કેમ અનુરાગ ઠાકૂરે રાહુલ ગાંધીને કહ્યું- ચેક કરી લો શૂન્ય?

  • India
  • February 10, 2025
  • 1 Comments

કેમ અનુરાગ ઠાકૂરે રાહુલ ગાંધીને કહ્યું- ચેક કરી લો શૂન્ય?

હાલમાં સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સંસદમાં રાહુલ ગાંધીનું નામ લઈને પેમ્ફલેટ દેખાડતા કહ્યું હતું કે, ‘રાહુલજી શૂન્ય ચેક કરી લો.’

અનુરાગ ઠાકુરે સંસદમાં જે પેમ્ફલેટ દેખાડ્યું હતું તેમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય કર છે તેવું લખ્યું હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘હજુ એક શૂન્ય છે. આ કોંગ્રેસની બેઠકો વિશે નથી. મેં રાહુલ ગાંધીને શૂન્ય ગણવા વિશે કહ્યું છે.’

અનુરાગ ઠાકૂરે કહ્યું- કોંગ્રેસે બનાવ્યો શૂન્યનો રેકોર્ડ

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું તમારી સામે પૂછવા માંગું છું કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને કેટલી બેઠકો આપી હતી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય)
વર્ષ 2019માં લોકસભામાં કોંગ્રેસને કેટલી બેઠકો મળી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય)
વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં કેટલી બેઠકો મળી શૂન્ય
વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો મળી? (હાજર સંસદમાં બેસેલા સત્તા પક્ષના સાંસદોએ કહ્યું શૂન્ય)
વર્ષ 2025માં વિધાનસભામાં કેટલી બેઠકો મળી શૂન્ય
જો આ શૂન્ય બનાવવાનો રેકોર્ડ કોઈએ બનાવ્યો છે તો એ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે બનાવ્યો છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘આપણે છેલ્લા પાંચ દાયકાથી ગરીબી નાબૂદીના માત્ર નારા સાંભળ્યા છે.

અમે ગરીબોને માત્ર નારા નથી આપ્યા, અમે તેમને સાચો વિકાસ આપ્યો છે. અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જ્યારે જમીન સાથે જોડાયેલા લોકો જમીનની વાસ્તવિકતા જાણીને જમીન પર પોતાનું જીવન વિતાવે છે, ત્યારે જમીન પર પરિવર્તન નિશ્ચિત બને છે.’

વધુમાં મોદીએ કહ્યું હતું કે, ‘ગરીબોનું દુઃખ, સામાન્ય માણસની મુશ્કેલીઓ, મધ્યમ વર્ગના સપનાઓને એમ જ સમજી શકાતા નથી, તેના માટે જુસ્સાની જરૂર છે. દુઃખની વાત છે કે કેટલાક લોકો પાસે તે નથી. વરસાદની ઋતુમાં પ્લાસ્ટિકની ચાદર અને છાપરા નીચે રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. ક્યારેક ક્યારેક સપનાઓ ચકનાચૂર થઈ જાય છે. દરેક વ્યક્તિ આ સમજી શકતી નથી.’

આ પણ વાંચો- સોનાના ભાવમાં 1100 રૂપિયાનો વધારો; 88600 હજાર રૂપિયાની ઐતિહાસિક ટોચે

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 9 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 9 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 21 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ