
Pentagon: ભારતને ચારે તરફથી ઘેરવા ચીને વ્યૂહરચના શરૂ કરી હોવાની વાતનો ખુલાસો થયો છે એક તરફ LAC પર ચીને એક સ્ટ્રેટેજિક મૌન ધારણ કરી રાખ્યું છે અને ચીન ભારત સાથે LAC પર શાંતિ જાળવવા અને સૈનિકોની તટસ્થતા (disengagement)ની વાતો કરે છે પણ હકીકતમાં શાંતિનો ભ્રમ ઉભો કરી પાકિસ્તાન સાથેની પોતાની રણનીતિ મજબૂત કરી રહ્યું છે, જે ભારત માટે ચેતવણી રૂપ છે.
ચીન પાકિસ્તાનને સૈન્ય મદદ, ટેકનોલોજી અને આર્થિક સહાય આપી રહ્યું છે, ખાસ કરીને CPEC (China-Pakistan Economic Corridor) જે ભારત માટે ચિંતાનો વિષય છે.ચીન હિમાલયન સરહદ પર રસ્તા, સુરંગો અને એરસ્ટ્રિપ્સનું નિર્માણ કરી રહ્યું છે,જે તેની લશ્કરી ક્ષમતા વધારવાનો સંકેત છે.
અમેરિકાની ચેતવણી: અમેરિકાના પેન્ટાગોન રિપોર્ટ મુજબ, આ ચીનની બેવડી રણનીતિ છે, જેમાં તે ભારતને ગેરમાર્ગે દોરી રહ્યું છે.ટૂંકમાં, ચીન ભારતને શાંતિનો ભ્રમ આપીને પાકિસ્તાન સાથેની પોતાની રણનીતિ મજબૂત કરી રહ્યું છે, જે ભારતની સુરક્ષા માટે પડકારરૂપ છે.ચીન વાસ્તવમાં ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો અમેરિકી ડિફેન્સ ઓફિસ પેન્ટાગોને પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો છે.
અમેરિકાએ ચીનના પડોશી દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે ચીન બેવડી ચાલ ચાલી રમી રહ્યું છે જેનાથી એલર્ટ થઈ જવાની જરૂર છે.ચીન એક તરફ ભારત સાથે સંબંધો સુધારી રહ્યું હોવાનો દેખાડો કરે છે અને બીજી તરફ પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરી તેને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત કરી રહ્યું છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને 2027 સુધીમાં તાઈવાન પર કબજો કરવા અને 2049 સુધીમાં દુનિયાભરમાં પોતાની ઈચ્છા મુજબ નિયમો બનાવી ચલાવવાનું મિશન બનાવી રાખ્યું છે.ચીન ભારતીય પ્રદેશ ઉપર કબ્જો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, અત્રે ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશની પ્રેમા વાંગજોમને શાંઘાઈ એરપોર્ટ ઉપર હેરાન કરવામાં આવી હતી અને ફ્લાઈટમાં બેસવા દેવામાં ન આવી ન હતી અને તેને કહેવામાં આવ્યું કે અરુણાચલ પ્રદેશ ચીનનો હિસ્સો છે તેથી તેમનો ભારતીય પાસપોર્ટ માન્ય નહીં ગણાય અને તેઓએ નવો ચીની પાસપોર્ટ બનાવવો પડશે.
મહત્વનું છે કે ગત મે મહિનામાં જ ચીને અરુણાચલ પ્રદેશની 27 જગ્યાઓના નામ બદલ્યા છે, ભારતના અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું ‘કોર ઈન્ટરેસ્ટ’ માને છે આ વિવાદિત વિસ્તારોમાં સાઉથ ચાઈના સી અને સેનકાકુ આઈલેન્ડ પણ સામેલ છે.પેન્ટાગોને કહ્યુ કે ચીન તેના પડોશીઓ દેશો સાથે વિવાદિત વિસ્તારો પર કબજો કરી ચીન પોતાનો વિસ્તાર વધારવા માગે છે.
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાન પોતાનો હિસ્સો બતાવી રહયા છે જ્યારે તાઈવાનનું કહેવું છે કે તે પહેલાથી જ આઝાદ છે અને તેનું પોતાનું બંધારણ, સેના અને ચૂંટાયેલી સરકાર છે અહી 67% નાગરિકો પોતાની ચીની નહિ પણ તાઈવાની માને છે તેઓ ચીનની દખલગીરી પસંદ કરતા નથી પણ ચીન પડોશીઓ સાથે વિવાદિત વિસ્તારો પર કબજો કરી પોતાનો વિસ્તાર કરવા માગે છે.
આમ ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ,શ્રીલંકા બધી જગ્યાએ ચીન પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે અને ભારતને ઘેરવાની રણનીતિમાં પડ્યું હોવાનું સપાટી ઉપર આવ્યુ છે, બીજી તરફ રશિયા ભલે ભારતને મિત્ર માને પણ ચીન અને રશિયા વચ્ચે ગાઢ સબંધો છે ત્યારે ચીન સાથેની કટોકટીમાં રશિયા પણ કામ લાગે તેમ નથી એટલુંજ નહિ જે અમેરિકા ભારતને ભલે ચેતવણી આપે પણ અમેરિકા પણ ડબલ ગેમ રમે છે અને ભારત સાથે સારા સંબંધોનો દેખાવ કરી પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે ત્યારે ચારેબાજુથી ઘેરાયેલા ભારતે અત્યંત સાવધાની પૂર્વક પોતાની રક્ષા કરવી પડી શકે છે અને ડિપ્લોમેસી મજબૂત કરવી પડશે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!








