
Diplomatic Diplomacy:યુવા બાંગ્લાદેશી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ, ત્યાંના કટ્ટરપંથીઓનો ભારત સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે.આ લોકો હાદીની હત્યા માટે ભારતને દોષી ઠેરવી રહયા છે.
ભારતની પશ્ચિમી સરહદો પર દાયકાઓથી સક્રિય પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પણ હવે પોતાની રણનીતિને પૂર્વ તરફ પુનર્ગઠિત કરી રહી છે,બાંગ્લાદેશમાં ISIની કૂટનીતિક પ્રવૃત્તિ એક સુનિયોજિત રણનીતિક અભિયાનનો ભાગ છે જેનો હેતુ છે હિંદુવિરોધી વાતાવરણ બનાવવા સહિત ભારતવિરોધી કટ્ટરવાદને હવા આપવી અને ભારતની પૂર્વી સરહદોને અસ્થિર કરવી જેવી રહી છે અને ભારત વિરોધી હવા શરૂ થતાં હાલમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓના જીવ જોખમમાં મુકાયા છે, હિંસા ચરમસીમાએ છે.
હવે પ્રશ્ન એ છે કે આપણી રાજદ્વારી કુટનીતિ અહીં નબળી પડતી કેમ જણાય રહી છે? આજે આપણે આ મુદ્દા પર વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત સાથે વિગતવાર ચર્ચા કરીશું.આ વીડિયો જોવાનું ચૂકશો નહિ અને આપ આપના વિચારો અહીં કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









