
Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો. શરૂઆતમાં આ ભારતીય જનતા પાર્ટીના ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભાગ હતો, પરંતુ અનેક રાજ્યોમાં સરકારી શાળાઓ, જિલ્લા વહીવટીતંત્ર, પંચાયતો અને અન્ય જાહેર સંસ્થાઓ પણ તેની સાથે જોડાયેલી જોવા મળી. ભાજપે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એક મહિના માટે સેવા સંકલ્પ અભિયાનની રૂપરેખા જાહેર કરી હતી.
‘जनसेवा से देशसेवा’ माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के जीवन का मूल ध्येय रहा है। सरकार के प्रमुख के रूप में जन-सेवा और राष्ट्र-निर्माण के संकल्प को समर्पित उनकी 25 वर्षों की यह यात्रा अभूतपूर्व रही है।
उनके दूरदर्शी नेतृत्व ने देश को एक नई दिशा और सामर्थ्य प्रदान किया… pic.twitter.com/aNxSeVP0kA
— Nitin Nabin (@NitinNabin) September 14, 2026
14 સપ્ટેમ્બરની ભાજપની અપીલથી શરૂઆત
14 સપ્ટેમ્બરે ભાજપ અધ્યક્ષ નિતિન નવીને સોશિયલ મીડિયા મારફતે સાંજે 6થી 7 વાગ્યા વચ્ચે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવાની અપીલ કરી હતી. આ અપીલમાં વડાપ્રધાનના લાંબા જાહેર જીવન, દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 15 સપ્ટેમ્બરે J.P. નડ્ડાએ ‘સેવા દિવસ’ સાથે સ્વચ્છતા અભિયાન, રક્તદાન અને આરોગ્ય શિબિરો સહિતની પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરી હતી.
17 तारीख को हम सेवा दिवस मनाएंगे। इसके तहत स्वच्छता से लेकर रक्तदान शिविर से हेल्थ कैंप तक, हर तरीके से सेवा करने का काम हमारे करोड़ों कार्यकर्ता करने वाले हैं।
इसके साथ ही इसी दिन शाम को 6-7 बजे मोदी जी को चाहने वाले करोड़ों लोग ‘आशीर्वाद का दीया’ भी जलाएंगे।
ये एक-एक दीया… pic.twitter.com/hXniYUgqaz
— BJP (@BJP4India) September 15, 2026
દિલ્હીની સરકારી શાળાઓ સુધી કાર્યક્રમ
દિલ્હીમાં ઓછામાં ઓછી 75 CM શ્રી સરકારી શાળાઓમાં દીવા પ્રગટાવવાના નિર્દેશ અંગે અહેવાલ સામે આવ્યા હતા. શાળાઓને કાર્યક્રમનું વીડિયો રેકોર્ડિંગ કરીને ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરવા જણાવાયું હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ભાષણ, ચિત્રકલા અને રીલ બનાવવાની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. કર્તવ્ય પથ પર આશરે 1.25 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिन के अवसर पर आज ‘सेवा संकल्प अभियान’ के तहत सीएम श्री स्कूल, सरोजिनी नगर में ‘आशीर्वाद का दीया’ कार्यक्रम में विद्यार्थियों और शिक्षकों के साथ सहभागिता की।
बच्चों ने अपनी रचनात्मकता के माध्यम से विकसित भारत @2047 के अपने सपनों… pic.twitter.com/DtfRwrH3eR
— Ashish Sood (@ashishsood_bjp) September 17, 2026
બિહારમાં સરકારી અને ખાનગી શાળાઓ માટે આદેશ
બિહારમાં 14 સપ્ટેમ્બરના શિક્ષણ વિભાગના પત્રમાં 17 સપ્ટેમ્બરની સાંજે તમામ સરકારી અને ખાનગી શાળાઓ તથા છાત્રાલયોમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવા સૂચના આપવામાં આવી હતી. શિક્ષકોની સક્રિય ભાગીદારી સાથે કાર્યક્રમ યોજવા અને શિક્ષણ વિભાગની કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા પણ કહેવામાં આવ્યું હતું. પત્રમાં દરેક દીવાને ‘વિકસિત ભારત 2047’ના સામૂહિક સંકલ્પ સાથે જોડવામાં આવ્યો હતો. આથી ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમ અને સરકારી વહીવટી આદેશ વચ્ચેની સમાનતા અંગે સવાલો ઊભા થયા.
This evening at Kartavya Path, where a lamp-lighting ceremony was being held to celebrate PM Modi’s birthday, led by Delhi CM Rekha Gupta, I spotted several schoolchildren in uniform.
I spoke to some of them. They told me their schools had directed them to attend the event, even… pic.twitter.com/WlA9lbqdZX
— pranav pradhi (@pranavpradhi1) September 17, 2026
હરિયાણામાં લાભાર્થી પરિવારોને 3,97,664 દીવા
હરિયાણાના પલવલમાં જિલ્લા વહીવટીતંત્રે 1,98,832 લાભાર્થી પરિવારોને બે-બે દીવા આપવાની વ્યવસ્થા કરી હતી. એટલે કુલ 3,97,664 દીવા વિતરણ કરવાનો લક્ષ્યાંક હતો. સરકારી ઇમારતો, વિકાસ પ્રોજેક્ટો, ધાર્મિક સ્થળો અને બૂથ સ્તરે દીવા પ્રગટાવવાની યોજના સાથે રક્તદાન શિબિર પણ રાખવામાં આવી હતી.
पाटलिपुत्र स्पोर्ट्स कॉम्प्लेक्स में माननीय मुख्यमंत्री श्री @samrat4bjp जी, माननीय राजस्व एवं भूमि सुधार विभाग मंत्री श्री @DilipJaiswalBJP जी, माननीय खेल एवं उद्योग मंत्री सुश्री श्रेयसी सिंह जी, माननीय सांसद श्री @rsprasad जी सहित उपस्थित सम्मानित जनों ने ‘आशीर्वाद का दीया’… pic.twitter.com/YDzzodi3jZ
— BJP Bihar (@BJP4Bihar) September 17, 2026
ઉત્તર પ્રદેશમાં કરોડો દીવાઓનું આયોજન
ઉત્તર પ્રદેશમાં 75 જિલ્લાઓમાં કુલ 5.90 કરોડ દીવા પ્રગટાવવાનો દાવો કરવામાં આવ્યો. ગૌતમ બુદ્ધ નગરમાં સરકારી કચેરીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વિકાસખંડ કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વૃદ્ધાશ્રમ અને કસ્તુરબા ગાંધી વિદ્યાલયો જેવા સ્થળોને પણ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. કેટલાક અહેવાલોમાં શાળાઓમાં શિક્ષકોની હાજરી અને વિદ્યાર્થીઓને ઘરે દીવા પ્રગટાવી તસવીરો શેર કરવા અંગેના નિર્દેશોનો પણ ઉલ્લેખ થયો હતો.
મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં મોટા પાયે ઉજવણી
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા ઘાટો અને મહાકાલ લોક વિસ્તારમાં 25 લાખથી વધુ દીવા પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજનને સાત સેક્ટર અને 250 સબ-સેક્ટરમાં વહેંચવામાં આવ્યું હતું, જ્યારે આશરે 11,000 બ્લોક બનાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં 18,500થી વધુ સ્થળોએ 88 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવાની યોજના હતી. અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ પર 1.25 લાખ અને અટલ બ્રિજ પર 76 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા. રાજ્યમાં મંદિરો, રિવરફ્રન્ટ, જાહેર સ્થળો, ટાઉનહોલ, બગીચા અને અન્ય સ્થળોને પણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
કોલકાતા અને છત્તીસગઢમાં પણ સરકારી સંસ્થાઓ જોડાઈ
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને 17 સપ્ટેમ્બર માટે 8.5 લાખ દીવા ખરીદવાની યોજના બનાવી હતી. 17 વિધાનસભા વિસ્તારોમાં દરેક ધારાસભ્યને 50 હજાર દીવા આપવાની યોજના હતી.
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં અમૃત સરોવરો પર દીવા પ્રગટાવવાની તૈયારી હતી. કેટલાક સરોવરો પર 500-500 અને કનેરી અમૃત સરોવર પર 11 હજાર દીવા પ્રગટાવવાના આયોજનની માહિતી આપવામાં આવી હતી. કોરબામાં 5.50 લાખ દીવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
Never celebrated my birthday. This is a day I do not take any calls or meet any person. I try to avoid programes: Narendra Modi
— narendramodi_in (@narendramodi_in) September 5, 2013
દીવા, તેલ અને સરકારી સંસાધનો અંગે સવાલ
મે 2026માં વડાપ્રધાને ખાદ્ય તેલનો વપરાશ 10 ટકા ઘટાડવાની અપીલ કરી હતી અને આયાત પર ખર્ચાતી વિદેશી મુદ્રાનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ જન્મદિવસના કાર્યક્રમોમાં લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા. આટલા મોટા આયોજનમાં દીવા, તેલ, પરિવહન અને અન્ય સામગ્રી પાછળ કેટલો ખર્ચ થયો અને તેનો સ્ત્રોત શું હતો, તે અંગે પારદર્શક માહિતીનો સવાલ ચોક્કસ ઊભો થાય છે.
What if your birthday wish for PM Modi came with a selfie together?
‘AI Shubhkamna’ makes it possible — create a personalised AI-generated selfie with PM @narendramodi and turn your heartfelt thoughts into a unique birthday e-card.
Join the Seva Sankalp Abhiyan on NaMo App and… pic.twitter.com/OoeuqcFiBY
— narendramodi_in (@narendramodi_in) September 17, 2026
મુદ્દો દીવાનો નહીં, પક્ષ અને સરકારની ભૂમિકાની સીમાનો છે
‘આશીર્વાદનો દીવો’ શરૂઆતમાં ભાજપની રાજકીય-સંગઠનાત્મક અપીલ હતી. પરંતુ જ્યારે સમાન કાર્યક્રમ સરકારી શાળાઓ, શિક્ષકો, જિલ્લા વહીવટીતંત્ર, સરકારી ઇમારતો, લાભાર્થી પરિવારો અને નગરપાલિકા જેવી જાહેર સંસ્થાઓ સુધી પહોંચે છે, ત્યારે પક્ષના કાર્યક્રમ અને સરકારી કાર્યક્રમ વચ્ચેની સીમા અંગે ચર્ચા સ્વાભાવિક બને છે.
સવાલ એ છે કે આવા કાર્યક્રમોમાં સરકારની ભૂમિકા ક્યાં સુધી વહીવટી સહયોગની છે અને ક્યાંથી તે પક્ષીય કાર્યક્રમ સાથે જોડાય છે? સરકારી સંસાધનો, કર્મચારીઓ અને જાહેર સંસ્થાઓની ભાગીદારી માટે કયા નિયમો લાગુ પડે છે અને તેનો ખર્ચ કયા બજેટમાંથી થયો, તેની સ્પષ્ટતા જાહેર થવી જરૂરી છે.
વડાપ્રધાને ભૂતકાળમાં પોતાના જન્મદિવસને લઈને કાર્યક્રમોથી દૂર રહેવાની વાત કરી હતી. બીજી તરફ 2026માં જન્મદિવસની ઉજવણી ‘સેવા સંકલ્પ અભિયાન’, ‘આશીર્વાદનો દીવો’ અને ડિજિટલ AI શુભેચ્છા જેવા વિવિધ સ્વરૂપોમાં વિસ્તરી. પરિણામે ચર્ચાનો કેન્દ્ર માત્ર જન્મદિવસની ઉજવણી રહ્યો નથી, પરંતુ રાજકીય સંગઠનના અભિયાનમાં સરકારી તંત્ર અને જાહેર સંસાધનોની ભૂમિકા કેટલી હોવી જોઈએ તે પ્રશ્ન પણ બન્યો છે.







