
Unified Pension Scheme: કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ(UPS)ની જાહેરાત કરીને કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ જૂની પેન્શન યોજનામાં ફેરફાર કરી કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન પૂરું પાડવાનો છે, જેથી કર્મચારીઓને નિવૃત્તિ પછી નાણાકીય સ્થિરતા રહે છે. 24 જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરાયલ સરકારી જાહેરનામામાં જણાવાયું છે કે આ UPS યોજના 1 એપ્રિલ, 2025 થી UPS અમલમાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે UPSને મંજૂરી આપી છે.
હવે જૂની અને નવી પેન્શન યોજનાને બદલે UPS શરૂ કરવામાં આવશે. જે મુજબ કમસે કમ 25 વર્ષની નોકરી પછી બેઝિક પેમેન્ટના 50% રકમ UPS હેઠળ મળશે એટલે કે આ રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. 10 વર્ષની સર્વિસ પછી, ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા પેન્શન તરીકે મળશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની સંભાવના