AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું

  • Gujarat
  • January 18, 2025
  • 2 Comments

અમદાવાદઃ નગર પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા ચાલુ વર્ષ એટલે કે 2025/26 માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણીનું કુલ 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરાયું છે.  ખાસ કરીને આ બજેટની વિશેષતા એ છે કે આ વખતે કેન્દ્રમાં વિદ્યાર્થી, વાલી અને શાળાને રાખવામાં આવ્યા છે.

બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજલ મહેતાએ જણાવ્યું હતું કે આ બજેટમાં નવી શિક્ષણનીતિ 2020 અનુસાર બાળકોને સ્કીલ ડેવલોપમેન્ટ, રમતગમત, કળા સંગીત, વકૃત્વ, સેલ્ફ ડિફેન્સ, મુખ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ સાથે વિદ્યાર્થી સ્વાવલંબી અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મૂકવાની બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે.

1143 કરોડનું બજેટ, ક્યાં કેટલું ખર્ચાશે?

ચેરમેનને ખર્ચ અંગે વિગત આપતા ઉમેર્યું હતું કે એસ્ટાબ્લિશમેન્ટ પગાર ખર્ચ 91.17 ટકા એટલે કે 1 હજાર કરોડ 42 લાખથી વધુ, અને વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓનો ખર્ચ 6.78% એટલે કે 77 કરોડ, 50 લાખ અને શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 2.5 ટકા એટલે કે 2344.44 કરોડ જેટલું ફાળવવામાં આવ્યું છે.

52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે, 12 નવી સ્કૂલ

અમદાવાદની સ્કૂલોમાં નવા ક્લાસરૂમ તથા રીપેરીંગ કરવામાં આવનાર ક્લાસોની માહિતી આપવા જણાવ્યું હતું કે કુલ શાળાની સંખ્યા 54 છે. જેમાં નવા ક્લાસરૂમની સંખ્યા 449 છે. તેમજ 37 જેટલી શાળાઓ રીપેરીંગ કરવામાં આવશે. અને 565 જેટલા ક્લાસરૂમને રીપેરીંગ કરવામાં આવશે. આ સાથે સૈજપુર, દાણીલીમડા, મોટેરા, બાપુનગર, લીલાનગર, નવા વાડજ, વિંઝોલ, રખિયાલ, ઓઢવની કુલ 52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે અને ચાંદલોડિયા, અસારવા, સરખેજ, સૈજપુર, રાજપુર, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, નવા નરોડા જેવા વિસ્તારોમાં નવી શાળા બનાવવાની કામગીરી પ્રગતિમાં છે અને કુબેરનગર, કોતરપુર, સરદારનગર, નરોડા, કાલુપુર ,વટવા, ભાઈપુરા, રાણીપ, મણીનગર, બહેરામપુરા, અસારવા સહિતના વિસ્તારોમાં આ વર્ષમાં નવી શાળાઓ બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ સમગ્ર શહેરમાં કુલ 12થી વધુ નવી કોર્પોરેશનની સરકારી સ્કૂલો બનશે.

Related Posts

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
  • October 28, 2025

Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

Continue reading
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 8 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 12 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 7 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 20 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 6 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 20 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા