Rohini Acharya: બિહારમાં RJDની હાર બાદ રોહિણીએ કહ્યું – હું પાર્ટી તથા મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું!

  • India
  • November 15, 2025
  • 0 Comments

Rohini Acharya:બિહારમાં RJDની ભૂંડી હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં પણ ફૂટ પડી છે અને આ બધા વચ્ચે હવે લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ રાષ્ટ્રીય જનતા દળ અને તેમના પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે,તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર આ જાહેરાત કરતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે.

https://x.com/ANI/status/1989632392081154076?t=xfLg-5xZLAFeJEoCU-NJ6w&s=08

સાથેજ એક પોસ્ટમાં,તેમણે રાજ્યસભા સાંસદ સંજય યાદવનો ઉલ્લેખ કરતા કહ્યું, “હું બધો દોષ મારા પર લઈ રહી છું.”રોહિણીએ લખ્યું, “હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આ કરવાનું કહ્યું, અને હું બધો દોષ મારા ઉપર લઈ રહી છું.”

આચાર્યની પોસ્ટ વિશે રસપ્રદ વાત એ છે કે તેણે શરૂઆતમાં ફક્ત રાજકારણ છોડવા અને તેના પરિવાર સાથેના સંબંધો તોડવા વિશે લખ્યું હતું,જો કે, પછીથી તેમાં સંજય યાદવ અને રમીઝના નામનો ઉલ્લેખ કરીને તેને એડિટ કરવામાં આવ્યુ હતું.મહત્વનું છે કેવિધાનસભા ચૂંટણી અગાઉ જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

પરિણામે,પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી.
તેઓએ પણ તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ જ આરોપો લગાવ્યા હતા. એવામાં હવે તેજ પ્રતાપ યાદવ બાદ રોહિણીએ પણ સંજય યાદવનું નામ લઈ પરિવાર સાથે સંબંધ તોડતા આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે.

નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા પિતા લાલુ પ્રસાદને પોતાની કિડનીનું દાન કરીને ચર્ચામાં આવેલા આચાર્યએ ગયા વર્ષે સારણથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા.એવી અટકળો ચાલી રહી હતી કે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવાથી તે નાખુશ હતી.જોકે, વિધાનસભા ચૂંટણી દરમિયાન તે તેજસ્વી યાદવ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

રોહિણી આચાર્યના પાર્ટી અને પરિવાર સાથેના સંબંધો ખત્મ કરવાના નિર્ણયને પગલે બિહારના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે અને JDU એ આ મુદ્દા પર લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું છે, અને તેમની રાજકીય નિષ્ફળતાના પરિણામે કૌટુંબિક ઝઘડાને જવાબદાર ઠેરવ્યો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

 

Related Posts

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?
  • June 25, 2026

India Anti-Defection Law: ભારતીય સંસદમાં આજે સાંસદોની સ્વતંત્રતા જે રીતે દબાવવામાં આવી રહી છે, તે જોતા પ્રશ્ન થાય છે કે શું આપણે ખરેખર લોકશાહીમાં છીએ કે પછી રાજકીય પક્ષોના બંધારણમાં?…

Continue reading
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?
  • June 25, 2026

UPSC CSAT Controversy: સિવિલ સર્વિસીસની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓ માટે સીએસએટી (CSAT) હવે માત્ર એક ક્વોલિફાઇંગ પરીક્ષા નથી રહી, પરંતુ એક એવું ‘કાળચક્ર’ બની ગયું છે જે તેમના વર્ષોની મહેનતને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 2 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 5 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 5 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 6 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 7 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ