Secular India:ભારત બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ ગણાય છે અહીં વિવિધ બોલીઓ છે અલગ અલગ વેશભૂષા છે અનેક જાતિઓ છે વિવિધ ધર્મ પાળતા લોકો અહીં રહે છે જેવાકે હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મ જેવા મુખ્ય ધર્મોની સાથે અન્ય ધર્મો પણ પાળતા લોકોનો સમૂહ રહે છે, જે તેને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને ધાર્મિક વિવિધતા ધરાવતો દેશ બનાવે છે, જ્યાં હિંદુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તીઓ મોટી સંખ્યામાં વસે છે.
ભારતના બંધારણ મુજબ કોઈ એક ધર્મ સત્તાવાર ધર્મ નથી, દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતા આપવામાં આવી છે, સરકારની બધા ધર્મો સાથે સમાન વ્યવહાર કરવાની ફરજ બનાવાઈ છે, અને ‘સર્વધર્મ સમભાવ’ અને ‘સર્વધર્મ સમદ્રષ્ટિ’ના સિદ્ધાંતોનું પાલન કરવાનું રહે છે અને તેથી જ 42મા બંધારણીય સુધારા મુજબ ‘બિનસાંપ્રદાયિક’ શબ્દને બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યો છે.જોકે,આ બધી વાતો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ધર્મ પ્રત્યે વિભાજન થઈ રહ્યું છે અને સર્વ ધર્મ સમભાવની ભાવના લુપ્ત બની રહી છે અને સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ ધર્મ ના નામે જે રીતે વાતાવરણ બની રહ્યું છે તે જોતા એક ગંભીર સ્થિતિ ઉભી થઇ છે આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર ભાઈ જાનીએ ડો.રાકેશ પાઠક સાથે કરેલી ચર્ચા અને વિશ્લેષણ પ્રસ્તુત છે,જોવાનું ચૂકશો નહિ The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!










