AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું

  • Gujarat
  • January 18, 2025
  • 2 Comments

અમદાવાદઃ નગર પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા ચાલુ વર્ષ એટલે કે 2025/26 માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણીનું કુલ 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરાયું છે.  ખાસ કરીને આ બજેટની વિશેષતા એ છે કે આ વખતે કેન્દ્રમાં વિદ્યાર્થી, વાલી અને શાળાને રાખવામાં આવ્યા છે.

બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજલ મહેતાએ જણાવ્યું હતું કે આ બજેટમાં નવી શિક્ષણનીતિ 2020 અનુસાર બાળકોને સ્કીલ ડેવલોપમેન્ટ, રમતગમત, કળા સંગીત, વકૃત્વ, સેલ્ફ ડિફેન્સ, મુખ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ સાથે વિદ્યાર્થી સ્વાવલંબી અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મૂકવાની બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે.

1143 કરોડનું બજેટ, ક્યાં કેટલું ખર્ચાશે?

ચેરમેનને ખર્ચ અંગે વિગત આપતા ઉમેર્યું હતું કે એસ્ટાબ્લિશમેન્ટ પગાર ખર્ચ 91.17 ટકા એટલે કે 1 હજાર કરોડ 42 લાખથી વધુ, અને વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓનો ખર્ચ 6.78% એટલે કે 77 કરોડ, 50 લાખ અને શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 2.5 ટકા એટલે કે 2344.44 કરોડ જેટલું ફાળવવામાં આવ્યું છે.

52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે, 12 નવી સ્કૂલ

અમદાવાદની સ્કૂલોમાં નવા ક્લાસરૂમ તથા રીપેરીંગ કરવામાં આવનાર ક્લાસોની માહિતી આપવા જણાવ્યું હતું કે કુલ શાળાની સંખ્યા 54 છે. જેમાં નવા ક્લાસરૂમની સંખ્યા 449 છે. તેમજ 37 જેટલી શાળાઓ રીપેરીંગ કરવામાં આવશે. અને 565 જેટલા ક્લાસરૂમને રીપેરીંગ કરવામાં આવશે. આ સાથે સૈજપુર, દાણીલીમડા, મોટેરા, બાપુનગર, લીલાનગર, નવા વાડજ, વિંઝોલ, રખિયાલ, ઓઢવની કુલ 52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે અને ચાંદલોડિયા, અસારવા, સરખેજ, સૈજપુર, રાજપુર, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, નવા નરોડા જેવા વિસ્તારોમાં નવી શાળા બનાવવાની કામગીરી પ્રગતિમાં છે અને કુબેરનગર, કોતરપુર, સરદારનગર, નરોડા, કાલુપુર ,વટવા, ભાઈપુરા, રાણીપ, મણીનગર, બહેરામપુરા, અસારવા સહિતના વિસ્તારોમાં આ વર્ષમાં નવી શાળાઓ બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ સમગ્ર શહેરમાં કુલ 12થી વધુ નવી કોર્પોરેશનની સરકારી સ્કૂલો બનશે.

Related Posts

Bhanagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, પોલીસે શરૂ કરી તપાસ
  • August 7, 2025

Bhanagar:  ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી…

Continue reading
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ
  • August 7, 2025

Ahmedabad: અમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં ગઈ કાલે બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી હતી જાણકારી મુજબ ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhanagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

  • August 7, 2025
  • 1 views
Bhanagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 6 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 6 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 13 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી