સંસદમાં સંવિધાન પર ચર્ચા, રાહુલ ગાંધીએ સરકારને સાવરકરની યાદ કેમ અપાવી?

  • India
  • December 14, 2024
  • 0 Comments

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સંસદમાં બંધારણ પર બોલતા બીજેપી નિશાન સાંધ્યો હતો. તેમણે બીજેપીના વિચાર પુરુષ માનવામાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખનનો ઉલ્લેખ કરીને મોદી સરકારને ઘેરી હતી.

તેમણે કહ્યું, “સાવરકરે લખ્યું છે કે ભારતના બંધારણ વિશે સૌથી ખરાબ વસ્તુ એ છે કે તેમાં કશું પણ ભારતીય નથી. વેદો પછી મનુસ્મૃતિ એ ધાર્મિક ગ્રંથ છે જે આપણા હિંદુ રાષ્ટ્ર માટે સૌથી પૂજનીય છે. અને આ પ્રાચીન સમયથી અમારી સંસ્કૃતિ, રીતી-રિવાજ, વિચાર અને વર્તનનો આધાર બની રહ્યું છે. આ પુસ્તકે સદીઓથી ચાલુ રહેલી આપણા દેશની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને સંહિતાબદ્ધ કર્યું છે. આજે મનુસ્મૃતિ કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “સાવરકરે તેમના લેખનમાં સ્પષ્ટ કરી દીધું છે કે અમારા બંધારણમાં ભારતીયતાનો કોઈ અંશ નથી. તેમણે કહ્યું છે કે ભારતને આ પુસ્તક (બંધારણ)થી નહીં પરંતુ આ પુસ્તક (મનુસ્મૃતિ)થી ચલાવવું જોઈએ.”

તેમણે કહ્યું, “આજે આ જ લડાઈ છે. હું સત્તા પક્ષના લોકોને પૂછવા માંગું છું કે શું તમે સાવરકરના શબ્દોને સમર્થન આપો છો. કારણ કે જ્યારે તમે બંધારણના પક્ષમાં સંસદમાં બોલો છો ત્યારે તમે સાવરકરનો મજાક ઉડાવી રહ્યા છો. તમે તેમને બદનામ કરી રહ્યા છો.”

બંધારણને સ્વીકારવાના 75 વર્ષ પૂરા થવા પર બંધારણ પર ચર્ચા ચાલુ છે. શુક્રવારે રાહુલ ગાંધીની બહેન અને કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ બંધારણ પર ચર્ચા દરમિયાન સરકારને ઘેરી હતી.

આજે રાહુલ ગાંધીના ભાષણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં બંધારણ પર બોલશે.

Related Posts

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
  • August 10, 2026

Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

Continue reading
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી
  • August 10, 2026

JNU News: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં પૂર્વ વિદ્યાર્થી અને સંશોધક ઉમર ખાલિદની પુસ્તક ‘Fractured Communities’ પર યોજાનારી જાહેર ચર્ચા કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ કાર્યક્રમ યોજાવાના માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને