સંસદમાં સંવિધાન પર ચર્ચા, રાહુલ ગાંધીએ સરકારને સાવરકરની યાદ કેમ અપાવી?

  • India
  • December 14, 2024
  • 0 Comments

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સંસદમાં બંધારણ પર બોલતા બીજેપી નિશાન સાંધ્યો હતો. તેમણે બીજેપીના વિચાર પુરુષ માનવામાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખનનો ઉલ્લેખ કરીને મોદી સરકારને ઘેરી હતી.

તેમણે કહ્યું, “સાવરકરે લખ્યું છે કે ભારતના બંધારણ વિશે સૌથી ખરાબ વસ્તુ એ છે કે તેમાં કશું પણ ભારતીય નથી. વેદો પછી મનુસ્મૃતિ એ ધાર્મિક ગ્રંથ છે જે આપણા હિંદુ રાષ્ટ્ર માટે સૌથી પૂજનીય છે. અને આ પ્રાચીન સમયથી અમારી સંસ્કૃતિ, રીતી-રિવાજ, વિચાર અને વર્તનનો આધાર બની રહ્યું છે. આ પુસ્તકે સદીઓથી ચાલુ રહેલી આપણા દેશની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને સંહિતાબદ્ધ કર્યું છે. આજે મનુસ્મૃતિ કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “સાવરકરે તેમના લેખનમાં સ્પષ્ટ કરી દીધું છે કે અમારા બંધારણમાં ભારતીયતાનો કોઈ અંશ નથી. તેમણે કહ્યું છે કે ભારતને આ પુસ્તક (બંધારણ)થી નહીં પરંતુ આ પુસ્તક (મનુસ્મૃતિ)થી ચલાવવું જોઈએ.”

તેમણે કહ્યું, “આજે આ જ લડાઈ છે. હું સત્તા પક્ષના લોકોને પૂછવા માંગું છું કે શું તમે સાવરકરના શબ્દોને સમર્થન આપો છો. કારણ કે જ્યારે તમે બંધારણના પક્ષમાં સંસદમાં બોલો છો ત્યારે તમે સાવરકરનો મજાક ઉડાવી રહ્યા છો. તમે તેમને બદનામ કરી રહ્યા છો.”

બંધારણને સ્વીકારવાના 75 વર્ષ પૂરા થવા પર બંધારણ પર ચર્ચા ચાલુ છે. શુક્રવારે રાહુલ ગાંધીની બહેન અને કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ બંધારણ પર ચર્ચા દરમિયાન સરકારને ઘેરી હતી.

આજે રાહુલ ગાંધીના ભાષણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં બંધારણ પર બોલશે.

Related Posts

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી
  • May 10, 2026

Great Nicobar Project: કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને રાજકીય અને પર્યાવરણીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે આ પરિયોજનાને આપવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 0 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 5 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 5 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 6 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 17 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

  • May 10, 2026
  • 10 views
Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ