
Ahmedabad Plane Crash:ગત 12 જૂનના રોજ અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. ત્યારે હાલમાં ડીએનએ સેમ્પલ મેચ થયેલા મૃતદેહોને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે.આ દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામેલા 31 વ્યક્તિઓના ડીએનએ સેમ્પલની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને અત્યાર સુધીમાં 12 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરી છે.
70 કલાક પછી વિજય રૂપાણીનું DNA થયું મેચ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ડીએનએ ટેસ્ટ મેચ થયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની પુષ્ટિ કરી છે. તેમનો મૃતદેહ આજે સાંજે પરિવારને સોંપવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. મળતી માહિતી મુજબ વિજય રૂપાણીની અંતિમ વિધિ આવતી કાલે રાજકોટ ખાતે થશે.તેમજ મંગળવારે રાજકોટ અને બુધવારે ગાંધીનગર સ્વ.વિજય રૂપાણીની શોકસભા રખાશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ, હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
#Ahmedabad #AhmedabadPlaneCrash #sivilhospital #Cybercrime #VijayRupani #harshsanghvi #Gujarat #thegujaratreport pic.twitter.com/b1bsQe9389— The Gujarat Report (@TGujarat_Report) June 15, 2025
વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા નેતાઓ
મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોચ્યા હતા . વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે સંપન્ન કરવામાં આવી છે. ત્યારે હવે ધીરે ધીરે તેમના નિવાસસ્થાને નેતાઓ આવી રહ્યા છે.
આ પણ વાંચો:
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા
Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video