Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

Gandhiji: મહાત્મા ગાંધીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેઓનું જીવન સાદગીથી ભરેલું હતું અને દેશ આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવ્યું હતું પણ આજે તે ઇતિહાસને તોડી મરોડીને અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે ત્યારે આ અંગે The Gujarat Reportના સિનિયર પત્રકાર દીલીપ પટેલે આ અંગે ચુસ્ત ગાંધીવાદી અને લેખક હેમંત કુમાર શાહ સાથે વિસ્તૃત છણાવટ કરી હતી જે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

મહાત્મા ગાંધી ભારતીય સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા હતા, જેઓએ અહિંસા અને સત્યાગ્રહ દ્વારા બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા,ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં પણ નાગરિક અધિકારો માટે લડ્યા હતા ભારતમાં ચંપારણ, ખેડા, અસહકાર, અને દાંડીકૂચ જેવી ચળવળોથી બ્રિટીશરોને થકવાડી દીધા હતા અને દેશને આઝાદી મળી ત્યાં સુધી અહિંસક માર્ગ ઉપર આંદોલન કરતા રહયા જેના કારણે તેઓ “રાષ્ટ્રપિતા” અને “મહાત્મા” કહેવાયા.

● ગાંધીજીનો જન્મ અને પ્રારંભિક જીવન કેવું રહયુ?

ગાંધીજીનો જન્મ તા.2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો,ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતા પુતલીબાઈ હતા,ગાંધીજીના શિક્ષણની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટ અને ભાવનગરમાં પ્રારંભિક ગ્રેજ્યુએશન સુધી શિક્ષણ મેળવ્યા બાદ કાયદાનો અભ્યાસ (બેરિસ્ટર) કરવા લંડન ગયા અને ત્યાં વકીલાત કરી,ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે (૧૮૯૩-૧૯૧૪) લડ્યા અને પ્રથમ વખત ‘સત્યાગ્રહ’ નામના અહિંસક આંદોલન અમલમાં લાવ્યા.

ત્યારબાદ ૧૯૧૫માં ગાંધી ભારત પરત ફરીને એક સન્યાસીની જેમ સાદગી ભર્યા જીવનનો પ્રારંભ કર્યો અને અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી ત્યાંથી ભારતની આઝાદીની લડતનો પાયો નાખ્યો.

ગાંધીજીના ૧૯૧૭ ચંપારણ સત્યાગ્રહ ગળીના ખેડૂતો માટે પ્રથમ લડત બાદ ૧૯૧૮ ખેડા સત્યાગ્રહ ખેડૂતોની મહેસૂલ માફી માટે આંદોલન સહિત અસહકાર આંદોલનના ભાગરૂપે (૧૯૨૦-૨૨)બ્રિટિશ સંસ્થાઓનો બહિષ્કાર,દાંડીકૂચ (મીઠાનો સત્યાગ્રહ) ૧૯૩૦ મીઠાના કાયદાનો ભંગ,હિંદ છોડો આંદોલન (૧૯૪૨): “કરો યા મરો” નો નારો આપ્યો.ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ, ખાદી, અને કોમી એકતા જેવા રચનાત્મક કાર્યો દ્વારા ભારતીય સમાજમાં સુધારા કર્યા. તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આજે પણ વિશ્વભરમાં પ્રેરણારૂપ છે.

પૂજ્ય ગાંધીજીની મહાત્મા ગાંધીની હત્યા 30 જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મધ્ય નવી દિલ્હીના બિરલા હાઉસના પરિસરમાં નથુરામ ગોડસેએ હત્યા કરી હતી ત્યારે હવે બદલાયેલા સમયમાં ગાંધીજીના ઈતિહાસ બદલવાનો પ્રયાસ કરાઈ રહ્યાની ચર્ચાઓ છે જે અંગે ગાંધીવાદી હેમંત કુમાર શાહ સાથે વિસ્તૃત જાણકારી આપી છે જાણો તેઓએ શુ કહ્યું? પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
  • June 16, 2026

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 5 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 9 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો