Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 148મી રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના અદ્ભુત સમન્વય સાથે શરૂ થઈ છે. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સવારે 7 વાગ્યે રથમાં બિરાજી નગરચર્યા માટે નીકળ્યા હતા. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે તેમજ આ રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરવામાં આવ્યો હતો.

પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

મહત્વનું છે કે, અમદાવાદમાં પ્લેન ક્રેશની દુખદ ઘટના બની જેમાં 279 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટના બાદ એવી ચર્ચા હતી કે, ભગવાન જગન્નાથ રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નિકળશે. જગન્નાથ મંદિરમાં ટ્રક સંચાલક એસોસિએશન સાથે બેઠક મળી હતી. જે બાદ ખાસ રથયાત્રા મોટર એસો.ના પ્રમુખે એવું નિવેદન આપ્યું હતુ કે, પ્લેન દુર્ઘટના અને પહેલ ગામ હુમલા ઘટના બાદ ખોટી રીતે શોર નહીં પરંતુ ધાર્મિકતા સાથે રથયાત્રા કાઢવામાં આવશે જે બાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે. ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ કરીને નિર્ણય લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

Ahmedabad

જગન્નાથની ભક્તિની સાથે મોદી ભક્તિ

ત્યારે હવે જ્યારે આ રથયાત્રા કાઢવામાં આવી છે ત્યારે રથયાત્રામાં ટ્રકોને ઓપરેશન સિંદૂરની થીમ સાથે સણગારવામાં આવી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથની ભક્તિની સાથે ઓપરેશન સિંદૂરના નામે મોદી ભક્તિ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રથયાત્રામાં ટ્રકો પર મોદીના મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, ઓપરેશન સિંદૂરને નરેન્દ્ર મોદીએ પાર પાડ્યું હોય તેવું તંત્ર દ્વારા બતાવવામાં આવી રહ્યું છે અને સેનાની કામગીરીનો શ્રેય લેવામાં આવી રહ્યો છે.

 ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ ન છોડી 

મહત્વનું છે કે, હજુ તો પહેલગામનો બદલો લેવામાં આવ્યો નથી, જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તે પણ ખોટા હોવાનું સામે આવ્યું છે.ત્યારે પહેલગામનો બદલો લીધા વગર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરના નામે વાહવાહી લૂંટવામાં આવી રહી છે તે પણ એવા સમયે જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશનમાં આટલા લોકોના મોત થયા છે જેનો થોડો પણ મલાજો તંત્ર દ્વારા જાળવવામાં નથી આવી રહ્યો.

ઉલ્લેખનીય છે કે, જ્યારે નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ જ્યાં તેઓ જવાના હત ત્યાં સમગ્ર શહેરને ઓપરેશન સિદૂરની થીમ સાથે સણગારમાં આવ્યું અને તેમાં નરેન્દ્ર મોદીના મોટા મોટા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે સિંદૂરીયા ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. રથયાત્રામાં દેશભક્તિનો રંગ જોવા મળે પરંતુ જે કામ હજુ પુરુ નથી થયું તેનો શ્રેય લેવામાં આવી  રહ્યો છે અને તે પણ એવા સમયે જ્યારે અમદાવાદમાં આટલા બધા લોકોના મોત થયા છે આવા સમયે  આપરેશન સિંદૂરનો જશ લેવામાં ભગવાન જગન્નાથને પણ નથી છોડવામાં આવ્યા.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?

Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • Related Posts

    Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
    • December 12, 2025

    Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

    Continue reading
    Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
    • December 11, 2025

    (સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 5 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    • December 13, 2025
    • 5 views
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    • December 13, 2025
    • 5 views
    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    • December 13, 2025
    • 5 views
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    • December 13, 2025
    • 10 views
    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

    • December 13, 2025
    • 8 views
    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ