Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

  • World
  • March 5, 2026
  • 0 Comments

■ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ માત્ર ચીન માટે ખુલ્લો રાખશે, ભારતને ‘નો એન્ટ્રી’ જાણો કેમ?

Trump: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ જારી રહ્યા છે, તો સામે ઈરાન પણ ઈઝરાયલ સહિત મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે.આ ત્રિકોણીય યુદ્ધમાં અત્યાર સુધીમાં 1145 લોકોના મોત થઈ ચૂક્યા છે.

બીજીતરફ ઈરાને વિશ્વભરના ટેન્કરો જ્યાંથી પસાર થાય છે તે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સંપૂર્ણ બંધ કરી દઈ ઈરાને ધમકી આપી છે કે, માત્ર ચીન સિવાય કોઈપણ દેશના ટેન્કર જો હોર્મુઝમાંથી પસાર થવાની કોશીશ કરશેતો તેને ફૂંકી મારવામાં આવશે.ઈરાને આ માર્ગ પરથી માત્ર ચીની જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે તે એટલા માટે કે વિશ્વના મંચ ઉપર ચીન અને રશિયાએ જ ખુલ્લેઆમ ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાની નિંદા કરી છે.

ચીને અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની ટીકા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યાને સાર્વભૌમ નેતાની ખુલ્લી હત્યા ગણાવીને રશિયા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.આ માર્ગ ચીન અને ભારત માટે અત્યંત મહત્વનો ગણાય છે પણ ભારતે ચૂપકીદી સેવતા ઈરાન સમજી ચૂક્યું છે કે ભારત તેના પક્ષમાં નથી.ઈરાન ભારતનું મિત્ર રાષ્ટ્ર હોવા છતાં અમેરિકા-ઈઝરાયેલના હુમલા તેમજ ખામેનીના મોત મામલે ભારત ચૂપ રહેતા ભારતના જહાજો પણ ઈરાન અહીંથી પસાર થવા નહિ દે મતલબ સાફ છે ‘દોસ્તી ખતમ’.

હવે ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) જાહેરાત કરી છે કે, અહીં ફસાયેલા તેલ ટેન્કર જહાજોને અમેરિકાનું નૌકાદળ સુરક્ષા કવચ આપશે. જેનાથી વિશ્વભરમાં ઊર્જાનો સપ્લાય ખોરવાશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘જો જરૂર પડશે તો અમેરિકન નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ પુરુ પાડશે.

■અમેરિકાએ ઈરાનનું જહાજ ડૂબાડયું ; 80ના મોત

યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં અમેરિકન સબમરીન ટોર્પિડોએ ઈરાની જહાજને તોડી પાડ્યું હતું. માનવતાના ધોરણે શ્રીલંકાના નૌકાદળે અમેરિકન હુમલાનો ભોગ બનેલા આ જહાજ પરના 32 ઘાયલને બચાવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જહાજ પર લગભગ 180 નૌસૈનિક હતા. ગુમ થયેલાઓને શોધવા માટે બચાવ કામગીરી શરૂ થઈ હતી.

મહત્વનું છે કે ગયા મહિને ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા 2026 ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાંથી ઈરાની યુદ્ધ જહાજ પરત ફરી રહ્યું હતુ ત્યારે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા પાસે ઈરાની જહાજ પર સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરી તેને ડૂબાડી દીધું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હોવાના આશંકા છે.બીજા વિશ્વયુદ્ધ પછી ટોર્પિડો દ્વારા દુશ્મનના જહાજને ડૂબાડવાની આ પ્રથમ ઘટના છે.આમ,હવે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગે પણ ઇરાનને ઘેરવા અમેરિકાએ પગલાં ભર્યા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?