Indian border unsecured: ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ,500 બાંગ્લાદેશીઓએ ખોલી પોલ!સામે આવી આ ચોંકાવનારી હકીકત

  • India
  • November 19, 2025
  • 0 Comments

Indian border unsecured:પશ્ચિમ બંગાળમાંથી ભાગીને બાંગ્લાદેશ પરત જઈ રહેલા 500 ઘુસણખોરો સરહદ પાર કરતા ઝડપાઇ જતા ભારતીય સરહદ સુરક્ષાની પોલ ખુલી જવા પામી છે, આ માહિતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આપી છે તેઓએ સરહદ પાર કરી રહેલા 500 મૂળ બાંગ્લાદેશીઓને ઇન્ટરસેપ્ટ કર્યા હોવાનું સ્વીકાર્યું છે.ચૂંટણી પંચની SIRની બંગાળમાં કામગીરી શરૂ થતાં ગેર કાયદે રહેતા બાંગ્લાદેશીઓમાં એવી હવા પ્રસરી છે કે તેઓને પકડવાનું અભિયાન શરૂ થયું છે પરિણામે તેઓએ હિજરત શરૂ કરી છે,તો પણ એક સવાલ થયા વગર રહે નહીં કે આ લોકોએ બાંગ્લાદેશ માંથી ગેરકાયદે રીતે સરહદ કેવી રીતે પાર કરી હશે ?

BSF અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ 500 લોકોએ સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા અને તેમની પાસે કોઈ વિઝા, પાસપોર્ટ કે ઓળખપત્ર નથી. એક રિપોર્ટ મુજબ, આ વર્ષે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ભારતમાં રહેતા હતા અને હવે એક સાથે ભારતમાંથી પલાયન કરવાની આ સૌથી મોટી ઘટના હોવાનું જણાવ્યું છે.આ ઘટનાથી ભારતની સરહદની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સ્વરૂપનગર પાસે આવેલી હાકિમપુર ચેક પોસ્ટ પરથી લગભગ 500 લોકો બાંગ્લાદેશ તરફ જતા જોવા મળતા BSFની 143મી બટાલિયને આ મોટી હિલચાલ જોઈ ચોંકી ગયા હતા અને તમામને અટકાવી પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો.

બાંગ્લાદેશ છોડી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસેલા અને વર્ષોથી પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં નોકર, મજૂર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આજ મહિનાની શરૂઆતમાં પણ, BSFએ આવા જ 100 બાંગ્લાદેશીઓને પકડ્યા હતા.
આમ,મોટાપાયે ગેરકાયદે રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓ અહીં આવીને વસી જતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

બીજી તરફ એવી હકીકત પણ સામે આવી છે કેચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવશે SIR અભિયાન અંતર્ગત બૂથ લેવલ ઓફિસરો (BLO) ઘરે-ઘરે જઈને મતદારોની ચકાસણી કરી રહયા છે જેમાં તેનું નામ 2003ની મતદાર યાદીમાં હતું કે નહીં? જો નહીં, તો તમારા પરિવારના કયા સભ્યોનું નામ હતું?”
આવા સવાલોના જવાબ ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો આપી શકતા નથી, કારણ કે તેમની પાસે જૂના રેકોર્ડ હોતા નથી પરિણામે પકડાઈ જવાના ડરથી હવે તેઓ ભારત છોડીને પાછા બાંગ્લાદેશ ભાગી રહ્યા હોવાની વાતો ચાલી રહી છે.

જોકે, કટ્ટરવાદી દેશ એવા બાંગ્લાદેશમાંથી આટલી મોટી સંખ્યામાં ઘુસી આવતા લોકોએ સરહદ સુરક્ષાની પોલ ખોલી નાખી છે, ભારતમાં આતંકી હુમલાના કનેક્શન બાંગ્લાદેશ સુધી ખુલી રહયા છે ત્યારે કોઈપણ આતંકી આરામથી ભારતમાં પ્રવેશ કરી શકે છે તે વાત સ્પષ્ટ થઈ રહી છે.
ત્યારે સવાલ એ ઉઠે છે કે ભારતની સરહદ સુરક્ષિત નથી અને તે દિશામાં ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ
  • June 27, 2026

Ram Mandir Donation Corruption: અયોધ્યાના પવિત્ર રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનમાં થયેલી કથિત ગેરરીતિ અને ઉચાપતના મામલામાં શુક્રવારે એક મોટો વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ…

Continue reading
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.
  • June 26, 2026

Indian Passport Citizenship: વિદેશ મંત્રાલયના તાજેતરના એક સ્પષ્ટીકરણે દેશભરમાં નાગરિકતા અને ઓળખના પુરાવાઓને લઈને એક મોટી ચર્ચા અને મૂંઝવણ ઉભી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 2 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

  • June 27, 2026
  • 5 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 7 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા