Usman Hadi Murder Case: આજે, આપણે બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરીશું, શાંતિ બિલ અને ઉસ્માન હાદીની હત્યા પર પશ્ચિમી દેશો દ્વારા વધુ પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ખાસ કરીને એટલા માટે છે કારણ કે હાદી ન તો બાંગ્લાદેશના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા, ન તો કોઈ બંધારણીય પદ પર હતા કે ન તો તેમણે વિદેશમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત આ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે.
SHANTI Bill (Sustainable Harnessing and Augmentation of Nuclear Power for National Transformation)
આ બિલ વિપક્ષના હોબળા વચ્ચે લોકસભામાં મંજૂર કરાયું છે;જેનો મુખ્ય ઉદ્દેશ સરકારના મતે દેશના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવાનો છે.
સરકારનું માનવું છે કે આ બિલને લઈ 2047 સુધીમાં 100 ગીગાવોટ સ્વચ્છ ઊર્જાના લક્ષ્યાંકને હાંસલ કરી શકાશે.ખાનગી ક્ષેત્રો મૂડી રોકાણ સાથે ટેકનોલોજી વ્યવસ્થા લાવશે જેની સરકાર સુરક્ષા કરશે અને સંચાલન સંભાળશે જોકે, વિપક્ષ દ્વારા કેટલીક ખામીઓ મુદ્દે સરકારનું ધ્યાન દોર્યુ હતું પણ તે માન્ય ન રખાતા વિપક્ષના વૉકઆઉટ વચ્ચે લોકસભામાં શાંતિ બિલને મંજૂરી આપી હતી.
જ્યારે બાંગ્લાદેશમાં જે રીતે બબાલ મચી છે તે ઉસ્માન હાદીને અન્ય દેશો દ્વારા અપાઈ રહેલું આટલા મહત્વ પાછળ ખરેખર શું છે? જે ખૂબજ ગંભીર બાબત છે.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર જોવાનું ચૂકશો નહિ. The Gujarat Report ના MD અને સિનિયર પત્રકાર શ્રી મયુરભાઈ જાની સાથે વરિષ્ઠ પત્રકાર શ્રી અરુણ દીક્ષિત આ મુદ્દાઓ પર ચર્ચા કરશે પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?



