AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું

  • Gujarat
  • January 18, 2025
  • 2 Comments

અમદાવાદઃ નગર પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા ચાલુ વર્ષ એટલે કે 2025/26 માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણીનું કુલ 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરાયું છે.  ખાસ કરીને આ બજેટની વિશેષતા એ છે કે આ વખતે કેન્દ્રમાં વિદ્યાર્થી, વાલી અને શાળાને રાખવામાં આવ્યા છે.

બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજલ મહેતાએ જણાવ્યું હતું કે આ બજેટમાં નવી શિક્ષણનીતિ 2020 અનુસાર બાળકોને સ્કીલ ડેવલોપમેન્ટ, રમતગમત, કળા સંગીત, વકૃત્વ, સેલ્ફ ડિફેન્સ, મુખ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ સાથે વિદ્યાર્થી સ્વાવલંબી અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મૂકવાની બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે.

1143 કરોડનું બજેટ, ક્યાં કેટલું ખર્ચાશે?

ચેરમેનને ખર્ચ અંગે વિગત આપતા ઉમેર્યું હતું કે એસ્ટાબ્લિશમેન્ટ પગાર ખર્ચ 91.17 ટકા એટલે કે 1 હજાર કરોડ 42 લાખથી વધુ, અને વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓનો ખર્ચ 6.78% એટલે કે 77 કરોડ, 50 લાખ અને શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 2.5 ટકા એટલે કે 2344.44 કરોડ જેટલું ફાળવવામાં આવ્યું છે.

52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે, 12 નવી સ્કૂલ

અમદાવાદની સ્કૂલોમાં નવા ક્લાસરૂમ તથા રીપેરીંગ કરવામાં આવનાર ક્લાસોની માહિતી આપવા જણાવ્યું હતું કે કુલ શાળાની સંખ્યા 54 છે. જેમાં નવા ક્લાસરૂમની સંખ્યા 449 છે. તેમજ 37 જેટલી શાળાઓ રીપેરીંગ કરવામાં આવશે. અને 565 જેટલા ક્લાસરૂમને રીપેરીંગ કરવામાં આવશે. આ સાથે સૈજપુર, દાણીલીમડા, મોટેરા, બાપુનગર, લીલાનગર, નવા વાડજ, વિંઝોલ, રખિયાલ, ઓઢવની કુલ 52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે અને ચાંદલોડિયા, અસારવા, સરખેજ, સૈજપુર, રાજપુર, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, નવા નરોડા જેવા વિસ્તારોમાં નવી શાળા બનાવવાની કામગીરી પ્રગતિમાં છે અને કુબેરનગર, કોતરપુર, સરદારનગર, નરોડા, કાલુપુર ,વટવા, ભાઈપુરા, રાણીપ, મણીનગર, બહેરામપુરા, અસારવા સહિતના વિસ્તારોમાં આ વર્ષમાં નવી શાળાઓ બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ સમગ્ર શહેરમાં કુલ 12થી વધુ નવી કોર્પોરેશનની સરકારી સ્કૂલો બનશે.

Related Posts

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?
  • December 16, 2025

Gujarat Politics: ગુજરાતમાં તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના નેતાઓએ અચાનક ચૂપકીદી સેવી લીધી છે અને હમણાં બધી ગતિવિધિઓ જાણે થંભી ગઈ હોય તેમ શાંત પડેલા માહોલ…

Continue reading
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
  • December 15, 2025

Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 7 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 4 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 7 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 16 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 14 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 10 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!