ધર્મગુરૂ દલાઈ લામા-સંબિત પાત્રાને Z કેટેગરીની સિક્યોરિટી

  • India
  • February 13, 2025
  • 1 Comments
  • ધર્મગુરૂ દલાઈ લામા-સંબિત પાત્રાને Z કેટેગરીની સિક્યોરિટી

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ધાર્મિક ગુરુ દલાઈ લામા અને ભાજપ નેતા સંબિત પાત્રાની સુરક્ષામાં વધારો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓએ બંનેની સુરક્ષા અંગે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોપ્યો હતો, ત્યારબાદ મંત્રાલયે બંનેને Z શ્રેણીની સુરક્ષા આપી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ મુજબ કુલ 33 સુરક્ષા કર્મચારીઓ દલાઈ લામાની ચોવીસ કલાક સુરક્ષા કરશે. તેમાં 12 કમાન્ડો અને 6 PSO સામેલ છે. સુરક્ષા કર્મચારીઓમાં 10 આર્મડ સ્ટેટિક ગાર્ડ પણ તેમના નિવાસસ્થાને તહેનાત કરાશે. જ્યારે સંબિત પાત્રાને માત્ર મણિપુરમાં જ Z શ્રેણીની સુરક્ષા પુરી પડાશે, જેમાં CRPFના જવાનો તહેનાત રહેશે. આઈબીએ રિપોર્ટ આપ્યા બાદ ગૃહમંત્રાલયે પાત્રાની સુરક્ષા વધારી છે.

આ પણ વાંચો-અમેરિકા બીજા ગેરકાયદે ભારતીયોને 16-17 ફેબ્રુઆરીએ કરશે ડિપોર્ટ

દલાઈ લામાની સુરક્ષા કરવા માટે ટ્રેન્ડ ડ્રાઈવર અને દેખરેખ રાખતા કર્મચારીઓ ચોવીસ કલાક ડ્યુટી પર રહેશે. આ ઉપરાંત ત્રણ શિફ્ટમાં કુલ 12 કમાન્ડો તેમના સુરક્ષા પુરી પાડશે. ચીન સામે નિષ્ફળ વિદ્રોહ બાદ દલાઈ લામા 1959માં ભારત આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓને છેલ્લા ઘણા વર્ષોથી રિપોર્ટ મળી રહ્યો છે કે, ચીન સમર્થિક તત્વો અને વિવિધ સંસ્થાઓથી દલાઈ લામા પર સંભવિત ખતરો છે. આ જ કારણે તેમની સુરક્ષા વધારવામાં આવી છે.

મણિપુરમાં છેલ્લા બે વર્ષમાં અનેક જાતિય હિંસાઓની ઘટના બની છે. આ ઉપરાંત મુખ્યમંત્રી એન.બિરેન સિંહે તાજેતરમાં જ રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રા હાલ મણિપુરના પ્રવાસે છે. તેમણે બુધવારે (12 ફેબ્રુઆરી) બે વખત મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. તેમણે મણિપુરમાં ભાજપના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી.

આ પણ વાંચો- બનાસકાંઠાની ધરા ધ્રૂજી; પાલનપુર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

  • Related Posts

    BJP: રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદ સાથે BJPમાં જોડાવાની કરી જાહેરાત! કહ્યું, જનતાની નજીક જવા માંગુ છું!
    • April 24, 2026

    BJP: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે આજે શુક્રવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આ જાહેરાત કરી તે વખતે…

    Continue reading
    Bengal: બંગાળમાં ઠેર ઠેર હિંસા,હુમાયુ કબીરની કાર પર હુમલો, સુવેન્દુ સરકારને દોડાવી દોડાવીને માર્યા!
    • April 23, 2026

    Bengal: પશ્ચિમ બંગાળમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે ઠેરઠેર હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે, ૧૫૨ મતવિસ્તારો માટે મતદાનના પ્રથમ તબક્કા દરમિયાન વ્યાપક હિંસા ફાટી નીકળી છે.મુર્શિદાબાદમાં હુમાયુ કબીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

    • April 25, 2026
    • 3 views
    AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

    Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

    • April 25, 2026
    • 5 views
    Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

    PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

    • April 25, 2026
    • 8 views
    PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

    Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

    • April 25, 2026
    • 10 views
    Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

    AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

    • April 24, 2026
    • 7 views
    AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

    PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

    • April 24, 2026
    • 8 views
    PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?