Mahakumbh Monalisa: મહાકુંભથી મોનાલિસાનું ભાગ્ય બદલાયું, દીપિકા, કરીના અને કેટરિનાને આપશે ટક્કર!

  • Famous
  • January 30, 2025
  • 1 Comments

Monalisa’s Rise: દિગ્દર્શક સનોજ મિશ્રા મહાકુંભ(Mahakumbh)માં વાયરલ થયેલી છોકરી મોનાલિસાના(Monalisa) ગામમાં ગયા અને તેને તેમની ફિલ્મ(Film) ‘ડાયરી ઓફ મણિપુર’ માટે સાઇન કરી છે. મહાકુંભમાં પોતાની સુંદર આંખો અને સુંદર સ્મિતના કારણે વાયરલ થયેલી મોનાલિસા હવે પોતાના ઘરે એટલે કે મધ્યપ્રદેશના મહેશ્વર પાછી ફરી છે. પ્રયાગરાજ યોજાયેલા કુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચવાની હતી, પરંતુ તેને 15 દિવસમાં કુંભનો મેળો છોડી દઈ ઘરે પાછા આવી જવું પડ્યું હતુ. કારણ કે વાયરલ થયા પછી, તે માળા વેચી ન શકી. લોકો તેની તસ્વીરો અને વિડિયો બનાવવા આગળ-પાછળ ફરતાં હતા. તે જ્યા ઉભી રહેતી ત્યા ભીડ એકઠી થઈ જતી. જેના કારણે તે ડરી ગઈ હતી અને તેને પિતાએ ઘરે મોકલી દીધી હતી.

ડિરેક્ટર સનોજ મિશ્રા મોનાલિસાના ગામ પહોંચ્યા

દિગ્દર્શક સનોજ મિશ્રા આજે મોનાલિસાના ગામ પહોંચ્યા અને તેમને તેમની ફિલ્મ ડાયરી ઓફ મણિપુર(Diary of Manipur)  માટે સાઇન કરી છે. આ ફિલ્મમાં મોનાલિસા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના શૂટિંગ પહેલા તેને મુંબઈમાં અભિનયની તાલીમ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કુંભમાં અચાનક ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ, મોનાલિસાની સુંદરતા અને આકર્ષક વ્યક્તિત્વે મેળામાં આવતા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પછી સનોજ મિશ્રાએ નક્કી કર્યું કે તે પોતાની ફિલ્મમાં મોનાલિસાને લેશે. દિગ્દર્શક સનોજ મિશ્રા હાલમાં ફિલ્મ ‘ડાયરી ઓફ મણિપુર’ની તૈયારીમાં કરી રહ્યા છે.

મણિપુર હિંસા પર આધારિત ફિલ્મ બનશે

આ ફિલ્મ મણિપુરના હિંસના મુદ્દા પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સનોજ મિશ્રા એક એવા દિગ્દર્શક છે જે સમાજના સળગતા મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે. પછી ભલે તે તેમની ફિલ્મ ‘કાશી ટુ કાશ્મીર’ હોય કે ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’. તેમની ફિલ્મનો ઘણો વિરોધ થયો છે. તેમને ઘણીવાર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી. આની પરવા કર્યા વિના, સનોજ મિશ્રાએ ફિલ્મ રિલીઝ કરી છે. જે લોકો પણ ખૂબ પસંદ પડે છે.

સનોજ મિશ્રા ઘણી ફિલ્મનું કરી છે ડિરેક્ટ

આ ફિલ્મ પહેલા સનોજ મિશ્રાએ ગાંધીગીરી, તરાના- ધ બ્લેક સ્ટોરી, રામ કી જન્મભૂમિ, લફંગે નવાબ, કાશી થી કાશ્મીર, શશાંક અને ગઝનવી જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. લખનૌ નજીક રાયબરેલીના રહેવાસી સનોજ મિશ્રાને સિનેમા પ્રત્યે એટલો બધો લગાવ હતો કે મુંબઈ આવ્યા પછી, તેઓ 12 વર્ષ સુધી ઘરે ગયા નહીં. મુંબઈ આવતા પહેલા તેણે પોતાની બાઇક નદીમાં ફેંકી દીધી હતી. બાઇક મળ્યા પછી જ્યારે સનોજ મિશ્રાનો કોઈ પત્તો લાગ્યો નહીં, ત્યારે તેમના પરિવારે તેમને મૃત માન્યા.

ફિલ્મ ‘ડાયરી ઓફ મણિપુર’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મના લેખક, નિર્માતા અને દિગ્દર્શક સનોજ મિશ્રા છે, જે સનોજ મિશ્રા ફિલ્મ્સના બેનર હેઠળ બનવા જઈ રહી છે. ફિલ્મના સહ-નિર્માતાઓ યામીન ખાન, જાવેદ દેવરિયાવાલે છે. આ ફિલ્મના પબ્લિસિસ્ટ સંજય ભૂષણ પટિયાલા છે.

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

  • June 29, 2026
  • 4 views
PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 5 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 7 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 6 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 12 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 15 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ