Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનો ધમકીભર્યો અંદાજ ‘મત આપો’ નહીતો પછી…

  • India
  • November 23, 2025
  • 0 Comments

Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે માલેગાંવની સ્થાનિક ચૂંટણીને લઇને મતદારોને જાહેરમાં કહ્યુ કે”માલેગાંવ નગર પંચાયતમાં મારા મહાયુતિના 18-18 ઉમેદવારોને તમારે મત આપવાનો છે અને તમે મત આપશે તો હું મારા બધાજ વચનો અને માંગણીઓ પૂર્ણ કરીશ,પરંતુ જો તમે મને કાપી નાખો છો, તો પછી હું પણ તમને કાપી નાખીશ.”પવારે એમ પણ કહ્યું,”તમારી પાસે મત છે,મારી પાસે ભંડોળ છે, હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શુ કરવું છે.

વિપક્ષ માને છે કે આ નિવેદન સ્પષ્ટપણે સત્તાના બળ પર વિકાસનો લોલીપોપ આપી મતદારોને ડરાવવાનો પ્રયાસ કરાયો છે,આ નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે.અજિત પવારના આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન સામે શિવસેના (UBT) અને કોંગ્રેસે સખત વાંધો ઉઠાવી જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી પદ પર બેઠેલા જવાબદાર નેતા જનતાને આવી ધમકીઓ આપી શકે નહિ. આ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.વિપક્ષે અજિત પવારના આ નિવેદનની તાત્કાલિક ચૂંટણી પંચને નોંધ લેવા અને કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે તેઓએ કહ્યું કે સત્તામાં રહેલા લોકો વિકાસના નામે દબાણ ઊભું કરી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે.

જોકે, વિરોધ પક્ષોના હોબળા બાદ પણ અજિત પવારને કોઈ ફર્ક પડ્યો નથી અને તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે કોઈને ધમકી આપી નથી.અજિત પવારે ઉમેર્યુ કે, “ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માંગતી વખતે લોકોને વચનો આપતા હોય છે અને મેં તેજ કર્યું છે.અમે બિહારમાં પણ આવું જોયું છે,જ્યાં નેતાઓ જનતાને વચનો આપતા હોય છે.
મેં કોઈને ધમકી આપી નથી,મે ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને ચૂંટશે, તો હું ભંડોળ પૂરું પાડીશ અને વિકાસને પ્રોત્સાહન આપીશ.”

આ વિવાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મુખ્ય મુદ્દો બની ગયો છે ત્યારે આગામી દિવસોમાં વિપક્ષની રજૂઆત બાદ ચૂંટણી પંચ હવે શુ પગલાં ભરે છે તેતો સમયજ કહેશે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા
  • May 6, 2026

Mohammed Navas Extradition: ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંકલન સાથે એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી વોન્ટેડ અને ફરાર જાહેર કરાયેલા ભાગેડુ…

Continue reading
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”
  • May 6, 2026

Rahul Gandhi: પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ મેળવેલી ઐતિહાસિક જીત વિપક્ષી નેતાઓના ગળે ઉતરી રહી નથી.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

  • May 6, 2026
  • 2 views
Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

  • May 6, 2026
  • 5 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 8 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 11 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 15 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ