Ahmedabad News: અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કરી, પિતાની ધરપકડ, વાંચો સમગ્ર ઘટના

  • Gujarat
  • February 5, 2025
  • 0 Comments

Ahmedabad Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખુદ પિતાએ જ 10 વર્ષિય પુત્રની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. હાલ આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  પિતાએ જ બાળકની સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દેતા મોત થયું છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના બાપુનગરમાં નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષિય બાળકને મોતના મુખમાં ધકેલી દીધો છે. ઓમન નામના બાળકને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી છે.

પ્રાથમિક તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પત્ની મહેસાણા ગઈ ત્યારે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ India vs England ODI Match: ક્રિકેટ મેચની ટિકીટ ખરીદતી વખતે નાસભાગ, લોકો ગંભીર ઈજાગ્રસ્ત, વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ

આરોપી પિતા પોલીસ મથકે હાજર થઈ ગયો

આ ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, મારા ભાઈએ મને જણાવ્યું હતું કે મારી પત્ની મહેસાણા ગઈ હતી. ઘરે હું માતા-પિતા અને પુત્ર-પુત્રી સાથે હાજર હતો. તે સમયે મને મારા બાળકો સાથે મરી જવાનો વિચાર આવતાં સવારના આશરે સાડા નવેક વાગ્યે મે પુત્ર અને પુત્રીને ઉલ્ટી ન થાય તેવી દવા પીવડાવી હતી.

પુત્રને ઉલટી થતાં પિતા ગભરાઈ ગયો

બાદમાં એક ગ્લાસમાં આશરે 30 ગ્રામ જેટલો સોડીયમ નાઈટ્રાઈટ નાંખી મારા દિકરાને પીવડાવ્યું હતું. થોડીવાર બાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. જે જોઈ હું ગભરાઈ ગયો હતો અને ઘરેથી ભાગી ગયા બાદ પોલીસ સ્ટેશન આવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. હાલ આ ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ Rajkot News: ઉપલેટામાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ, ઉમેદવારી પાછી ખેંચવા ભાજપનું દબાણ, પોલીસનો ઉપયોગ, ભાજપે આપ્યો જવાબ

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 1 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 4 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 8 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 10 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 10 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા