
Kutch: કચ્છના ધોળાવીરા ખાતે પ્રવાસન વિભાગ અને પુરાતત્વ વિભાગ દ્વારા લાયસન્સ વગરના આશરે 35 ગાઈડને સાઈટ પરથી દૂર કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો, ધોળાવીરાને યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.
નિયમ મુજબ, માત્ર માન્યતા પ્રાપ્ત (License holder) ગાઈડ જ પ્રવાસીઓને માહિતી આપી શકે છે. અધિકારીઓએ લાયસન્સ ન ધરાવતા સ્થાનિક યુવાનોને સાઈટ પર ગાઈડિંગ કરતા અટકાવી દૂર કરાયા છે,સ્થાનિક રહેવાસીઓ અને ગાઈડ્સનો દાવો છે કે તેઓ વર્ષોથી અહીં સેવા આપી રહ્યા છે અને આ તેમના રોજગારનો મુખ્ય સ્ત્રોત છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ હોવાથી તેમણે વિરોધ નોંધાવ્યો હતો.
પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓને સચોટ અને પ્રમાણિત ઇતિહાસની માહિતી મળે તે હેતુથી માત્ર તાલીમબદ્ધ અને લાયસન્સ ધરાવતા ગાઈડ્સને જ મંજૂરી આપવામાં આવી છે.સ્થાનિકોની માગ છે કે તેમને જ તાલીમ આપીને લાયસન્સ આપવામાં આવે જેથી બહારના લોકોની જગ્યાએ સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે,આ ઘટના બાદ ધોળાવીરાના સ્થાનિક ગાઈડ્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને યોગ્ય ઉકેલ લાવવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી.આ અંગે ત્યાંના સ્થાનિક ગાઈડ ચમન ભાઈ મકવાણા એ વધુ વિગતો આપી હતી જુઓ, વિડીયો
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








