
Adani Cement: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે આવેલી અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રદૂષણના કારણે ખેતી, પશુપાલન અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી હોવાના આક્ષેપો સાથે ફરિયાદો ઉઠવા પામી છે,અહીં વસવાટ કરતા રામભાઈ જોટવાએ The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલને જણાવ્યું હતું કે તેઓના પરિવારમાં કંપનીના પ્રદૂષણને કારણે પથરી અને લીવરના રોગો થયા અને ઓપરેશન કરાવવા પડયા છે.
ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદૂષણથી લીવર (Liver) અને કિડનીમાં પથરી (Kidney Stones) સહિતના ગંભીર રોગો થવાનું જોખમ વધી જાય છે. હવામાં રહેલા ઝેરી રજકણો શ્વાસ દ્વારા શરીરમાં જઈ લોહીમાં ભળે છે, જે લીવરમાં સોજો, ફેટી લીવર અને ક્યારેક લિવર કેન્સરનું કારણ બની શકે છે ત્યારે ગ્રામજનોએ ગંભીર સમસ્યામાં જીવવા મજબુર બન્યા છે ત્યારે ગ્રામજનોને પડતી તકલીફો તેમજ પ્રદૂષણ અંગે ઉઠેલી ફરિયાદોનો વાસ્તવિક ચિતાર જોવા જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









