BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે તેવી વાતો કરતા હતા અને તે વખતના વડાપ્રધાન મનમોહન સિંહે ભારતના રાજ્યો પણ નથી જોયા તેટલું ભ્રમણ અડવાણીજીએ કર્યું હોય તેઓ પાસે બહોળો અનુભવ છે અને ખરેખરતો અડવાણીએ દેશના વડાપ્રધાન હોવા જોઈએ તેમ મોદી કહેતા હતા પણ ત્યારબાદ બદલાયેલા સમીકરણોમાં 2013-2014 થી ધીમે ધીમે પાર્ટીની મુખ્ય નિર્ણય લેવાની પ્રક્રિયાઓ અને સક્રિય ચૂંટણી રાજકારણમાંથી પણ ગુરુ અડવાણી  દૂર થતા ગયા.

નરેન્દ્ર મોદીના ઉદય સાથે ગુરુ હાંસિયામાં ધકેલાઈ ગયા તે સૌ કોઈ જાણે છે,(2013-14): 2013 માં ગોવા રાષ્ટ્રીય કાર્યકારિણીમાં નરેન્દ્ર મોદીને 2014 ના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા પછી અડવાણી દૂર થતાં ગયા કારણકે તેઓનું વડાપ્રધાન પદનું સપનું માત્ર સપનું રહી ગયું અને શિષ્ય વડાપ્રધાન બનવાના હતા જે પછીથી બની પણ ગયા,ભાજપે વય અને અનુભવના આધારે વરિષ્ઠ નેતાઓના જૂથ, માર્ગદર્શક મંડળની રચના કર્યા પછી અડવાણીનો તેમાં સમાવેશ થઈ ગયો અને ત્યારબાદ સક્રિય રાજકારણમાંથી કાયમ માટે હાંસિયામાં ધકેલાઈ ગયા.

કારણ કે ત્યારબાદ 2019 ની સામાન્ય ચૂંટણીઓ માટે તેમનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સામેલ નહોતું, અને ભાજપે તેમને ગાંધીનગરથી ટિકિટ આપી ન હતી,પાકિસ્તાન ટિપ્પણી (૨૦૦૫) જિન્નાહ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી પછી આરએસએસ સાથેના તેમના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા.

આજે માત્ર તેમના જન્મ દિવસે મોદી સહિતના નેતાઓ તેમને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી ફોટા પડાવે છે બાકીના દિવસોમાં તેઓને કોઈ યાદ કરતું નથી આમ, પક્ષને શૂન્યથી શિખર સુધી લઈ જનારા અડવાણી, પોતાના પક્ષમાં નવી પેઢીના ઉદય અને નીતિગત ફેરફારોને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયા જોકે તેમને ૨૦૨૪ માં ભારત રત્ન આપવામાં આવ્યો ત્યારે હેડલાઈન્સમાં રહયા,કહેવાય છે ને કે ‘સમય બલવાન નહિ મનુષ્ય બલવાન!’

આમ,ભાજપના વરીષ્ઠ નેતા વડાપ્રધાન બની ન શક્યા તે વાત આજેપણ એટલી જ ચર્ચામાં છે કારણ કે બોલેલા બોલ ક્યારેય ભુલાતા નથી નરેન્દ્ર મોદીનો જૂનો વિડીયો આજેપણ જોઈ શકાય છે કે તેઓની ઈચ્છા હતી કે પોતાના ગુરુ વડાપ્રધાન બને પણ એવું શું થયું કે બાદમાં શિષ્ય જ ગાદી સંભાળી લીધી,સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે તે વિડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.
  • June 29, 2026

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે. દિલીપ પટેલ અમદાવાદ, 29 જૂન 2026 510…

Continue reading
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!
  • June 28, 2026

Bet Dwarka Temple Treasure Controversy: દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને બેટ દ્વારકા માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પરંતુ કરોડો સનાતની હિન્દુઓની અતૂટ આસ્થાનું જીવંત કેન્દ્ર છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ તરીકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

  • June 29, 2026
  • 2 views
Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 5 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 9 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 13 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ