
Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં એક પત્ર અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સીજેઆઈને સુઓ મોટો સંજ્ઞાન લેવા માટે કહેવામાં આવ્યું છે. આ અરજી બે ડોક્ટરો દ્વારા મોકલવામાં આવી છે. આ સાથે એર ઇન્ડિયા વિમાન ક્રેશના પીડિતોને વળતર આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. ડૉ. સૌરવ કુમાર અને ડૉ. ધ્રુવ ચૌહાણે વકીલ સત્યમ સિંહ રાજપૂત દ્વારા પત્ર અરજી આપી છે.
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના અંગે ચીફ જસ્ટિસને પત્ર લખીને અરજી મોકલવામાં આવી છે. સૌરવ કુમાર અને ધ્રુવ ચૌહાણ નામના બે ડોક્ટરોએ ચીફ જસ્ટિસને પત્ર લખીને માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ વિમાન દુર્ઘટનાનું સ્વતઃ સંજ્ઞાન લે.
કોર્ટે કેન્દ્ર સરકારને દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારજનોના દરેક લોકોને (ફ્લાઇટમાં મુસાફરો તેમજ બીજેએમસી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર) ને 50 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવો જોઈએ.
કોર્ટે કેન્દ્રને આ દુર્ઘટના અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો નિર્દેશ આપવો જોઈએ. આ સમિતિમાં SC/HCના નિવૃત્ત ન્યાયાધીશો, ઉડ્ડયન નિષ્ણાતો અને વીમા અને નાણાકીય બાબતોના નિષ્ણાતોનો સમાવેશ થવો જોઈએ. જેથી વળતરની રકમ યોગ્ય રીતે નક્કી કરી શકાય. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને અકસ્માતના કારણની વિગતવાર તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપવો જોઈએ જેથી આવા અકસ્માતો ફરી ન બને.
પ્લેનમાં સવાર માત્ર એકનો જીવ બચ્યો
અમદવાદમાં 12 જૂને બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યઆંક 300 સુધી પહોંચવા આવ્યો છે. આ એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનગરમાં આવેલી ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર પડ્યું હતુ. જેથી તેમાં રહેલા ભાવિ ડોક્ટરોના પણ મોત થયા છે. કહેવાય છે કે 50થી વધુ ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા છે. જ્યારે પ્લેનમાં સવાર 242માંથી માત્ર એક વ્યક્તિ જીવત બચી છે.
આ પણ વાંચો:
‘આનાથી પણ ખતરનાક હુમલો થશે…’, ટ્રમ્પે ઈરાનને ધમકી કેમ આપી? | Donald Trump
Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો
Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!
MP: ભોપાલમાં 90 ડિગ્રીનો વળાંકવાળો બ્રિજ બનતા ઉઠ્યા સવાલ, લોકોનો પિત્તો આસમાને
Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!
Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી
Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ
Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો
Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ
Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ
Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું