Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

Ahmedabad: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉમંગભેર આરંભ થયો છે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના અદ્ભુત સમન્વય સાથે શરૂ થઈ છે. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે તેમજ આ રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરવામાં આવ્યો હતો. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સવારે 7 વાગ્યે રથમાં બિરાજી નગરચર્યા માટે નીકળ્યા છે. લાખો ભક્તોની ભીડે શહેરને ભક્તિમય માહોલથી રંગી દીધું છે.

148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી અને ભક્તિભાવથી દર્શન કર્યાં. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરી અને ગુજરાતના નાગરિકો, ખાસ કરીને કચ્છી સમુદાયને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

દિલીપદાસજી મહારાજને જગતગુરૂનું સન્માન

જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ‘જગતગુરૂ’ની ઉચ્ચ પદવી એનાયત કરવામાં આવી. હવે તેઓ ‘જગતગુરૂ દિલીપદાસજી મહારાજ’ તરીકે ઓળખાશે.

અદ્ભુત શણગાર

ભગવાન જગન્નાથે સોનાનો મુગટ અને આભૂષણો ધારણ કર્યા છે, ત્યારે ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો છે.

રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદ પોલીસે ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે કડક અને વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવ્યો છે, 20,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ રથયાત્રાના માર્ગ પર ડ્રોન કેમેરાથી મોનીટરીંગ, CCTV દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય.

રથયાત્રાનું મહત્વ

મહત્વનું છે કે, અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથ સરસપુરમાં મોસાળ જાય છે, જ્યાં બલરામ અને સુભદ્રા સાથે મામેરાની પરંપરા નિભાવવામાં આવે છે. સરસપુરની પોળમાં લાખો ભક્તો જમણવારમાં સહભાગી થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, રંગબેરંગી વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રાને અનોખું આકર્ષણ આપે છે. આ યાત્રા ભક્તિ, આનંદ અને ઉલ્લાસનો અદ્ભુત પર્વ બની રહે છે, જે અમદાવાદની શાન વધારે છે.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?

Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • Related Posts

    Pavagadh: પાવાગઢમાં 2 દિવસથી પાર્કિંગ કરેલી કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, જાણો વધુ
    • June 29, 2025

    Dead bodies found in Pavagadh: પંચમહાલ જીલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડ પાસે ટેક્ષી પાર્કિંગ વિસ્તારમાં બે દિવસથી પાર્ક કરેલી એક ઇનોવા કારમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળી…

    Continue reading
    તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire
    • June 29, 2025

    અહેવાલ: ઉમંગ રાવલ Talod rubber factory fire: સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pavagadh: પાવાગઢમાં 2 દિવસથી પાર્કિંગ કરેલી કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, જાણો વધુ

    • June 29, 2025
    • 9 views
    Pavagadh: પાવાગઢમાં 2 દિવસથી પાર્કિંગ કરેલી કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, જાણો વધુ

    Uttarkashi cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 લોકોના મોત, 7 ગુમ, ચારધામ યાત્રા પર રોક

    • June 29, 2025
    • 10 views
    Uttarkashi cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 લોકોના મોત, 7 ગુમ, ચારધામ યાત્રા પર રોક

    તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

    • June 29, 2025
    • 14 views
    તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

    Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

    • June 29, 2025
    • 22 views
    Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

    દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

    • June 29, 2025
    • 37 views
    દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

    UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

    • June 29, 2025
    • 47 views
    UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો