
Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ
વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતો દ્વારા શરૂ કરાયેલો ઉગ્ર વિરોધ.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી ખેતીની જમીનમાં ઊભા કરાતા વીજ થાંભલા (ટાવર) અને લાઈનના કારણે પાક તેમજ જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેમને યોગ્ય વળતર પણ મળતું નથી.
વીજ કંપની સામે આરપારની લડાઈ લડવા માટે વાવડી ગામના સરપંચ ભાવેશભાઈ સહિત કુલ ૭ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે.
ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓએ અન્નનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને માત્ર પાણી પર રહીને સત્યાગ્રહ કરી રહ્યા છે.
વાવડી ગામે આવેલા શ્રી રામદેવપીરજી મહારાજ મંદિર પાસે ખાસ ‘કિસાન સત્યાગ્રહ છાવણી’ ઊભી કરવામાં આવી છે, જ્યાં ખેડૂતો એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે.









