Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 148મી રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના અદ્ભુત સમન્વય સાથે શરૂ થઈ છે. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સવારે 7 વાગ્યે રથમાં બિરાજી નગરચર્યા માટે નીકળ્યા હતા. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે તેમજ આ રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરવામાં આવ્યો હતો.

પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

મહત્વનું છે કે, અમદાવાદમાં પ્લેન ક્રેશની દુખદ ઘટના બની જેમાં 279 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટના બાદ એવી ચર્ચા હતી કે, ભગવાન જગન્નાથ રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નિકળશે. જગન્નાથ મંદિરમાં ટ્રક સંચાલક એસોસિએશન સાથે બેઠક મળી હતી. જે બાદ ખાસ રથયાત્રા મોટર એસો.ના પ્રમુખે એવું નિવેદન આપ્યું હતુ કે, પ્લેન દુર્ઘટના અને પહેલ ગામ હુમલા ઘટના બાદ ખોટી રીતે શોર નહીં પરંતુ ધાર્મિકતા સાથે રથયાત્રા કાઢવામાં આવશે જે બાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે. ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ કરીને નિર્ણય લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

Ahmedabad

જગન્નાથની ભક્તિની સાથે મોદી ભક્તિ

ત્યારે હવે જ્યારે આ રથયાત્રા કાઢવામાં આવી છે ત્યારે રથયાત્રામાં ટ્રકોને ઓપરેશન સિંદૂરની થીમ સાથે સણગારવામાં આવી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથની ભક્તિની સાથે ઓપરેશન સિંદૂરના નામે મોદી ભક્તિ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રથયાત્રામાં ટ્રકો પર મોદીના મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, ઓપરેશન સિંદૂરને નરેન્દ્ર મોદીએ પાર પાડ્યું હોય તેવું તંત્ર દ્વારા બતાવવામાં આવી રહ્યું છે અને સેનાની કામગીરીનો શ્રેય લેવામાં આવી રહ્યો છે.

 ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ ન છોડી 

મહત્વનું છે કે, હજુ તો પહેલગામનો બદલો લેવામાં આવ્યો નથી, જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તે પણ ખોટા હોવાનું સામે આવ્યું છે.ત્યારે પહેલગામનો બદલો લીધા વગર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરના નામે વાહવાહી લૂંટવામાં આવી રહી છે તે પણ એવા સમયે જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશનમાં આટલા લોકોના મોત થયા છે જેનો થોડો પણ મલાજો તંત્ર દ્વારા જાળવવામાં નથી આવી રહ્યો.

ઉલ્લેખનીય છે કે, જ્યારે નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ જ્યાં તેઓ જવાના હત ત્યાં સમગ્ર શહેરને ઓપરેશન સિદૂરની થીમ સાથે સણગારમાં આવ્યું અને તેમાં નરેન્દ્ર મોદીના મોટા મોટા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે સિંદૂરીયા ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. રથયાત્રામાં દેશભક્તિનો રંગ જોવા મળે પરંતુ જે કામ હજુ પુરુ નથી થયું તેનો શ્રેય લેવામાં આવી  રહ્યો છે અને તે પણ એવા સમયે જ્યારે અમદાવાદમાં આટલા બધા લોકોના મોત થયા છે આવા સમયે  આપરેશન સિંદૂરનો જશ લેવામાં ભગવાન જગન્નાથને પણ નથી છોડવામાં આવ્યા.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?

Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!