Rohini Acharya: બિહારમાં RJDની હાર બાદ રોહિણીએ કહ્યું – હું પાર્ટી તથા મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું!

  • India
  • November 15, 2025
  • 0 Comments

Rohini Acharya:બિહારમાં RJDની ભૂંડી હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં પણ ફૂટ પડી છે અને આ બધા વચ્ચે હવે લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ રાષ્ટ્રીય જનતા દળ અને તેમના પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે,તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર આ જાહેરાત કરતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે.

https://x.com/ANI/status/1989632392081154076?t=xfLg-5xZLAFeJEoCU-NJ6w&s=08

સાથેજ એક પોસ્ટમાં,તેમણે રાજ્યસભા સાંસદ સંજય યાદવનો ઉલ્લેખ કરતા કહ્યું, “હું બધો દોષ મારા પર લઈ રહી છું.”રોહિણીએ લખ્યું, “હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આ કરવાનું કહ્યું, અને હું બધો દોષ મારા ઉપર લઈ રહી છું.”

આચાર્યની પોસ્ટ વિશે રસપ્રદ વાત એ છે કે તેણે શરૂઆતમાં ફક્ત રાજકારણ છોડવા અને તેના પરિવાર સાથેના સંબંધો તોડવા વિશે લખ્યું હતું,જો કે, પછીથી તેમાં સંજય યાદવ અને રમીઝના નામનો ઉલ્લેખ કરીને તેને એડિટ કરવામાં આવ્યુ હતું.મહત્વનું છે કેવિધાનસભા ચૂંટણી અગાઉ જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

પરિણામે,પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી.
તેઓએ પણ તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ જ આરોપો લગાવ્યા હતા. એવામાં હવે તેજ પ્રતાપ યાદવ બાદ રોહિણીએ પણ સંજય યાદવનું નામ લઈ પરિવાર સાથે સંબંધ તોડતા આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે.

નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા પિતા લાલુ પ્રસાદને પોતાની કિડનીનું દાન કરીને ચર્ચામાં આવેલા આચાર્યએ ગયા વર્ષે સારણથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા.એવી અટકળો ચાલી રહી હતી કે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવાથી તે નાખુશ હતી.જોકે, વિધાનસભા ચૂંટણી દરમિયાન તે તેજસ્વી યાદવ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

રોહિણી આચાર્યના પાર્ટી અને પરિવાર સાથેના સંબંધો ખત્મ કરવાના નિર્ણયને પગલે બિહારના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે અને JDU એ આ મુદ્દા પર લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું છે, અને તેમની રાજકીય નિષ્ફળતાના પરિણામે કૌટુંબિક ઝઘડાને જવાબદાર ઠેરવ્યો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

 

Related Posts

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’
  • December 16, 2025

Rana Balachoria Murder: પંજાબના મોહાલીના સોહાનામાં ચાલી રહેલી એક કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બદમાશોએ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા પર ગોળીબાર કર્યો હતો, ગોળીઓ વાગતા…

Continue reading
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!
  • December 15, 2025

Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 3 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 5 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 6 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

  • December 15, 2025
  • 9 views
Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 16 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 16 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!