Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

  • World
  • March 5, 2026
  • 0 Comments

■ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ માત્ર ચીન માટે ખુલ્લો રાખશે, ભારતને ‘નો એન્ટ્રી’ જાણો કેમ?

Trump: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ જારી રહ્યા છે, તો સામે ઈરાન પણ ઈઝરાયલ સહિત મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે.આ ત્રિકોણીય યુદ્ધમાં અત્યાર સુધીમાં 1145 લોકોના મોત થઈ ચૂક્યા છે.

બીજીતરફ ઈરાને વિશ્વભરના ટેન્કરો જ્યાંથી પસાર થાય છે તે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સંપૂર્ણ બંધ કરી દઈ ઈરાને ધમકી આપી છે કે, માત્ર ચીન સિવાય કોઈપણ દેશના ટેન્કર જો હોર્મુઝમાંથી પસાર થવાની કોશીશ કરશેતો તેને ફૂંકી મારવામાં આવશે.ઈરાને આ માર્ગ પરથી માત્ર ચીની જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે તે એટલા માટે કે વિશ્વના મંચ ઉપર ચીન અને રશિયાએ જ ખુલ્લેઆમ ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાની નિંદા કરી છે.

ચીને અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની ટીકા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યાને સાર્વભૌમ નેતાની ખુલ્લી હત્યા ગણાવીને રશિયા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.આ માર્ગ ચીન અને ભારત માટે અત્યંત મહત્વનો ગણાય છે પણ ભારતે ચૂપકીદી સેવતા ઈરાન સમજી ચૂક્યું છે કે ભારત તેના પક્ષમાં નથી.ઈરાન ભારતનું મિત્ર રાષ્ટ્ર હોવા છતાં અમેરિકા-ઈઝરાયેલના હુમલા તેમજ ખામેનીના મોત મામલે ભારત ચૂપ રહેતા ભારતના જહાજો પણ ઈરાન અહીંથી પસાર થવા નહિ દે મતલબ સાફ છે ‘દોસ્તી ખતમ’.

હવે ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) જાહેરાત કરી છે કે, અહીં ફસાયેલા તેલ ટેન્કર જહાજોને અમેરિકાનું નૌકાદળ સુરક્ષા કવચ આપશે. જેનાથી વિશ્વભરમાં ઊર્જાનો સપ્લાય ખોરવાશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘જો જરૂર પડશે તો અમેરિકન નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ પુરુ પાડશે.

■અમેરિકાએ ઈરાનનું જહાજ ડૂબાડયું ; 80ના મોત

યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં અમેરિકન સબમરીન ટોર્પિડોએ ઈરાની જહાજને તોડી પાડ્યું હતું. માનવતાના ધોરણે શ્રીલંકાના નૌકાદળે અમેરિકન હુમલાનો ભોગ બનેલા આ જહાજ પરના 32 ઘાયલને બચાવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જહાજ પર લગભગ 180 નૌસૈનિક હતા. ગુમ થયેલાઓને શોધવા માટે બચાવ કામગીરી શરૂ થઈ હતી.

મહત્વનું છે કે ગયા મહિને ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા 2026 ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાંથી ઈરાની યુદ્ધ જહાજ પરત ફરી રહ્યું હતુ ત્યારે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા પાસે ઈરાની જહાજ પર સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરી તેને ડૂબાડી દીધું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હોવાના આશંકા છે.બીજા વિશ્વયુદ્ધ પછી ટોર્પિડો દ્વારા દુશ્મનના જહાજને ડૂબાડવાની આ પ્રથમ ઘટના છે.આમ,હવે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગે પણ ઇરાનને ઘેરવા અમેરિકાએ પગલાં ભર્યા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય