Air Pollution:દિલ્હીમાં આજે પણ AQI 400 પાર;માનવ જીવન પર ખતરો!વિરોધ કરોતો પોલીસ પકડી લે છે!

  • India
  • November 23, 2025
  • 0 Comments

Air Pollution:દિલ્હી હવે પ્રદુષિત બની ચૂક્યું છે અને માનવ જીવન માટે મોટો ખતરો બની ગયું છે ત્યારે તંત્ર હેલ્થ એલર્ટ જારી કરી બાળકો અને વૃદ્ધોને ઘર બહાર નહિ નીકળવા જણાવી રહયા છે ત્યારે જો બાળકો ઘરમાં પુરાઈ રહેશે તો ભણશે ક્યારે તે ચિંતા સતાવી રહી છે અને પોલ્યુશનનો વિરોધ કરવા જાવતો પોલીસ અટકાયત કરતી હોવાની ફરિયાદો ઉઠી છે.

આજે સવારે પણ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 400 ને વટાવી ગયો છે જે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હોવાનો પુરાવો છે,ગાઝિયા બાદમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે, લોનીમાં 464 AQI તેમજ નોઈડામાં પણ પ્રદૂષણનું સ્તર ઊંચું રહ્યુ છે,
આનંદ વિહારમાં 429નો AQI નોંધાયો, જ્યારે અશોક વિહારમાં 420. આયા નગરમાં 339નો AQI નોંધાયો, બવાનામાં પ્રદૂષણનું સ્તર 432, બુરારી 402 અને DTU વિસ્તારમાં 399 હતું. દ્વારકામાં AQI 386 અને ITO 388 નોંધાયું છે.

જહાંગીરપુરીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક રહ્યું, જ્યાં AQI 437 નોંધાયું.મુંડકામાં તે 413, નજફગઢમાં 338, પંજાબી બાગમાં 412 અને રોહિણીમાં 438 પર પહોંચ્યું. આરકે પુરમમાં AQI 396 હતો, જ્યારે વઝીરપુરમાં, તે 448 સાથે રાજધાનીમાં સૌથી ખરાબમાં ખરાબ હતું.

એકંદરે, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહી, જેનાથી સામાન્ય લોકો માટે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરોની ચિંતા વધી છે.ગાઝિયાબાદમાં પણ AQI 400 ને વટાવી ગયો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, લોનીમાં 464 AQI, સંજય નગરમાં 389 AQI અને ઇન્દિરાપુરમમાં 421 AQI નોંધાયું છે.નોઇડામાં પણ AQI 400 ને વટાવી ગયો છે નોઇડામાં, ઘણા વિસ્તારોમાં AQI 400 થી ઉપર પહોંચી ગયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સેક્ટર 125 માં AQI 436, સેક્ટર 1 માં 388, સેક્ટર 62 માં 370 અને સેક્ટર 116 માં 388 AQI નોંધાયું છે.

ગુરુગ્રામમાં આ AQI નોંધાયું છે કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ગુરુગ્રામમાં NISE ગ્વાલ પહારીએ 325 AQI નોંધાયું છે. સેક્ટર 51 માં 324 AQI, તેરી ગ્રામમાં 212 AQI અને વિકાસ સદનમાં 287 AQI નોંધાયું છે. ફરીદાબાદનું AQI કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ફરીદાબાદમાં સેક્ટર 30 માં 197, ન્યુ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનમાં 270 અને સેક્ટર 11 માં 218 AQI નોંધાયું છે.

દિલ્હીમાં મોટાભાગના વિસ્તારોમાં 400 થી ઉપર AQI સ્તર પહોંચી ગયુ છે.દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં પ્રદુષણ ભયજનક રીતે વધતું રહેતા હવે બાળકો તેમજ વૃદ્ધ વ્યક્તિઓ માટે અહીં રહેવું મુશ્કેલ બની રહ્યું છે, તંત્ર બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપે છે પણ જો બાળક શાળા અને ટ્યુશન નહિ જાયતો અભ્યાસ કેવી રીતે કરશે?ની ચિંતા વાલીઓમાં જોવા મળી રહી છે અને જો વિરોધ કરવા જાય તો પોલીસ પકડી જાય છે જેથી નાગરિકો ખુબજ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન