
Ahmedabad: અમદાવાદ શહેરી જીવનની ઝળહાળતી ચમક વચ્ચે વૃદ્ધાવસ્થાના દિવસોમાં અસુરક્ષાનો કાળો પડછાયો પડ્યો છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલામાં રહેતા 75 વર્ષીય વેપારી ભરતભાઈ શાહ અને પત્ની પલ્લવીબેનના ઘરમાં ત્રણ લૂંટારોએ છરીની અણી લગાવીને 21.91 લાખ રૂપિયાની લૂંટ કરી લીધી. આ ઘટના માત્ર એક કુટુંબની વેદના નથી, પરંતુ શહેરમાં વધતા અપરાધો અને વૃદ્ધોની સુરક્ષા પર વ્યાપક પ્રશ્નો ઉભા કરે છે.
બોડકદેવ પોલીસની તપાસમાં સાફ જણાયું છે કે, લૂંટારોએ નાની ભૂલનો લાભ લઈને ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીને બંધક બનાવ્યા અને તેમને સોગંદ ખવડાવીને ફરાર થઈ ગયા.
બેડરૂમની ખુલ્લી બારીથી ઘરમાં ઘૂસ્યા લૂંટારુઓ
26 ઓક્ટોબરની રાત્રે સાડા છ વાગ્યાની આસપાસ ભરતભાઈ અને પલ્લવીબેન બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા. ચાંગોદરમાં ટેક્સટાઈલ મશીનરીના વેપારી તરીકે જીવનના અંતિમ તબક્કામાં શાંતિ મેળવી રહેલા આ દંપતીને કોઈ ખબર નહોતી કે, રાત્રે દોઢ વાગ્યે તેમની સાથે કોઈ અઘટીત બનશે. ભરતભાઈએ બાથરૂમ જવા માટે જાગ્યા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો એ નાની ભૂલ જ લૂંટારો માટે સુવિધા બની ગઈ.દસ મિનિટ પછી જાગ્યા ત્યારે તેમની સામે બે અજાણ્યા વ્યક્તિઓ છરીઓ લઈને ઊભા હતા.
લૂંટારોઓએ કહ્યું, “આવાજ મત કરના, નહીં તો માર દેંગે,” એ હિન્દીમાં ધમકાવ્યા.આ અવાજથી પલ્લવીબેન પણ જાગી ઉઠ્યા ત્યારે ત્રીજો લૂંટારો આવ્યો અને કહ્યું, “ઘરમાં જો ભી હૈ તો હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે.” ગભરાટમાં તિજોરી ખોલી દેવામાં આવી, અને વૃદ્ધ દંપતીની આંખો સામે જ હીરાની બૂટી, સોનાની કંઠી, પેન્ડલ, બંગડીઓ, હાર, લગડીઓ, ઘડિયાળો અને રોકડ સહિતની મિલકત લૂંટાઈ ગઈ.
સીસીટીવીમાં કેડ થયા લૂંટારો
સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થયું કે, રાત્રે 12.57 વાગે લૂંટારો મકાનની પાછળની દીવાલ કૂદીને આવ્યા અને ડાઈનિંગ એરિયાની બારીનો કાચ તોડીને અંદર ઘૂસ્યા. ત્રણ કલાક સુધી તેઓએ ઘરની તલાશી લીધી અને 2.48 વાગે તે જ દીવાલ કૂદીને ફરાર થઈ ગયા. લૂંટ પછી ભરતભાઈએ સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો, પરંતુ ત્યાં સુધી વૃદ્ધ દંપતીને લૂંટારોએ હત્યાની ધમકી આપીને સોગંદ ખવડાવી દીધી કે, “કોઈને જાણ કરશો તો જીવંત નહીં છોડીએ.” છતાં, ભરતભાઈએ હિંમત દર્શાવીને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે તપાસ શરૂ થઈ છે.
આ ઘટના અમદાવાદમાં વૃદ્ધો વિરુદ્ધ વધતા અપરાધોની એક કડી છે. તાજેતરમાં NRIની હત્યા જેવી ઘટનાઓ પછી આ લૂંટે પોલીસ અને સમાજને જાગૃત કર્યો છે. નિષ્ણાતો કહે છે કે, શહેરી વિસ્તારોમાં વૃદ્ધોની વધતી વસ્તી અને તેમની આર્થિક સ્થિતિને કારણે આવા જૂથીયા હુમલા વધ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સીસીટીવી અને પડોશીયા જાગૃતિને મજબૂત કરીને આવા અપરાધોને અટકાવી શકાય.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!









