
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાની સૂચના હોટલાઇન દ્વારા મળતાં જ નરોડા અને શાહપુર ફાયર સ્ટેશનોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. શહેરના તમામ 19 ફાયર સ્ટેશનોને એલર્ટ કરીને 100થી વધુ ફાયર વાહનો સાથે 650 ફાયર કર્મચારીઓએ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.
ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી 31 લોકોનો જીવ બચાવ્યો
આ કામગીરીમાં ચાર ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ચાર ટીમો રચવામાં આવી હતી. આગ બુઝાવવા અને ઠંડક માટે 7.5 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો. બચાવ કામગીરી દરમિયાન 31 લોકોને સુરક્ષિત રીતે બચાવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 90થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા. સમગ્ર કામગીરી માત્ર ચાર કલાકમાં પૂર્ણ થઈ.
આયોજનબદ્ધ રીતે કામ કરવાથી આગ પર કાબુ મેળવાયો
અમદાવાદ ફાયર વિભાગને આ કામગીરીમાં નજીકના કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પોલીસ, NDRF, CISF, ભારતીય સેના અને NGOનો પૂરો સહયોગ મળ્યો. ચીફ ફાયર ઓફિસર ડોંગરેએ જણાવ્યું કે, “આયોજનબદ્ધ રીતે કામ કરવાના કારણે અમે આગને કાબૂમાં લઈ શક્યા અને બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી.”
Ahmedabad Municipal Fire department Team: Key Highlights of Ahmedabad Plane Crash Rescue Operations:*
– Call received at 1:43 pm on June 12
– Response from all 19 fire stations
– Over 100 fire vehicles deployed
– 4 teams formed for rescue operations across 4 buildings
– 31… pic.twitter.com/BAxkSl0wxX— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના બચાવ કામગીરીના મુખ્ય મુદ્દાઓ
– 12 જૂનના રોજ બપોરે 1:43 વાગ્યે કોલ મળ્યો
– તમામ19 ફાયર સ્ટેશનો તરફથી પ્રતિભાવ
– 100 થી વધુ ફાયર વાહનો તૈનાત
– 4 ઇમારતોમાં બચાવ કામગીરી માટે 4 ટીમો બનાવવામાં આવી
– 31 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા
– સ્થળ પર 90 થી વધુ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી
– કામગીરી 4 કલાક ચાલી
– અગ્નિશામક અને ઠંડક માટે 7.5 લાખ લિટર પાણીનો ઉપયોગ
– ફાયર વિભાગની કામગીરીમાં 650 કર્મચારીઓ સામેલ
આ પણ વાંચો:
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે