
- ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિક સહિત 7 ઘૂસણખોરોને કર્યા ઠાર
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી જ્યારે નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દૈનિક ભાસ્કરે પોતાના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. ભારતીય સેનાને આ અંગે માહિતી મળી અને તેમણે પહેલા જ હુમલો કરી કાવતરું નિષ્ફળ બનાવ્યું.
ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 લોકોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) ના 3-4 સભ્યો પણ માર્યા ગયા. આ ટીમ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત છે.
જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાં BAT ટીમના સભ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આતંકવાદીઓ અલ બદ્ર જૂથના હોઈ શકે છે
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અલ બદ્ર જૂથના સભ્યો હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પહેલાથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલીશું.
પાકિસ્તાની પીએમએ કહ્યું- વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ આવશે
ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલીશું.
PoKમાં થઈ જૈશ-લશ્કરની મીટિંગ; સરકારે આપી મંજૂરી
પાકિસ્તાની પીએમના નિવેદન પછી સરકારે POKના રાવલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને એક રેલીની મંજૂરી આપી હતી. તેમાં બંદૂકો અને AK-47 લહેરાવવામાં આવી હતી. આ રેલીમાં એન્ટી ઈન્ડિયન નારા લગાવવામાં આવ્યા હતા. આમાં હમાસના લીડર્સ પણ હાજર હતા.
આ પણ વાંચો- હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?








