Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ

Ahmedabad plane crash Update: 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેવી રીતે બની? તેનું રહસ્ય ટૂંક સમયમાં ખૂલશે. કારણ કે બ્લેક બોક્સની મેમરી સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવી છે અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની લેબમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. CVR, FDR માંથી મેળવેલા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી.

બ્લેક બોક્સ મેમરીનું વિશ્લેષણ

ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના બ્લેક બોક્સ મળી આવ્યા છે અને તેના વિશ્લેષણ કરાઈ રહ્યા છે. દુર્ઘટના AAIB એ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર તેના ડિરેક્ટર જનરલના નેતૃત્વમાં એક બહુ-શાખાકીય તપાસ ટીમની રચના કરી હતી. આ ટીમમાં એક એવિએશન મેડિકલ નિષ્ણાત, એક એર ટ્રાફિક કંટ્રોલ અધિકારી અને યુએસ સ્થિત નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના પ્રતિનિધિનો સમાવેશ થાય છે, જે વિમાનના ઉત્પાદન રાજ્યની નિયુક્ત એજન્સી છે.

તપાસ માટે CVR અને FDR દિલ્હી મોકલાયા હતા

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) બંને મળી આવ્યા છે. એક 13 જૂને અકસ્માત સ્થળ પરની ઇમારતની છત પરથી અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ 24 જૂને IAF વિમાન દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે બ્લેક બોક્સ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. 24 જૂને બપોરે 2 વાગ્યે AAIB લેબ, દિલ્હી ખાતે આગળનો બ્લેક બોક્સ પહોંચ્યા હતા. 24 જૂને AAIB ની બીજી ટીમ દ્વારા પાછળનો બ્લેક બોક્સ લાવવામાં આવ્યું હતુ. 24 જૂને સાંજે AAIB ના ડિરેક્ટર જનરલની આગેવાની હેઠળની ટીમે AAIB અને NTSB ના ટેકનિકલ સભ્યો સાથે ડેટા કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેનો ડેટા AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.

વિમાનમાં સવાર 42 મુસાફરોમાંથી માત્ર એકનો જીવ બચ્યો

તમને જણાવી દઈએ કે 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, ગુજરાતના અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી, આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.

 

 

 

 

આ પણ વાંચો:

Related Posts

Ahmedabad: હોસ્પિટલમાં આસારામના સમર્થકોની મીડિયાકર્મીઓ સાથે મારામારી, દર્દીઓ ધક્કે ચઢ્યા
  • August 18, 2025

Ahmedabad: અમદાવાદ ખાતે આસારવા સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે 10:45 વાગ્યે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકો…

Continue reading
Asam: આસામ સરકારે અદાણીને 1875 એકર જમીન આપી, ન્યાયાધીશે જે કહ્યું તે બન્યું ચર્ચાનો વિષય
  • August 18, 2025

Asam:આસામની હિમંત બિસ્વા શર્માની સરકારે અદાણી ગ્રુપને 1875 એકર (3000વિઘા અથવા 81 મિલિયન ચોરસ ફૂટ) જમીન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે આસામ હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

  • August 18, 2025
  • 5 views
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

  • August 18, 2025
  • 4 views
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

  • August 18, 2025
  • 4 views
UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

  • August 18, 2025
  • 12 views
Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

  • August 18, 2025
  • 16 views
GST  News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?

  • August 18, 2025
  • 22 views
visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?