KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

  • Gujarat
  • February 12, 2025
  • 3 Comments

Kheda  News: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં  દારુ પીધા બાદ ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસનું કહેવું છે કે સોડા પીવાથી મોત થયા. જ્યારે પરિવારનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ ત્રણેય લોકોના મોત થયા છે. ત્યારે સચ્ચાઈ શું છે તે હજું સુધી બહાર આવી નથી. જેથી ખેડા પોલીસ શંકાના દાયરામાં આવી છે.

બે દિવસ અગાઉ નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં  ત્રણ લોકોના મોત થયા હતા. મોતના બે દિવસ બાદ પણ પોલીસ મોતનું કારણ છૂપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે હવે પીએમ અને વિસેરાના રિપોર્ટને આગળ ધરી લઠ્ઠાકાંડ પરથી પડદો પાડવાની કોશિશ કરી રહી છે. જો કે સવાલો થઈ રહ્યા છે આ ત્રણ લોકોએ એવું તે કયું કેમિકલ પીધું કે તેમના મોત થયા? તેનું ચોક્કસ કારણ પોલીસ પણ જણાવી શકી નથી.  પોલીસ કહે છે સોડા પીધા બાદ મોત થયા. જ્યારે પરિવારના લોકોનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ મોત થયા છે. જેથી ખેડા જીલ્લા પોલીસ સામે શંકાની સોય ઉભી થઈ છે.

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતાં કનુ ચૌહાણ, રવિન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાહાના દેશી દારુ પીધા બાદ રહસમ્ય સંજોગોમાં મોત થયા છે. પોલીસ વડા રાજેશ ગઠિયાએ કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટ( હ્રદય અને ફેફસા બંધ થવા)થી ત્રણેય લોકોના મોત થયાનું રટણ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું વિસેરાના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ વધુ સ્પષ્ટ થસે. જો કે પોલીસ ગોળગોળ જવાબથી પોલીસ શંકાના ઘેરામાં આવી છે. હાલ આ મામલાની તપાસ એલસીબી શાખાના પોલીસ ઈસ્પેક્ટર કરી રહ્યા છે.

પોલીસે કહ્યું છે કે નડિયાદ સિવિલ હોસ્પિટલ મારફતે બ્લડ સેમ્પલ મેળવી ચકાસણી કરાવી હતી. જેમાં દારુ પીવાથી મોત થયું નથી. તેવું તારણ બહાર આવ્યું નથી. બ્લડ રિપોર્ટમાં જણવા મળ્યું હતુ કે મિથેનોલ મળી આવ્યુ નથી. ત્યારે સવાલ થાય છે કે દારુ પીધાની જ ચકાસણી કેમ થઈ? બીજા કયા કેમિકલના તત્વો છે, તેની તપાસ કરાઈ નથી.

 

ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરના અનેક ઠેકાણે દારુના અડ્ડાઓ ધમધમે છે. છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ થયા છે. જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે પોલીસ જાગે છે. આ અગાઉ પણ સિરપ કાંડમાં પણ 6થી વધુ લોકોના મોત થયા હતા.

લઠ્ઠો બનાવવાની પ્રક્રિયાને ઝડપથી બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ કરાય છે

લઠ્ઠો મુખ્યત્વે દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફળોને પાણીમાં સડાવીને બનાવવામાં આવતો હોય છે. ગોળ અને ફળોને સડાવવા માટે પાણી સાથે માટલામાં ભરી રાખવામાં આવે છે. ઘણી વખત ફર્મેન્ટેશનની પ્રોસસ ઝડપી બનાવવા માટે માટલાને જમીનની અંદર રાખવામાં આવે છે. નિષ્ણાંતોના અનુસાર ફર્મેન્ટેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે બુટલેગરો તેમાં મિથેનોલનો ઉપયોગ કરતાં હોય છે.

 

આ પણ વાંચોઃ Mahakumbh 2025: માઘી પૂર્ણિમાના અમૃત સ્નાન માટે ભારે ભીડ ઉમટી, 74 લાખ ભક્તોએ વહેલી સવારે સ્નાન કર્યું

આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

 

 

  • Related Posts

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
    • May 5, 2026

    Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

    Continue reading
    Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત
    • May 5, 2026

    Vadnagar Suicide And Murder Case: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક એવી હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધો છે. હીરાના કારખાનામાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 2 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

    • May 5, 2026
    • 6 views
    Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

    Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

    • May 5, 2026
    • 8 views
    Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

    • May 5, 2026
    • 8 views
    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

    Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

    • May 5, 2026
    • 11 views
    Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

    • May 4, 2026
    • 11 views
    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત