Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

  • Gujarat
  • November 1, 2025
  • 0 Comments

Gujarat news: ગુજરાતમાં વિવિધ સ્થળોએ સ્મશાનગૃહોની ખરાબ સ્થિતિની ઉજાગર કરતી અનેક ઘટનાઓ સામે આવે છે.આમ તો ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ કહીકતમાં તો ભાજપના રાજમાં માણસને મર્યા બાદ અંતિમસંસ્કારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાતમાં સ્મશાનગૃહોની સ્થિતિને ઉજાગર કરતી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં પહેલી ઘટનામાં અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહમાં સૂકા લાકડાની અછતને કારણે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો, જ્યારે બીજી ઘટનામાં તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદમાં તૂટેલા સ્મશાનગૃહમાં પતરુ પકડીને અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી. આ બંને ઘટનાઓએ સ્થાનિક વહીવટી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદના ઓઢવમાં કરુણ ક્ષણ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં બુધવારે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂકા લાકડાની અછત અને ભીના લાકડાની સપ્લાયને કારણે તેઓ મજબૂર બન્યા. વિડીયોમાં જોવા મળે છે કે પરિવારજનો ટાયરો અને જૂના ગોદડા બાળીને ચિતા પેટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે હવા અને પર્યાવરણને પણ નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે.

કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને પાઠવી નોટિસ

વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તાત્કાલિક પગલાં લીધાં. કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે અને ઘટનાનો ખુલાસો માંગ્યો છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, આવી બેદરકારી માટે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને સુધારણાની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે સવાલ તે થાય છે કે, વહીવટી વ્યવસ્થા ક્યારે સુધરશે?” આ ઘટના શહેરી વિસ્તારોમાં પણ મૂળભૂત સુવિધાઓની અછતને દર્શાવે છે.

સાબરકાંઠાના આંજણા ગામમાં વરસતા વરસાદમાં પતરુ રાખી અંતિમ સંસ્કાર

બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદને કારણે સ્મશાનગૃહની હાલત વધુ જ ખરાબ બની છે. તૂટી પડેલા સ્મશાનગૃહમાં છત પરથી પાણી ન ટપકે તે માટે પતરું રાખીને ચીતા લગડાવવાની જરુર પડી. આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વરસાદી પાણીમાં ભીજતા પરિવારજનોની અવદશા જોવા મળે છે.સવાલ તે થાય છે કે, સ્મશાનગૃહ માટે ગ્રાન્ટ મંજૂર થાય છે પરંતુ તેનો લાભ ગામવાસીઓ સુધી પહોંચ્યો નથી. જેથી લોકોને વરસાદમાં પણ આ રીતે મજબૂર બનવું પડે છે.” તલોદ તલુકા વહીવટીકેમુદ્દે તપાસની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

આ બંને ઘટનાઓથી ગુજરાતમાં સ્મશાનગૃહોની અવ્યવસ્થા સ્પષ્ટ થાય છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની અછત, તૂટેલી માળખાગત સુવિધાઓ અને વહીવટી બેદરકારીને કારણે સામાન્ય લોકોને અંતિમ વિધિમાં મુશ્કેલી પડે છે. સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે કે, સરકારે તાત્કાલિક સર્વે કરીને આ સુવિધાઓમાં સુધારણા કરે, જેથી આવી કરુણામય ઘટનાઓ ન બને.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • Related Posts

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
    • May 11, 2026

    Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

    Continue reading
    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
    • May 10, 2026

    Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    • May 11, 2026
    • 1 views
    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    • May 11, 2026
    • 8 views
    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    • May 10, 2026
    • 10 views
    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    • May 10, 2026
    • 9 views
    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

    • May 10, 2026
    • 12 views
    Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

    Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

    • May 10, 2026
    • 8 views
    Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?