
Stone Pelting Ahmedabad: ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. ત્યારે આ જીતનો જશ્ન મનાવવાની બાબતને લઈ અમદાવાદના ખોખરામાં પથ્થરમારો થયો છે. ફટાકડા ફૂડવા બાબતે મારામારી સાથે પથ્થરમારો થયો છે.
ગત સાંજે અનુપમ ત્રણ રસ્તા નજીક પથ્થરમારાનો બનાવ બન્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં રમાયેલ મેચમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ ફટાકડા ફોડીને કરાઈ રહેલી ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો.
ફટાકડા ફોડતા સમયે રસ્તામાંથી પસાર થઈ રહેલા બે વ્યક્તિ સાથે બબાલ થઈ હતી. જે બાદ પથ્થરમારાની ઘટના ઘટી હતી. પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યાં છે. અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.
‘ફટાકડાનો તણખો ઉડતા થઈ બબાલ’
એક સ્થાનિક આક્ષેપ કર્યો છે કે ફટાકાડા ફોડતાં હતા ત્યારે એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા. ફટાકડાંનો તણખો ઉડતાં બબાલ થઈ હતી. જે બાદ બાઈક પર આવેલા બે શખ્સોએ 20 લોકના ટોળાને બોલાવ્યું હતુ. આ ટોળાએ આવીને પથ્થરમારો કર્યો હતો. જેમાં મારા ભત્રીજાને 6 ટાંકા આવ્યા છે. તેને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે. ટોળામાં લોકો કોણ હતા તે અમને ખબર નથી. પણ અહીં જોરદાર પથ્થરમારો થયો છે.
આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?
આ પણ વાંચોઃ SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી
આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમ ગુસ્સે