Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાની સૂચના હોટલાઇન દ્વારા મળતાં જ નરોડા અને શાહપુર ફાયર સ્ટેશનોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. શહેરના તમામ 19 ફાયર સ્ટેશનોને એલર્ટ કરીને 100થી વધુ ફાયર વાહનો સાથે 650 ફાયર કર્મચારીઓએ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.

ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી 31 લોકોનો જીવ બચાવ્યો

આ કામગીરીમાં ચાર ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ચાર ટીમો રચવામાં આવી હતી. આગ બુઝાવવા અને ઠંડક માટે 7.5 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો. બચાવ કામગીરી દરમિયાન 31 લોકોને સુરક્ષિત રીતે બચાવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 90થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા. સમગ્ર કામગીરી માત્ર ચાર કલાકમાં પૂર્ણ થઈ.

આયોજનબદ્ધ રીતે કામ કરવાથી આગ પર કાબુ મેળવાયો

અમદાવાદ ફાયર વિભાગને આ કામગીરીમાં નજીકના કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પોલીસ, NDRF, CISF, ભારતીય સેના અને NGOનો પૂરો સહયોગ મળ્યો. ચીફ ફાયર ઓફિસર ડોંગરેએ જણાવ્યું કે, “આયોજનબદ્ધ રીતે કામ કરવાના કારણે અમે આગને કાબૂમાં લઈ શક્યા અને બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી.”

અમદાવાદ વિમાન દુર્ઘટના બચાવ કામગીરીના મુખ્ય મુદ્દાઓ

– 12 જૂનના રોજ બપોરે 1:43 વાગ્યે કોલ મળ્યો

– તમામ19 ફાયર સ્ટેશનો તરફથી પ્રતિભાવ

– 100 થી વધુ ફાયર વાહનો તૈનાત

– 4 ઇમારતોમાં બચાવ કામગીરી માટે 4 ટીમો બનાવવામાં આવી

– 31 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા

– સ્થળ પર 90 થી વધુ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી

– કામગીરી 4 કલાક ચાલી

– અગ્નિશામક અને ઠંડક માટે 7.5 લાખ લિટર પાણીનો ઉપયોગ

– ફાયર વિભાગની કામગીરીમાં 650 કર્મચારીઓ સામેલ

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • Related Posts

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
    • June 16, 2025

    Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

    Continue reading
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી
    • June 16, 2025

    Visavadar, Kadi By-Election 2025: ગુજરાતની વિસાવદર (જૂનાગઢ) અને કડી (મહેસાણા) વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025 (ગુરુવાર)ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી અને પરિણામ 23 જૂન, 2025 (સોમવાર)ના રોજ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

    • June 16, 2025
    • 9 views
    Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

    India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    • June 16, 2025
    • 15 views
    India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    • June 16, 2025
    • 12 views
    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    • June 16, 2025
    • 10 views
    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    • June 16, 2025
    • 25 views
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    • June 16, 2025
    • 20 views
    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી