
Teacher Murdered Viramgam: અમદાવાદ જીલ્લાના વિરમગામમાં(Viramgam) શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગત પ્રમાણે મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા સાથે મૈત્રી કરારથી વિરમગામની મહાલક્ષ્મી પોળમાં રહેતા હતા. જેને લઈને મહિલાના પતિ અને તેના પરિવારજનોએ શિક્ષક નરેશ ચાવડા પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
વિરમગામ હાઈવે પરથી 41 વર્ષિય શિક્ષકની લાશ મળી આવતા આસપાસનાં લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં કેટલાક શખ્શો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપી કલાભાઇ હીરાભાઈ ગોહિલ,અજીતભાઈ ખેંગારભાઇ ગોહિલ તેમજ જેસંગભાઇ ઉર્ફે ગોકાભાઇ રામાભાઇ કટારીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાંભળો આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસ.પી,ઓમ પ્રકાશ જાટએ શું કહ્યું?
આ પણ વાંચોઃ Kumbh Mela: મહાકુંભમાં મહેસાણાના શ્રધ્ધાળુનું મોત, મૃતદેહને વતન લવાશે