લોકસભા Vs રાજ્યસભા: અનુરાગ ઠાકોરે ‘TB મુક્ત ભારત’ના સંકલ્પ સાથે ધમાકેદાર સદી ફટકારીને ટીમને અપાવી જીત

  • Sports
  • December 15, 2024
  • 0 Comments

ટીબીના રોગ અંગે જાગૃતિ વધારવાના ધ્યેય સાથે સાંસદો વચ્ચે મૈત્રી ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં લોકસભા અધ્યક્ષ ઈલેવનની ટીમનો રાજ્યસભા અધ્યક્ષ ઈલેવનની ટીમ સામે 73 રને વિજય થયો છે. લોકસભા ઈલેવન તરફથી અનુરાગ ઠાકુરે ધમાકેદાર બેટિંગ કરી સદી ફટકારી છે. આ ઉપરાંત લોકસભા ઈલેવન તરફથી દીપેન્દ્ર હુડ્ડાએ પણ શાનદાર બોલિંગ કરી છે, જે માટે તેમને બેસ્ટ બોલર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો છે. લોકસભાની ટીમે પ્રથમ બેટીંગ કરી નિર્ધારીત 20 ઓવરમાં 251 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જેના જવાબમાં રાજ્યસભાની ટીમ માત્ર 178 બનાવી શકી હતી.

રાજ્યસભા ઈલેવનના બેટર મોહમ્મદ અઝહરુદ્દીને સૌથી વધુ 74 રન ફટકાર્યા છે. તેમને કોંગ્રેસ સાંસ દીપેન્દ્ર સિંહ હુડ્ડા (Deepender Singh Hooda)એ આઉટ કર્યા છે. આ ઉપરાંત સુકાની કિરણ રિજિજુ માત્ર એક રન બનાવી શક્યા છે. એન.ડાંગીએ 28 રન, સુધાકરને 27 રન બનાવ્યા છે. લોકસભાની ટીમે જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે રાજ્યસભાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 178 રન બનાવી શકી છે. આમ લોકસભાની ટીમે 73 રનથી મેચ જીતી લીધી છે. લોકસભા ઈલેવનના બોલર નિશિકાંત દુબેએ બે વિકેટ ઝડપી છે.

અનુરાગ ઠાકુરે 65 બોલમાં અણનમ 111 રન કર્યા

લોકસભા ઈલેવન તરફથી રમી રહેલા મનોજ તિવારીએ છ બોલમાં 13 રન બનાવ્યા છે. દીપેન્દ્ર હુડ્ડાએ 6 રન, ચંદ્રશેખર આઝાદે 54 રન નોંધાવ્યા છે. અનુરાગ ઠાકુરે 65 બોલમાં અણનમ 111 રન કર્યા છે. જ્યારે રાજ્યસભા તરફથી કિરણ રિજિજુએ ચાર ઓવરમાં 57 રન આપી એક વિકેટ ખેરવી છે. સૌમિત્ર ખાને બે ઓવરમાં 20 રન આપી એક વિકેટ ઝડપી છે. રવિ કિશરને એક ઓવરમાં 17 રન આપી એક વિકેટ મેળવી છે. કમલેશ પાસવાને ત્રણ ઓવરમાં 26 રન આપ્યા હતા અને તેમણે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા છે. આ ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ એક ઓવર બોલિંગ કરી હતી અને તેમણે એક વિકેટ પાડવામાં સફળતા મેળવી છે.

‘ટીબી મુક્ત જાગૃતતા ક્રિકેટ મેચ’

લોકસભા અધ્યક્ષ ઈલેવન અને રાજ્યસભા અધ્યક્ષ ઈલેવન વચ્ચે રમાયેલી મેચને ‘ટીબી મુક્ત જાગૃતતા ક્રિકેટ મેચ’ નામ અપાયું છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર (Anurag Thaku) લોકસભા ટીમના સુકાની હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ (Kiren Rijiju) રાજ્યસભા અધ્યક્ષ ઈલેવન ટીમના કેપ્ટન હતા. અનુરાગ ઠાકુરે જીત બાદ કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં ટીબીથી થતો મૃત્યુદર 38 ટકા ઘટ્યો છે. નવા કેસ પણ લગભગ 18 ટકા ઘટ્યા છે. જોકે હજુ પણ આપણે જાગૃતિ કેળવવાની જરૂર છે. ટીબી હજુ પણ એક કલંક છે, તેથી આપણે બધાને કહેવું પડશે કે, ટીબીની સારવાર સંભવ છે. સરકાર મફત દવાઓ આપે છે.

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 2 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

  • June 27, 2026
  • 5 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 7 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા