
Gujarat news: ગુજરાતમાં વિવિધ સ્થળોએ સ્મશાનગૃહોની ખરાબ સ્થિતિની ઉજાગર કરતી અનેક ઘટનાઓ સામે આવે છે.આમ તો ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ કહીકતમાં તો ભાજપના રાજમાં માણસને મર્યા બાદ અંતિમસંસ્કારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાતમાં સ્મશાનગૃહોની સ્થિતિને ઉજાગર કરતી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં પહેલી ઘટનામાં અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહમાં સૂકા લાકડાની અછતને કારણે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો, જ્યારે બીજી ઘટનામાં તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદમાં તૂટેલા સ્મશાનગૃહમાં પતરુ પકડીને અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી. આ બંને ઘટનાઓએ સ્થાનિક વહીવટી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
અમદાવાદના ઓઢવમાં કરુણ ક્ષણ
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં બુધવારે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂકા લાકડાની અછત અને ભીના લાકડાની સપ્લાયને કારણે તેઓ મજબૂર બન્યા. વિડીયોમાં જોવા મળે છે કે પરિવારજનો ટાયરો અને જૂના ગોદડા બાળીને ચિતા પેટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે હવા અને પર્યાવરણને પણ નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે.
કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને પાઠવી નોટિસ
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તાત્કાલિક પગલાં લીધાં. કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે અને ઘટનાનો ખુલાસો માંગ્યો છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, આવી બેદરકારી માટે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને સુધારણાની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે સવાલ તે થાય છે કે, વહીવટી વ્યવસ્થા ક્યારે સુધરશે?” આ ઘટના શહેરી વિસ્તારોમાં પણ મૂળભૂત સુવિધાઓની અછતને દર્શાવે છે.
બંને વિડીયો ગુજરાતનાં અલગ અલગ સ્મશાન ગૃહના છે.
પહેલો વિડિયો અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહનો છે જ્યાં સૂકા લાકડા ખૂટી પડતા એક ગરીબની અંતિમવિધિ માટે ટાયરો, ગોદડાનો ઉપયોગ કરાયો. વીડિયો વાયરલ થતા મનપાએ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો અને દંડની કાર્યવાહીની ખાતરી આપી.
બીજો… pic.twitter.com/nsHgD6IaMn
— Krishna Patel (@Krishna760046) October 31, 2025
સાબરકાંઠાના આંજણા ગામમાં વરસતા વરસાદમાં પતરુ રાખી અંતિમ સંસ્કાર
બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદને કારણે સ્મશાનગૃહની હાલત વધુ જ ખરાબ બની છે. તૂટી પડેલા સ્મશાનગૃહમાં છત પરથી પાણી ન ટપકે તે માટે પતરું રાખીને ચીતા લગડાવવાની જરુર પડી. આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વરસાદી પાણીમાં ભીજતા પરિવારજનોની અવદશા જોવા મળે છે.સવાલ તે થાય છે કે, સ્મશાનગૃહ માટે ગ્રાન્ટ મંજૂર થાય છે પરંતુ તેનો લાભ ગામવાસીઓ સુધી પહોંચ્યો નથી. જેથી લોકોને વરસાદમાં પણ આ રીતે મજબૂર બનવું પડે છે.” તલોદ તલુકા વહીવટીકે આ મુદ્દે તપાસની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
આ બંને ઘટનાઓથી ગુજરાતમાં સ્મશાનગૃહોની અવ્યવસ્થા સ્પષ્ટ થાય છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની અછત, તૂટેલી માળખાગત સુવિધાઓ અને વહીવટી બેદરકારીને કારણે સામાન્ય લોકોને અંતિમ વિધિમાં મુશ્કેલી પડે છે. સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે કે, સરકારે તાત્કાલિક સર્વે કરીને આ સુવિધાઓમાં સુધારણા કરે, જેથી આવી કરુણામય ઘટનાઓ ન બને.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!








