
Ajit Pawar Controversial Statement: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે માલેગાંવની સ્થાનિક ચૂંટણીને લઇને મતદારોને જાહેરમાં કહ્યુ કે”માલેગાંવ નગર પંચાયતમાં મારા મહાયુતિના 18-18 ઉમેદવારોને તમારે મત આપવાનો છે અને તમે મત આપશે તો હું મારા બધાજ વચનો અને માંગણીઓ પૂર્ણ કરીશ,પરંતુ જો તમે મને કાપી નાખો છો, તો પછી હું પણ તમને કાપી નાખીશ.”પવારે એમ પણ કહ્યું,”તમારી પાસે મત છે,મારી પાસે ભંડોળ છે, હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શુ કરવું છે.
વિપક્ષ માને છે કે આ નિવેદન સ્પષ્ટપણે સત્તાના બળ પર વિકાસનો લોલીપોપ આપી મતદારોને ડરાવવાનો પ્રયાસ કરાયો છે,આ નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે.અજિત પવારના આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન સામે શિવસેના (UBT) અને કોંગ્રેસે સખત વાંધો ઉઠાવી જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી પદ પર બેઠેલા જવાબદાર નેતા જનતાને આવી ધમકીઓ આપી શકે નહિ. આ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.વિપક્ષે અજિત પવારના આ નિવેદનની તાત્કાલિક ચૂંટણી પંચને નોંધ લેવા અને કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે તેઓએ કહ્યું કે સત્તામાં રહેલા લોકો વિકાસના નામે દબાણ ઊભું કરી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે.
જોકે, વિરોધ પક્ષોના હોબળા બાદ પણ અજિત પવારને કોઈ ફર્ક પડ્યો નથી અને તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે કોઈને ધમકી આપી નથી.અજિત પવારે ઉમેર્યુ કે, “ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માંગતી વખતે લોકોને વચનો આપતા હોય છે અને મેં તેજ કર્યું છે.અમે બિહારમાં પણ આવું જોયું છે,જ્યાં નેતાઓ જનતાને વચનો આપતા હોય છે.
મેં કોઈને ધમકી આપી નથી,મે ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને ચૂંટશે, તો હું ભંડોળ પૂરું પાડીશ અને વિકાસને પ્રોત્સાહન આપીશ.”
આ વિવાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મુખ્ય મુદ્દો બની ગયો છે ત્યારે આગામી દિવસોમાં વિપક્ષની રજૂઆત બાદ ચૂંટણી પંચ હવે શુ પગલાં ભરે છે તેતો સમયજ કહેશે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે






