પરિવારજનોની અવદશા જોવા મળે છે.સવાલ તે થાય છે કે, સ્મશાનગૃહ માટે ગ્રાન્ટ મંજૂર થાય છે પરંતુ તેનો લાભ ગામવાસીઓ સુધી પહોંચ્યો નથી. જેથી લોકોને વરસાદમાં પણ આ રીતે મજબૂર બનવું પડે છે.” તલોદ તલુકા વહીવટીકેમુદ્દે તપાસની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

આ બંને ઘટનાઓથી ગુજરાતમાં સ્મશાનગૃહોની અવ્યવસ્થા સ્પષ્ટ થાય છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની અછત, તૂટેલી માળખાગત સુવિધાઓ અને વહીવટી બેદરકારીને કારણે સામાન્ય લોકોને અંતિમ વિધિમાં મુશ્કેલી પડે છે. સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે કે, સરકારે તાત્કાલિક સર્વે કરીને આ સુવિધાઓમાં સુધારણા કરે, જેથી આવી કરુણામય ઘટનાઓ ન બને.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • Related Posts

    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
    • June 23, 2026

    Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

    Continue reading
    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
    • June 23, 2026

    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    • June 25, 2026
    • 1 views
    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

    • June 25, 2026
    • 4 views
    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

    India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

    • June 25, 2026
    • 8 views
    India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

    UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

    • June 25, 2026
    • 6 views
    UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

    Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

    • June 25, 2026
    • 6 views
    Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

    Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

    • June 25, 2026
    • 7 views
    Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી