
- રાહુલ ગાંધીના આ વિચારોને મોદીએ સાંભળ્યા તો હશે પરંતુ ફાયદો શું!
રાહુલ ગાંધીએ 3 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં જે વક્તવ્ય આપ્યું તે મારા ખ્યાલથી અત્યાર સુધીનો સૌથી સારૂં વક્તવ્ય હતું. તે પછી એક સાંસદના રૂપમાં હોય કે પછી વિરોધ પક્ષના નેતા તરીકે. આપણા દેશને આવનારા દિવસોમાં કેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે, વૈશ્વિક સ્તર પર આપણું મહત્વ કેમ ઓછું થઈ રહ્યું છે, કેવી રીતે ફરીથી તેને ઠિક કરી શકાય છે, અમેરિકાને કેમ આપણા વગર ચાલે તેમ નથી, ચીન સાથે કેમ આપણે કોઈ જ સ્પર્ધામાં ઉતરી શકતા નથી, દેશના યુવાઓને કઈ દિશા આપવી જરૂરી છે? આવા અનેક જરૂરી મુદ્દાઓ ઉપર રાહુલ ગાંધીએ સંસદમાં વાત કરી છે. UPAની પણ તે ભૂલને રાજનીતિથી ઉપર ઉઠીને સ્વીકારી છે કે તે પણ રોજગાર ઉભો કરવામાં સફળ થઈ નહતી.